રાજીનામા બાદ પ્રદિપસિંહ વાઘેલા બોલ્યા- પાર્ટી મંજૂરી આપશે તો...

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૌથી તાકતવાન પ્રદેશ મહામંત્રી રહેલા પ્રદિપ સિંહ વાઘેલાએ રાજીનામાં પર મૌન તોડતા કહ્યું કે, જો પાર્ટી મંજૂરી આપશે તો મારા પર આરોપ લગાવનારાઓ વિરુદ્ધ કેસ નોંધાવીશ. પ્રદિપ સિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલને બદલીને કાર્યકર્તા કરી દીધું છે. રાજીનામું આપવાના સવાલ પર તેમણે કહ્યું કે, મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, એટલે મેં પદ છોડ્યું છે જે લોકો બદનામ કરવા માગે છે, તેમાં કેટલાક ભાજપના સભ્ય છે અને કેટલાક સરકારી અધિકારી સામેલ છે.

વાઘેલાએ શરૂઆતમાં રાજીનામું આપવાની વાત નકારી દીધી હતી, પરંતુ રાજીનામું આપવાની સૂચના બહાર આવી ગઈ, ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે તેમણે 7 દિવસ અગાઉ રાજીનામું આપી દીધું હતું. સિંહ વાઘેલા વાઘેલા જુલાઇ 2020માં સી.આર. પાટિલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રદેશ મહામંત્રી બન્યા હતા. પ્રદિપ સિંહ વાઘેલાએ રાજીનામું આપવાના સવાલ પર કહ્યું કે, કેટલાક લોકો તેમની છબી ખરાબ કરવા માગે છે. આ જ કારણે ભાજપ પ્રદેશ મહામંત્રીનું પદ છોડવું પડ્યું. વાઘેલાએ એમ પણ કહ્યું કે, આ લોકોએ તેમને ખાસ કરીને કેમ નિશાનો બનાવ્યા એ અત્યાર સુધી સ્પષ્ટ નથી.

તેમણે આગળ કહ્યું કે, જો પાર્ટી મને એમ કરવાના નિર્દેશ આપવા પડશે તો હું તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ. મેં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું કેમ કે હું ઈચ્છતો હતો કે બધુ સ્પષ્ટ થઈ જાય અને એ સુનિશ્ચિત કરવામાં આવે કે આરોપોની તપાસ નિષ્પક્ષ રૂપે થાય. વાઘેલાએ દાવો કર્યો કે, તેમને બદનામ કરવા માટે આ ગેંગ છેલ્લા 2 વર્ષથી સક્રિય હતી. જેમાં આ લોકો ખોટી જાણકારી એકત્ર કરતા હતા અને તેને લક્ષિત પ્રાપ્તકર્તાઓ સુધી પ્રસારિત કરતા હતા. તે સંસદ અને વિધાનસભાની ચૂંટણી જેવી મહત્ત્વપૂર્ણ ઘટનાઓથી બરાબર પહેલા થશે.

વાઘેલાએ કહ્યું કે, જ્યારે હાલમાં જ સમાપ્ત થયેલી રાજ્યસભાની ચૂંટણીથી બરાબર પહેલા આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો તો સતર્ક થઈ ગયા અને કેટલાક લોકોની ઓળખ કરવામાં સફળ રહ્યા. આ એ જ લોકો હતા જે પહેલા પણ એવા પ્રયાસો પાછળ હતા. તેમણે દાવો કર્યો કે, તેમાંથી કેટલાક લોકો ગેર ભાજપી સભ્ય છે અને કેટલાક સરકારી અધિકારી છે.

About The Author

Related Posts

Top News

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.