રાજીનામા બાદ પ્રદિપસિંહ વાઘેલા બોલ્યા- પાર્ટી મંજૂરી આપશે તો...

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૌથી તાકતવાન પ્રદેશ મહામંત્રી રહેલા પ્રદિપ સિંહ વાઘેલાએ રાજીનામાં પર મૌન તોડતા કહ્યું કે, જો પાર્ટી મંજૂરી આપશે તો મારા પર આરોપ લગાવનારાઓ વિરુદ્ધ કેસ નોંધાવીશ. પ્રદિપ સિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલને બદલીને કાર્યકર્તા કરી દીધું છે. રાજીનામું આપવાના સવાલ પર તેમણે કહ્યું કે, મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, એટલે મેં પદ છોડ્યું છે જે લોકો બદનામ કરવા માગે છે, તેમાં કેટલાક ભાજપના સભ્ય છે અને કેટલાક સરકારી અધિકારી સામેલ છે.

વાઘેલાએ શરૂઆતમાં રાજીનામું આપવાની વાત નકારી દીધી હતી, પરંતુ રાજીનામું આપવાની સૂચના બહાર આવી ગઈ, ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે તેમણે 7 દિવસ અગાઉ રાજીનામું આપી દીધું હતું. સિંહ વાઘેલા વાઘેલા જુલાઇ 2020માં સી.આર. પાટિલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રદેશ મહામંત્રી બન્યા હતા. પ્રદિપ સિંહ વાઘેલાએ રાજીનામું આપવાના સવાલ પર કહ્યું કે, કેટલાક લોકો તેમની છબી ખરાબ કરવા માગે છે. આ જ કારણે ભાજપ પ્રદેશ મહામંત્રીનું પદ છોડવું પડ્યું. વાઘેલાએ એમ પણ કહ્યું કે, આ લોકોએ તેમને ખાસ કરીને કેમ નિશાનો બનાવ્યા એ અત્યાર સુધી સ્પષ્ટ નથી.

તેમણે આગળ કહ્યું કે, જો પાર્ટી મને એમ કરવાના નિર્દેશ આપવા પડશે તો હું તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ. મેં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું કેમ કે હું ઈચ્છતો હતો કે બધુ સ્પષ્ટ થઈ જાય અને એ સુનિશ્ચિત કરવામાં આવે કે આરોપોની તપાસ નિષ્પક્ષ રૂપે થાય. વાઘેલાએ દાવો કર્યો કે, તેમને બદનામ કરવા માટે આ ગેંગ છેલ્લા 2 વર્ષથી સક્રિય હતી. જેમાં આ લોકો ખોટી જાણકારી એકત્ર કરતા હતા અને તેને લક્ષિત પ્રાપ્તકર્તાઓ સુધી પ્રસારિત કરતા હતા. તે સંસદ અને વિધાનસભાની ચૂંટણી જેવી મહત્ત્વપૂર્ણ ઘટનાઓથી બરાબર પહેલા થશે.

વાઘેલાએ કહ્યું કે, જ્યારે હાલમાં જ સમાપ્ત થયેલી રાજ્યસભાની ચૂંટણીથી બરાબર પહેલા આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો તો સતર્ક થઈ ગયા અને કેટલાક લોકોની ઓળખ કરવામાં સફળ રહ્યા. આ એ જ લોકો હતા જે પહેલા પણ એવા પ્રયાસો પાછળ હતા. તેમણે દાવો કર્યો કે, તેમાંથી કેટલાક લોકો ગેર ભાજપી સભ્ય છે અને કેટલાક સરકારી અધિકારી છે.

About The Author

Related Posts

Top News

HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

કાનપુરમાં HDFC બેંકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બેંક કર્મચારી આસ્થા સિંહ ગુસ્સામાં કહેતી જોવા...
National 
HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને નવા નિયમો બહાર પાડ્યા છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નિર્દેશોમાં રાષ્ટ્ર ગીત ગાવા...
Education 
ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.