‘ગુજરાતના કેબિનેટ મંત્રી મને 2 લાફા મારવા દે તો 10 લાખ આપું’, ગોપાલ ઇટાલિયા આવું કેમ બોલ્યા

થોડા મહિનાઓ અગાઉ વિસાવદર અને કડી વિધાનસભા માટે પેટાચૂંટણી થઈ હતી. આ ચુંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી હતી. ત્યારથી તેઓ સતત એક્ટિવ રહે છે અને કોઈક ને કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. હવે તેઓ એક નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે. આ નિવેદન બાદ એવું લાગે છે કે તેઓ પણ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના માર્ગે ચાલી ચાલી રહ્યા છે.

Italia
https://x.com/AAPGujarat

પાદરા તાલુકાના સાંઢા ગામે AAPના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આયોજિત થયેલી જનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સહાયને સરકાર અને મંત્રીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓ આ જનસભામાં અકસ્માતમાં મૃતકોના પરિવારના લોકોને મળતી 4-4 લાખની સરકારની સહાયતાની જાહેરાત પર પ્રહાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘કેબિનેટ મંત્રી મને 2 લાફા મારવા દે તો  હું 10 લાખ રૂપિયા આપું!

નોંધનીય છે કે ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ આદિજાતિ વિકાસ કચેરીની સંકલનમાં સામસામને આવી ગયા હતા, જેના કારણે ચૈતર વસાવા સામે ફરિયાદ થઇ હતી અને તેમની ધરપકડ કરાઇ હતી.

Italia
indianexpress.com

ત્યારબાદ હાલમાં જ તેઓ 3 મહિના જેટલા સમય બાદ શરતી જામીન પર બહાર આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું આ વિવાદાસ્પદ નિવેદન વધુ વિવાદાસ્પદ બને છે કે નહીં?

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.