મારે રૂપિયા ખાવા હોય તો ઘણા રસ્તા છે, નનામા પત્રથી ગુજરાતના ભાજપ સાંસદ ગિન્નાયા

આદિવાસી વિસ્તારમાં છેલ્લી છ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઇને આવતા અને ભાજપના સિનિયર નેતા મનસુખ વસાવાને એક નનામો પત્ર મળ્યો છે, એ વિશે તેમણે પોતાની હૈયાવરાળ ઠાલવી છે અને કહ્યું છે હું ખાલી નાક દબાવું તો કરોડો રૂપિયાની કમાણી કરું શકું તેમ છું.મારે ભ્રષ્ટાચાર જ જો કરવો હોત તો ભરૂચ-દહેજ મોટો વિસ્તાર છે, શું નગર પાલિકા કે નરેગામાં હાથ નાંખું?

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પુરી તૈયારી શરૂ કરી દીધી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના 9 વર્ષની સફળતા વિશે ભાજપના નેતાઓ લોકોને સમજાવી રહ્યા છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભાજપે લાભાર્થી સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

મનસુખ વસાવાએ તેમની વિરુદ્ધ ફરતા થયેલા નનામા પત્ર વિશે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર કરતા બાયલાઓને હું ખુલ્લા પાડું છે અને એવા જ લોકો આવા નનામા પત્ર લખતા હોય છે. તેમનામાં હિંમત હોય તો મારી સામે આવીને ચર્ચા કરે. સાંસદે કહ્યું, મનસુખ વસાવા ભ્રષ્ટ્રાચારના ખોટા રૂપિયાને હાથ પણ લગાવતા નથી. હું સાચો છુ એટલે મારા કાર્યકરો અને મંત્રીઓ સામે ડર્યા વગર બોલું છું.

મનસુખ વસાવાએ કહ્યું કે મારી પાસે એટલી તાકાત છે કે હું એક ઉદ્યોગપતિનું પણ નાક દબાવું તો કરોડો રૂપિયાની કમાણી કરી શકું છું, પરંતુ આ મારું કામ નથી, હું સેટીંગ કરવાવાળો નેતા નથી.

મનસુખ વસાવાને જે નનામો પત્ર મોકલવામાં આવ્યો છે, તેમાં મનસુખ વસાવાને બદલે મન દુખ દાદા એવા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે રાજપીપળા નગર પાલિકાનો વહીવટ તમારા ઘરેથી થાય છે, એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તે તમને દેખાતો નથી?

પત્રમાં લખવામાં આવ્યું છે કે નર્મદા જિલ્લાના ભાજપના કાર્યકરોને તમારી ચંચુપાત સામે વાંધો છે. ભરૂચ જિલ્લામાં તમારાથી સુકો પાપડ પણ ભંગાતો નથી. બે પાનાના પત્રમાં મનસુખ વસાવા વિશે અને તેમના જમાઇ વિશે બેફામ લખવામાં આવ્યું છે.

આ પત્ર વિશે મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા સામે આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આવા લેટર તો આવ્યા કરે. આવા કામ વિઘ્નસંતોષીઓ કરતા હોય છે. મારે નહોતું બોલવું પણ વર્ષોથી સહન કર્યું ને આજે બોલવું પડ્યું. બાકી ચૈતરની કોઈ હેસિયત નથી કે દેડિયાપાડા બેઠક જીતી શકે.

મનસુખ વસાવાએ આગળ કહ્યું કે મારા એક રક્ત કણમાં હિંદુત્વ વસેલું છે. મારા લોહીનું એક એક ટપકું પડે તો તેમાંથી તમને હિંદુ હિંદુ એવો શબ્દ સંભળાશે. ભૂતકાળમાં પણ હિંદુની વાત કરી છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. મેં કાઇની સાથે સેટીંગ કર્યું નથી, પરંતુ સેટીંગ કરનારા લોકો જ જ્યારે આક્ષેપ કરવા માંડે ત્યારે મૌન રહેવું હિતાવહ નથી. મનસુખ વસાવાએ કહ્યું કે રાજકારણમાં જો મૌન રહ્યા, દબાઇ ગયા તો સમજી લેજો કે તમારું રાજકારણ પતી ગયું.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.