સુરતમાં 3 પેઢી પર મોટા પાયે ITના દરોડા, 100 અધિકારીઓનો કાફલો ઉતરી આવ્યો, ગભરાટ

તહેવારોની શરૂઆત થઇ ગઇ છે અને દિવાળી નજીક છે તે પહેલા સુરતમાં એક મોટા જવેલર અને 2 ડાયમંડ કંપનીઓ પર આવકવેરા વિભાગે પાડેલા વ્યાપક દરોડાને કારણે સુરતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.તહેવારોના દિવસોમાં આવકવેરરા વિભાગના આટલા મોટા ઓપરેશનથી ડાયંમડના વેપારીઓઅને ઝવેરીમાં ગભરાટ ફેલાઇ ગયો છે.100 જેટલા અધિકારીઓ સાગમટે સુરતમાં ઉતરીને દરોડાનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

બુધવારે સવારે આવકવેરા વિભાગના લગભગ 100 જેટલા અધિકારીઓ 35 જેટલો સ્થળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન સરૂ કર્યું છે. સુરતના એક સૌથી જૂના જવેલર્સ અને 2 ડાયમંડની પેઢીઓ આવકવેરા અધિકારીઓના સાણસામાં આવી ગઇ છે.

પારલેપોઇન્ટ વિસ્તારમાં આવેલા કાંતિલાલ જવેલર્સને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. કાંતિલાલ જ્વેલર્સના માલિક તુષાર ચોક્સી છે અને તેમની પેઢી સુરતની જૂની જવેલર્સ પેઢીમાની એક છે. તુષાર ચોકસી સુરત બુલિયન એસોસિયેશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

કાંતિલાલ જવેલર્સને ત્યાં દરોડા પડ્યા તો બુધવારે સવારથી શો-રૂમ બંધ રાખવામાં આવ્યો છે. આ એવો સમય છે, જ્યારે ઝવેરીઓની દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ રહેતી હોય છે.

જાણવા મળેલી માહિતી મુજબ આવકવેરા વિભાગે જે બે ડાયમંડ કંપનીઓ એક અક્ષર ડાયમંડ અને બીજી પાર્થ ડાયમંડ પર દરોડા પાડ્યા છે તે પણ ડાયમંડ જવેલરીના અનુસંધાનમાં જ દરોડા પાડવામાં આવ્યા છે. અક્ષર ડાયમંડના માલિક વિપુલ ભુવા સુરત જ્વેલરી મેન્યુફેકચર્સ એસોસિસેયશનના પ્રમુખ રહી ચૂક્યા છે.

હીરાબજાર સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યુ હતું કે આવકવેરા વિભાગે એક સથે 35 જેટલા સ્થળોએ જ્વેલરી બિઝનેસન સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડ્યા છે એ વાત વહેતી થતા ઝવેરીઓ અને ડાયમંડ ઉદ્યોગકારોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો છે. મોટા માથાઓએ પોતાના વહેવારોને છુપાવવાની તજવીજ પણ હાથ ધરી છે.

જાણવા મળેલી માહિતી મુજબ આવકવેરા અધિકારીઓને મોટા પાયે કાળુ નાણું મળવાની શક્યતા છે, કારણકે જ્યારે આટલા મોટા પાયે સર્ચ ઓપરેશન હોય તો પુરી તૈયારી સાથે જ અધિકારીઓ ત્રાટક્યા હોય.

વહેલી સવારથી શરૂ થયેલા દરોડાના ધમધમાટ હજુ ચાલી જ રહ્યો છે, પછી ખબર પડશે કે આઇટી અધિકારીઓને કેટલો દલ્લો મળ્યો છે. મોટા પાયે બે નંબરના દસ્તાવેજો હાથ લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.