રાહુલ બોલ્યા-મોદીને જ મારી વિરુદ્ધ કેસ દાખલ કરવાનો હક, જજે સજા આપવા પહેલા...

માનહાનિના કેસમાં 2 વર્ષની સજાના નિર્ણયને રાહુલ ગાંધીએ પડકાર આપતા પોતાની અરજીમાં 7 મહત્ત્વના બિંદુ કોર્ટ સામે રાખ્યા છે. તેમનું કહેવું છે કે, તેમની વિરુદ્ધ માનહાનિ કેસ દાખલ કરવાનો હક માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છે. કોઈ પણ કેસ નહીં કરી શકે. રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં કહ્યું કે, નિર્ણય આપનારા જજે વિચારવું જોઈતું હતું કે, જે તેઓ કરવા જઈ રહ્યા છે તેનાથી મારી લોકસભા સભ્યતા જતી રહેશે. રાહુલ ગાંધીને સુરતની એક કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી.

ત્યારબાદ તેમને લોકસભામાં અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા. આ કેસ વર્ષ 2019માં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની વિરુદ્ધ ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ અરજી દાખલ કરી હતી. તેમનું કહેવું હતું કે, કોલારમાં એક જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલીત મોદી, નરેન્દ્ર મોદી. બધા ચોરોના નામ સાથે મોદી કેમ લાગ્યું છે. પૂર્ણેશ મોદીનું કહેવું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનથી આખા મોદી સમાજને ઠેસ પહોંચી છે. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને પોતાના નિર્ણયમાં દોષી માનીને સજા સંભળાવી દીધી.

રાહુલ ગાંધી તરફથી સીનિયર એડવોકેટ આર.એસ. ચીમા, કીર્તિ પનાવાલા અને તરન્નુમ ચીમાએ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. તેમનું કહેવું હતું કે, રાહુલ ગાંધીના નિવેદન પર પૂર્ણેશ મોદીને કેસ દાખલ કરવાનો હક નથી. નરેન્દ્ર મોદી જ IPCના સેકશન 499 હેઠળ કેસ કરી શકે છે. સજાને પડકાર આપતી અરજીમાં કહેવામાં આવ્યું કે, હદિરેશ વર્માએ સજા સંભળાવવા પહેલા વિચારવું જોઈતું હતું કે, તેમનો નિર્ણય કયા પ્રકારની અસર નાખવા જઈ રહ્યો છે. તેમને સારી રીતે ખબર હતી કે માનહાનિ કેસમાં 2 વર્ષની સજા સંભળાવવાથી તેમની લોકસભા સભ્યતા જતી રહેશે.

જજે વિચાર કરવું જોઈતું હતું. તેમણે એ ન જોયું કે આ મારો પહેલો ગુનો હતો, પરંતુ તેમણે માનહાનિ કેસમાં મહત્તમ 2 વર્ષની સજા સંભળાવી દીધી. અરજીમાં કહેવામાં આવ્યું કે, વિપક્ષના નેતા હોવાના કારણે  તેમને સરકારની નિંદા કરવાનો પૂરો હક છે. વિપક્ષના નેતા સરકારની નિંદા દરમિયાન હંમેશાં સારા લગતા શબ્દોનો ઉપયોગ નહીં કરી શકે. સુરતની કોર્ટે સજા પહેલા શબ્દોનો સાચો અર્થ કાઢવો જોઈતો હતો. તેમણે 6 લોકોના નામ લીધા હતા. નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, લલીત મોદી અને અનિલ અંબાણી પર તેમણે આરોપ લગાવ્યો હતો કે, સરકારે આ બધા લોકોને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડ્યો. તેમાંથી ઘણાના નામ સાથે મોદી લાગ્યું નથી.

રાહુલ ગાંધીએ દલીલ કરી કે પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ માત્ર એ વાતને લઈને કેસ દાખલ કરી દીધો કે તેઓ મારા નિવેદનથી દુઃખી હતા. મારા નિવેદનને આખા મોદી સમાજ વિરુદ્ધ નહીં માની શકે. મોદી સરનેમ હિન્દુઓ સિવાય મુસ્લિમ અને પારસી લોકો પણ લગાવે છે. મોદી નામના લોકો લગભગ 13 કરોડ લોકો છે. બધાને હક નથી મળતો કે તેઓ મારી વિરુદ્ધ કેસ દાખલ કરી શકે. તેમનું કહેવું હતું કે તેમની વિરુદ્ધ દાખલ થયેલી અરજી માત્ર રાજનીતિથી પ્રેરિત હતી. ટ્રાયલ કોર્ટે જે અંદાજમાં તેમને દોષી માનીને નિર્ણય સંભળાવ્યો તે સ્તબ્ધ કરનારો છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.