મોદીજીએ તમારી વાત ન સાંભળી... રૂપાલાનો મુદ્દો ઉઠાવીને પ્રિયંકાએ શું કહ્યું?

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પરષોત્તમ રૂપાલાનો મુદ્દો ઉઠાવીને BJP પર મોટો પ્રહાર કર્યો છે. ચૂંટણી પ્રચાર માટે બનાસકાંઠા પહોંચેલા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે (પરષોત્તમ રૂપાલાનું નામ લીધા વિના) ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન થયું, પરંતુ BJPએ તેમની ટિકિટ કાપી નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું, PM મોદીએ તમારી વાત ન સાંભળી. મહિલાઓનું અપમાન કરનારા નેતાની ટિકિટ જાળવી રાખી. પરષોત્તમ રૂપાલા ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠામાં જેનીબેન ઠાકોરના સમર્થનમાં રેલીને સંબોધતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને તક મળશે તો અમે મહિલાઓનું અપમાન થવા દઈશું નહીં.

બનાસકાંઠાની રેલીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'અહીં રાજપૂત સમાજની મહિલાઓનું કેટલું અપમાન થયું, PM મોદીજીએ શું કર્યું? શું તે ઉમેદવારને હટાવ્યો? તમારી માંગ શું હતી? તમારી માંગ હતી તેણે હટાવવાની, તેઓએ તમારું અપમાન કર્યું. મોદીજી એ તમારી વાત સાંભળી?, તમારી ફરિયાદ સાંભળવામાં આવી?, હું તમને વચન આપું છું કે, જો અમને તક મળશે તો અમે તમારો સંદેશ દેશભરમાં ફેલાવીશું. PM મોદીજીની સરકારે મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને સાથ આપ્યો છે.'

પ્રિયંકા ગાંધીએ પરષોત્તમ રૂપાલા સાથે ઉત્તર પ્રદેશના હાથરસ અને ઉન્નાવના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકાર મહિલાઓના પક્ષમાં નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજે દેશમાં છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તેના કારણે તમે આ સ્થિતિમાં છો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, BJPએ ઘણું ફંડ લીધું. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે તેમનો દાવ ઊંધો પડી ગયો. પ્રિયંકા ગાંધીએ કોઈની પાસેથી કોઈ ફંડ લીધું નથી. મોરબીમાં જે પુલ તૂટી પડ્યો હતો. તેમની પાસેથી પણ ફંડ લીધું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કોવિડ રસીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, તેમણે તે કંપની પાસેથી પણ ડોનેશન લીધું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હવે એ વાત સામે આવી છે કે, આની પાછળ રસીની અસર છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અહીં તમારી વચ્ચે ધર્મની વાત થાય છે. ત્યાં તેણે બીફના (ગોમાંસ) વેપારીઓ પાસેથી પણ ફંડ લીધું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આટલું જ નહીં, તેઓએ પહેલા દરોડા પાડ્યા, પછી ડોનેશન લીધું અને પછી દરોડા અને કેસ બંધ કરી દીધા, બીજી બાજુ કોંગ્રેસના ખાતા પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠામાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મોટી મોટી વાતો થઈ રહી છે. મહેલોમાં લગ્નો થઇ રહ્યા છે. તેમના માટે એરપોર્ટ ખુલ્લું કરી દેવામાં આવી રહ્યું છે, તમારા માટે કોઈ એરપોર્ટ નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સત્ય એ નથી કે જે TV પર દેખાય છે. તમે વાસ્તવિકતાને ઓળખો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમીર લોકો વધુ અમીર થઈ રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 22 ઉદ્યોગપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

ઘણા એવા વાહન ચાલકો છે જેમને કાનમાં ફૂંકીને કહીએ કહી તો પણ તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે, કરશે ને...
Gujarat 
રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

જે રીતે શેરબજારના નિયમન માટે સેબી કામ કરે છે તેવી જ રીતે રિઅલ એસ્ટેટમાં નિયમન માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી...
Business 
સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા નેતા ભાજપમાં સામેલ થઇ...
Politics 
શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે સવારે રાજ્યના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે...
National 
18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.