વર્તમાનને આજે વર્ધમાનની જરૂર છે, દુનિયાએ મહાવીર ચિંધ્યા રાહે જાવું પડશે

 

તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિન એટલે જગત ના કલ્યાણ અને યોગક્ષેમ નો દિન.

ચૈત્ર સુદ તેરસના દિવસે દેવાધિદેવ પ્રભુ મહાવીરનો જન્મ થયો હતો. ક્ષત્રિયકુંડ નગરની ધરતી ઉપર પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના ઘરે પ્રભુ અવતર્યા ત્યારે ચારે તરફ પૃથ્વી પર ઉત્સવનું વાતાવરણ પ્રગટ્યું હતું. સૌ જીવોએ સુખનો અનુભવ કર્યો હતો.

મહાવીર સ્વામીનો આત્મા જ્યારે માતા ત્રિશલાના ગર્ભમાં આવ્યો તે દિવસથી જ સમગ્ર રાજ્યમાં ચોમેર ધન, ધાન્ય, સંપત્તિ, ઋદ્ધિ, શક્તિ, સ્નેહ,સદભાવના, યશ કીર્તિ, ની વૃદ્ધિ થવા લાગી. ચારે તરફ આ શુભ તત્વનું વૃદ્ધિકરણ જોઈ માતા પિતાએ વિચાર કર્યો કે જયારે આ બાળક જન્મશે ત્યારે તેનું નામ વર્ધમાન પાડશું. બાળ વર્ધમાન ખૂબ જ બલવાન હતા. શરીરનું બળ ઉપરાંત ભીતરનું દ્રઢ આત્મબળ હતું. આ જોઈને દેવોએ તેમનું નામ મહાવીર પાડ્યું. આમ, વર્ધમાન હવે મહાવીર બન્યા.

સાડા બાર વર્ષની ઘોર સાધના દરમિયાન મહાવીર સ્વામીનું દ્રઢ આત્મબળ સતત અડગ રહ્યું.મેરુ પર્વતની જેમ તેઓ અડગ રહ્યા અનેક દુઃખો તેમણે સહન કર્યા તેમનું જીવન જ તેમનો ઉપદેશ હતું. સર્વ સ્વીકારની સાધના એ તેમનું જીવન હતું. મહા વીર હોવા છતાં તેમણે સારી નરસી સર્વ સ્થિતિનો સ્વીકાર કર્યો.

ચંડ કૌશિક નામના ભયંકર સર્પે ભગવાનના ચરણે ડંખ માર્યો છતાં ભગવાન ના મુખે કરુણા નીતરતા શબ્દો સરી પડ્યા કે ચંડ કૌશિક તું બોધ પામ, ગોવાળિયા એ કાનમાં ખીલા ઠોક્યા તો પણ મહાવીર સ્વામીના હૃદયના કરુણાના નીર ન સુકાયા.

સાડા બાર વર્ષની સાધનાના અંતે પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.આ જ્ઞાનના પ્રકાશમાં જગતના કલ્યાણ માટે અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના મહાન સત્યોને ઉજાગર કર્યા. પ્રભુનો ઉપદેશ માત્ર શબ્દોમાં ન હતો, પરંતુ પ્રાયોગિક હતો ઓછામાં ઓછી હિંસાથી કેવી રીતે જીવી શકાય તેવી જીવનશૈલી તેઓએ બતાવી. વિશ્વયુદ્ધના આરે ઉભેલી દુનિયાને આજે અહિંસાના ઉદગાતા મહાવીર સ્વામીના ઉપદેશના અમલની વિશેષ જરૂર છે.

વર્તમાનને આજે વર્ધમાનની જરૂર છે. લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીર ચિંધ્યા રાહે જાવુંપડશે.

                                                                                                                                          શ્રેણિક વિદાણી

About The Author

Related Posts

Top News

EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે ઓમ ફેબના રણજીત લુનિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બેંકમાંથી લીધેલી કરોડોની લોન...
Gujarat 
EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ બાકી છે, પરંતુ રાજકીય ગરમાવો પહેલાથી જ વધી ગયો છે. ચૌધરીઓનો ગઢ ગણાતો...
National 
જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

અલીગઢના કાર્સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફિરદૌસ નગરમાં મંગળવારે રાત્રે 2:30 વાગ્યે મચ્છર ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે અથવા ગેસ...
National 
મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

એક એવા સમાચાર બહાર આવ્યા છે, જે સમાજની કડવી વાસ્તવિકતા અને વ્યક્તિને અંદરથી અનુભવાતી એકલતાને ઉજાગર કરે છે. સામાન્ય...
National 
એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

Opinion

દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું! દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું!
(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં જાહેર કર્યું કે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી નક્સલવાદ લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો...
પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.