નવરાત્રિના બેનર લગાવવાના મુદ્દે બારડોલીમાં ભાજપના બે જૂથ વચ્ચે બબાલ, ટ્રાફિક જામ

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 156 બેઠકો જીત્યા છતા ભાજપમાં આંતરિક વિખવાદ વધતો જોવા મળી રહ્યો છે. શિસ્તની પાર્ટી ગણાતી ભાજપમાં પત્રિકા કાંડ પછી હવે દક્ષિણ ગુજરાતના બારડોલીમાં જૂથવાદ સામે આવ્યો છે.

બારડોલીમાં નવરાત્રીના બેનર લગાવવાના મુદ્દે ભાજપના જ બે જૂથો સામ સામે આવી ગયા હતા, જેને કારણે ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

જાણવા મળેલી વિગત મુજબ બારડોલીમાં છેલ્લાં ઘણા સમયથી આંતરિક વિવાદ ડામવામાં ભાજપના નેતાઓ નિષ્ફળ રહ્યા છે. બારડોલીમાં ભાજપના બે અલગ અલગ ગ્રુપ નવરાત્રિનું આયોજન કરે છે. જેમાં બારડોલીના ધારાસભ્ય ઇશ્વર પરમાર અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભાવેશ પટેલનું લોટસ ગ્રુપ છે અને બીજું ગ્રુપ છે તે જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય જીતેન્દ્ર પટેલનું સ્વર્ણિમ ગ્રુપ છે. બંને જૂથ વચ્ચે ડખો ચાલી રહ્યો છે.

નવરાત્રિમાં મેદાન બુક કરાવવાથી માંડીને બેનર લગાવવા સુધી લોટસ ગ્રુપ અને સ્વર્ણિમ ગ્રુપ વચ્ચે વિવાદ ચાલે છે. આ વખતની નવરાત્રિમાં સ્વર્ણિમ ગ્રુપે બારડોલી કોલેજના મેદાનમાં અને લોટસ ગ્રુપે સ્વરાજ આશ્રમના મેદાનમાં ગરબાનું આયોજન કરેલું છે.

હવે બબાલ એટલા માટે ઉભી થઇ કે બંને ગ્રુપને શહીદ ચોક પાસે નવરાત્રિના બેનર લગાવવા હતા.સોમવારે રાત્રે બેનર લગાવવાના મુદ્દે બંને જૂથના લોકો સામ સામે આવી ગયા હતા અને ઝઘડો થયો હતો. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો.

જાણકારોના કહેવા મુજબ આ જૂથવાદ અત્યારે નથી વકર્યો. તેના પાયા બારડોલી નગર તેમજ તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકીટ ફાળવણીમાં થયેલા વિવાદ પછી નંખાયો હતો. એક જૂથ વર્તમાન ધારાસભ્ય ઇશ્વર પરમારનું છે અને બીજું જૂથ તાલુકા પંચાયતના માજી નાયબ સરપંચ દેવુ ચૌધરીનું છે, જેમાં હવે જીતુ પટેલનું નામ ઉમેરાયું છે. બારડોલી જેવા નાના વિસ્તારમાં ભાજપીઓમાં આંતરિક ઝઘડાને કારણે મોટી તિરાડ પડી છે.

આખા ગુજરાતના ભાજપમાં અંદરખાને ડખા છે, પરંતુ જલ્દી બહાર નથી આવતા. થોડા સમય પહેલાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે પત્રિકા કાંડ શરૂ થયું હતું. એ પછી ભાજપના ગુજરાતના મહામંત્રી અને દિગ્ગજ નેતા રત્નાકરે રાજીનામું આપવું પડ્યું હતું. તાજેતરમાં ગુજરાતના રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના બંગલે અમિત શાહ, સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક મળી હતી, જેમાં સંગઠનમાં મોટા ફેરફાર થવાના સંકેતો સામે આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.