જોશી મઠમાં જમીન કેમ ધસી રહી છે, ગુજરાતના સાંસદે બતાવ્યું આ કારણ

 જોશી મઠમાં જમીન કેમ ધસી રહી છે તેની પર નિષ્ણાતો  મનોમંથન કરી રહ્યા છે, એવા સમયે ભાજપના ગુજરાતના સાંસદે કારણ બતાવ્યું છે.

ઉત્તરાખંડના જોશીમઠમાં ધરતી ફાટ્યા અને ધસી પડ્યા બાદ જમ્મુ-કાશ્મીરના ડોડામાં પણ જમીન ફાટવાની આવી જ ઘટના સામે આવી છે. જોશીમઠમાં જમીન કેમ ફાટી રહી છે અને ધસી રહી છે તેના કારણોનો અભ્યાસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ માટે વસ્તીને જવાબદાર ગણાવી છે.

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન કેમ ધસી રહી છે? નિષ્ણાતો આ માટે નબળા આયોજનને જવાબદાર માની રહ્યા છે ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અલગ જ કારણ આપ્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં જણાવ્યું હતું કે, જોશીમઠમાં વધતી વસ્તીના કારણે જમીન ધસી રહી છે. વસાવાએ જણાવ્યું હતું કે જોશીમઠ સહિતની તમામ કુદરતી આફતો માટે બેરોજગારી, પ્રદુષણ અને વ્યભિચાર સરકારી તંત્ર નહીં પરંતુ વધતી જતી વસ્તી જવાબદાર છે. વસાવાએ જણાવ્યું હતું કે દેશમાં વસ્તી વિસ્ફોટના કારણે સામાજિક, આર્થિક અને પર્યાવરણીય અસંતુલન વધી રહ્યું છે. જોશીમઠ સિંકિંગમાં જમીન ફાટ્યા બાદ જમ્મુ-કાશ્મીરના ડોડામાં જમીન ફાટી ગઈ છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં બોલતા કહ્યુ કે, જોશી મઠની ઘટના માટે વસ્તી વિસ્ફોટ જ માત્ર જવાબદાર છે. વસાવાએ કહ્યું કે, વસ્તી નિયંત્રણ માટે માત્ર જાગૃતિ હોવી જ પુરતી નથી. એના માટે કાયદો હોવો જરૂરી છે.

વસાવાએ લોકસભામાં સરકારને વિનંતી કરી કે સરકાર વસ્તી નિયંત્રણ તાત્કાલિક પગલાં લે, કારણકે વસ્તી વિસ્ફોટ દેશને સામાજિક અને આર્થિક અસંતુલનની સાથે કુદરતી રીતે પણ અસંતુલિત બનાવી રહી છે.

ગુજરાતના સાસંદ મનસુખ વસાવા 65 વર્ષની વયના છે અને આદિવાસી સમાજમાંથી આવે છે. વસાવા ભરૂચથી લોકસભાના સાસંદ છે. વસાવા વર્ષ 2019માં ચોથી વખત મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટાઇને આવ્યા હતા. નર્મદામાં જન્મેલા મનસુખ વસાવાને એક પુત્ર અને બે પુત્રી છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં બે વર્ષથી વધુ સમય માટે આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી હતા. વસાવાએ ગુજરાત વિદ્યાપીઠમાંથી સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની ડીગ્રી મેળવી હતી. તેઓ એક વખત ધારાસભ્ય પણ બન્યા હતા.<

About The Author

Related Posts

Top News

ટેક્સ પેયરનો જીવ એ જીવ નથી? પાટીલે ચુપચાપ સાંભળી કેમ લીધું?

પહેલગામમાં મોતને ભેટેલા સુરતના મોટા વરાછાના શૈલેષ કળથિયાની અંતિમ યાત્રા ગુરુવારે નિકળી ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ હાજર...
Gujarat 
ટેક્સ પેયરનો જીવ એ જીવ નથી? પાટીલે ચુપચાપ સાંભળી કેમ લીધું?

આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે ભારતના...
National 
આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના...
Education 
પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.