જોશી મઠમાં જમીન કેમ ધસી રહી છે, ગુજરાતના સાંસદે બતાવ્યું આ કારણ

 જોશી મઠમાં જમીન કેમ ધસી રહી છે તેની પર નિષ્ણાતો  મનોમંથન કરી રહ્યા છે, એવા સમયે ભાજપના ગુજરાતના સાંસદે કારણ બતાવ્યું છે.

ઉત્તરાખંડના જોશીમઠમાં ધરતી ફાટ્યા અને ધસી પડ્યા બાદ જમ્મુ-કાશ્મીરના ડોડામાં પણ જમીન ફાટવાની આવી જ ઘટના સામે આવી છે. જોશીમઠમાં જમીન કેમ ફાટી રહી છે અને ધસી રહી છે તેના કારણોનો અભ્યાસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ માટે વસ્તીને જવાબદાર ગણાવી છે.

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન કેમ ધસી રહી છે? નિષ્ણાતો આ માટે નબળા આયોજનને જવાબદાર માની રહ્યા છે ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અલગ જ કારણ આપ્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં જણાવ્યું હતું કે, જોશીમઠમાં વધતી વસ્તીના કારણે જમીન ધસી રહી છે. વસાવાએ જણાવ્યું હતું કે જોશીમઠ સહિતની તમામ કુદરતી આફતો માટે બેરોજગારી, પ્રદુષણ અને વ્યભિચાર સરકારી તંત્ર નહીં પરંતુ વધતી જતી વસ્તી જવાબદાર છે. વસાવાએ જણાવ્યું હતું કે દેશમાં વસ્તી વિસ્ફોટના કારણે સામાજિક, આર્થિક અને પર્યાવરણીય અસંતુલન વધી રહ્યું છે. જોશીમઠ સિંકિંગમાં જમીન ફાટ્યા બાદ જમ્મુ-કાશ્મીરના ડોડામાં જમીન ફાટી ગઈ છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં બોલતા કહ્યુ કે, જોશી મઠની ઘટના માટે વસ્તી વિસ્ફોટ જ માત્ર જવાબદાર છે. વસાવાએ કહ્યું કે, વસ્તી નિયંત્રણ માટે માત્ર જાગૃતિ હોવી જ પુરતી નથી. એના માટે કાયદો હોવો જરૂરી છે.

વસાવાએ લોકસભામાં સરકારને વિનંતી કરી કે સરકાર વસ્તી નિયંત્રણ તાત્કાલિક પગલાં લે, કારણકે વસ્તી વિસ્ફોટ દેશને સામાજિક અને આર્થિક અસંતુલનની સાથે કુદરતી રીતે પણ અસંતુલિત બનાવી રહી છે.

ગુજરાતના સાસંદ મનસુખ વસાવા 65 વર્ષની વયના છે અને આદિવાસી સમાજમાંથી આવે છે. વસાવા ભરૂચથી લોકસભાના સાસંદ છે. વસાવા વર્ષ 2019માં ચોથી વખત મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટાઇને આવ્યા હતા. નર્મદામાં જન્મેલા મનસુખ વસાવાને એક પુત્ર અને બે પુત્રી છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં બે વર્ષથી વધુ સમય માટે આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી હતા. વસાવાએ ગુજરાત વિદ્યાપીઠમાંથી સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની ડીગ્રી મેળવી હતી. તેઓ એક વખત ધારાસભ્ય પણ બન્યા હતા.<

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.