મા અંબાના મંદિરમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થાપિત થશે

દેશની 51 શક્તિપીઠોમાં સમાવિષ્ટ અંબાજી મંદિરમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવશે. આ શ્રી યંત્ર અમદાવાદના જય ભોલે ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ શ્રી યંત્રનું નિર્માણ એક કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સ્થિત અંબાજી મંદિરની ઘણી ઓળખ છે. PM નરેન્દ્ર મોદી માતા અંબેમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ભૂતકાળમાં ઈન્દિરા ગાંધી પણ આ ઐતિહાસિક મંદિરની મુલાકાત લઈ ચૂક્યા છે. તાજેતરમાં જ મંદિરમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ રોકવાને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યાર પછી ગુજરાત સરકારે ચિક્કી અને મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત સરકારના મુખ્ય પ્રવાસન સ્થળોમાં અંબાજી મંદિરનો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રની સ્થાપનાથી મા અંબેના ભક્તોની કષ્ટ દૂર થશે.

હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાસરામમાં સ્થાપિત છે જેની લંબાઈ સાડા ત્રણ ફૂટ છે. અમદાવાદના જય ભોલે ગ્રુપના દીપેશભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવી રહેલું શ્રી યંત્ર વિશ્વનું સૌથી મોટું સાડા ચાર ફૂટનું શ્રી યંત્ર છે. જે પાંચ ધાતુઓ તાંબુ, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદીમાંથી બનાવવામાં આવી રહી છે. તેને બનાવવામાં લગભગ એક કરોડનો ખર્ચ થશે. ચાર ફૂટ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના આ શ્રી યંત્રનું કુલ વજન 2200 કિલો હશે. એવી માન્યતા છે કે, મા અંબા માઈના ભક્તોને શ્રી યંત્રથી સકારાત્મક ઉર્જા મળશે અને તેમની પરેશાનીઓ દૂર થશે અને ભક્તોના સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થશે.

માતા અંબાના પ્રખર ભક્ત દીપેશભાઈ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમને શ્રીયંત્ર બનાવવાનો વિચાર અને પ્રેરણા ક્યાંથી મળી, તો તેમણે કહ્યું કે હું, મારા પરિવાર સાથે ઉત્તરાખંડમાં ડોલાસરામ ગયો હતો, ત્યારે મેં અહીં વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર જોયું હતું. તે શ્રીયંત્રના દર્શનથી મને પ્રેરણા મળી અને અંબાજીમાં અંબેમાં મંદિરમાં શ્રીયંત્રનું સ્થાપન કેમ ન કરવું? એવો વિચાર આવ્યો. જ્યારે મેં જોગુલાંબા મંદિર, અમરાવતી, તેલંગાણાની મુલાકાત લીધી, ત્યારે મેં ત્યાં સુપ્રસિદ્ધ શ્રી યંત્ર જોયું. મને આજે વિચાર આવ્યો કે, અંબાજી મંદિરમાં પણ આવું કોઈ શ્રીયંત્ર છે? મેં મારા જૂથના સભ્યોને આ વાત કહી અને પછી માં અંબાના આશીર્વાદ અને કૃપાથી શ્રી યંત્રનું નિર્માણ શરૂ કર્યું. આ મશીન અમદાવાદ એન્જીનીયર્સ, વટવા ખાતેની મારી ફેક્ટરીમાં બની રહ્યું છે.

માં અંબાજીમાં સૌથી મોટા શ્રી યંત્રની સ્થાપના પહેલા જય ભોલે ગ્રુપે ચારધામની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. આ માટે મેરુ શ્રીયંત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે સમૂહના લોકો ચાર ધામની યાત્રા કરશે અને યાત્રા પૂર્ણ થયા બાદ, તૈયાર થઈ રહેલા શ્રી યંત્રનું અંબાજીમાં સ્થાપન કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરે આ મેરુ શ્રીયંત્રનું પૂજન કર્યું હતું અને ત્યાર પછી સમૂહના લોકો ચારધામ યાત્રા માટે પ્રયાણ કર્યું હતું.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.