WHOનો દાવો- પેટમાં ઝેર ભરે છે ભોજન બનાવવાની આ રીત, વર્ષે 3 મિલિયન મોત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)નું માનવું છે કે લાકડા, કોલસા કે કેરોસિનની આગ પર ભોજન બનાવવાથી શરીરના આંતરિક અંગો જેવા કે હાર્ટ, મગજ અને ફેફસાના સ્વાસ્થ્ય પર ગંભીર પ્રભાવ પડે છે. જો આ અંગોને હેલ્થી રાખવા છે તો આ રીતથી ભોજન બનાવવું છોડવું પડશે. ભોજન બનાવવા માત્ર ક્લીન કૂકીંગ ઈંધણનો ઉપયોગ કરવો જોઇએ.

આંતરિક અંગોના દુશ્મન

WHOએ જણાવ્યું કે દુનિયાની ચોથા ભાગની વસતી ભોજન બનાવવા માટે ઝેરીલા ઈંધણનો ઉપયોગ કરે છે. સૂકા પાકોનું ભૂંસુ, લાકડા, કોલસા અને કેરોસિન...આ ખતરનાક ઈંધણ છે. કોલસા કે લાકડાની આગ પર ભોજન બનાવવાથી તમને ઈસ્કેમિક હાર્ટ ડીસિઝ, સ્ટ્રોક, રેસ્પિરેટરી ઈન્ફેક્શન, ક્રોનિક પલ્મોનરી ડિસીઝ(ફેફસાની બીમારી) અને લંગ કેંસરનો ખતરો બની શકે છે.

WHOએ જણાવ્યું કે, આ ઝેરીલા ઈંધણ પર બનાવેલ ભોજન શરીરમાં પ્રદૂષણ ફેલાવવાનું કામ કરે છે. આનાથી દર વર્ષે લગભગ 3 મિલિયન લોકોના મોત થાય છે. જેમાં હ્યદયની બીમારીથી 32, સ્ટ્રોકથી 23, ફેફસાની બીમારીથી 21, પલ્મોનરીથી 19 અને લંગ કેંસરથી 6 ટકા લોકોના મોત થયા છે.

સૌથી વધારે આ લોકોને ખતરો

WHOએ જણાવ્યું કે, આ ઝેરીલા ઈંધણોનો ઉપયોગ સૌથી વધારે મહિલાઓ અને બાળકો માટે ખતરનાક છે. મહિલાઓ આનાથી નીકળતા ખતરનાક ધૂમાડાના સંપર્કમાં વધારે આવે છે. જ્યારે બાળકો આને સહન કરી શકતા નથી.

ક્લીન ફ્યૂલનો વપરાશ

WHOએ જણાવ્યું કે, દુનિયામાં 10માંથી 3 લોકો ક્લીન કુકીંગ ફ્યૂલ્સનો ઉપયોગ કરતા નથી. ક્લીન ફ્યૂલ્સની લિસ્ટમાં બાયોગેસ, એલપીજી, ઈલેક્ટ્રિક, ઈથેનોલ, નેચરલ ગેસ અને સોલર પાવર સામેલ છે. ભોજન બનાવવા માટે હંમેશા આનો ઉપયોગ કરવો જોઇએ.

 
 
 
View this post on Instagram

A post shared by World Health Organization (@who)

ખેર, ઘણાં લોકો જે વારે વારે એવું કહેતા હોય છે કે ગ્રામીણ વિસ્તારોમાં લાકડાની આગથી બનાવેલ ભોજન સૌથી સ્વાદિષ્ટ હોય છે. એ સાચુ છે કે માટીના ચૂલ્હા પર લાકડા કે કોલસાની આગ પર બનાવેલ ભોજનથી આનંદ મળે છે. પણ એ પણ હકીકત છે કે આ રીતથી બનાવેલ ભોજન તમને અંદરથી નુકસાન પહોંચાડી શકે છે. બીજી વાર જ્યારે તમે તંદૂરી રોટી, તંદૂરી ચિકન, કોલસા પર બનેલ સિક કબાબ, લાકડાની આગમાં બનાવેલી રોટલીનો આનંદ માણો તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આ વાતનું ખાસ ધ્યાન રાખજો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.