‘UPમાં BJPની હાર માટે મોદી-યોગી..’, પાર્ટીના નેતા ઉમા ભારતીનું મોટું નિવેદન

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઉમા ભારતીએ શનિવારે કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને દોષી ઠેરવવા ન જોઈએ. બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ પણ પાર્ટીનું રાજ્યમાં પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આ લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભગવા પાર્ટીને 80 લોકસભા સીટોમાંથી માત્ર 33 સીટો મળી.

ઉમા ભારતીએ અહી મીડિયાના સવાલોનો જવાબ આપતા કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો માટે મોદી અને યોગીને દોષી ઠેરવવું યોગ્ય નથી. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ઢાંચો ધ્વસ્ત કર્યા બાદ પણ ભાજપ હારી હતી. એ છતા અમે અયોધ્યામાં રામ મંદિરને પોતાના એજન્ડાથી ન હટાવ્યું. અમે અયોધ્યાને ક્યારેય વોટ સાથે જોડી નથી. આ પ્રકારે હવે અમે મથુરા-કાશી (ધાર્મિક સ્થળોને લઈને વિવાદ)ને પણ વોટ સાથે જોડી રહ્યા નથી.

એક અન્ય સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આપણે હિન્દુ સમુદાયની પ્રકૃતિ સમજવાની જરૂરી છે, જે સામાજિક વ્યવસ્થાને ધર્મ સાથે જોડતો નથી. ભાજપ નેતાએ દાવો કર્યો કે, ‘એ ઇસ્લામી સમાજ જ છે, જે સામાજિક અને ધાર્મિક વ્યવસ્થાને એકજૂથ કરીને કામ કરે છે. આ જ કારણ છે કે તેઓ સામાજિક વ્યવસ્થા મુજબ વોટ કરે છે. ઉત્તર પ્રદેશના પરિણામોનો અર્થ એ નથી કે, લોકોની ભગવાન રામ પ્રત્યે ભક્તિ ઓછી થઈ ગઈ છે.

ઉમા ભારતીએ કહ્યું કે, આપણે એ અહંકાર ન કરવો જોઈએ કે દરેક રામભક્ત ભાજપને વોટ આપશે. આપણે એ વિચારવું ન જોઈએ કે જે અમને વોટ આપતું નથી તે રામભક્ત નથી. આ (ચૂંટણી પરિણામ) કોઈ બેદરકારીનું પરિણામ છે બીજું કંઇ નથી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે કેન્દ્રમાં સરકાર ચલાવવી મુશ્કેલ નહીં હોય કેમ કે ભૂતકાળમાં ભાજપે સહયોગીના રૂપમાં તેમની સાથે સફળતાપૂર્વક સરકારો ચલાવી છે. આ અગાઉ દિવસે ઉમા ભારતીએ ગ્વાલિયરથી ભોપાલ જતી વખત શિવપુરીમાં સ્થાનિક ભાજપ નેતાઓ સાથે મુલાકાત કરી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.