પહેલગામ ઘટનાના નામે પૂજારી સાથે છેતરપિંડી, પૂજા-પાઠ કરાવવાના બહાને અકાઉન્ટમાંથી ઉડાવી દીધા પૈસા

એક તરફ, જ્યાં પહેલગામ ઘટનાને લઈને દેશવાસીઓમાં દુઃખ અને ગુસ્સો છે, તો કેટલાક લોકો આ ઘટનાના નામે છેતરપિંડી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુરથી પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. અહીં સાયબર ઠગોએ એક પૂજારીને નિશાનો બનાવ્યો છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.

priest
knewsindia.in

વાસ્તવમાં, કાનપુરના પનકીમાં રહેતા એક પૂજારીનો ફોન આવ્યો હતો. ફોન કરનાર ઠગે પોતાને ભારતીય સેનાનો અધિકારી બોલી રહ્યો છે. તેણે પૂજારીને કહ્યું કે, લશ્કરની એક ટુકડી કાશ્મીર જઈ રહી છે અને તેના માટે પૂજા કરાવવાની છે. તમને પૂજા-પાઠના રૂપિયા આપવાના છે અકાઉન્ટની ડિટેલ મોકલી આપો. આ રીતે, ઠગે પૈસા આપવાના નામે પૂજારીનો અકાઉન્ટ નંબર લીધો અને પછી તેના અકાઉન્ટમાંથી પૈસા ઉડાવી લીધા. મીડિયા રિપોર્ટ મુજબ, કાનપુરના પનકીના રહેવાસી પૂજારી કૃષ્ણ બિહારી શુક્લા પૂજા-પાઠ અને રુદ્રાભિષેક કરે છે. ગત દિવસોમાં તેમની પાસે એક ફોન આવ્યો હતો. સામેવાળા વ્યક્તિએ કહ્યું કે તે કાનપુર કેન્ટથી સેનાનો અધિકારી બોલે છે. કોલરે ફોન પર પુજારીને કહ્યું કે, પહેલગામમાં થયેલી ઘટના બાદ કાનપુર કેન્ટથી સેનાની એક ટુકડીને કાશ્મીર જવાની છે. તેમના માટે રુદ્રાભિષેક પૂજા થવાની છે.

priest
aajtak.in

પૂજારીના જણાવ્યા મુજબ, કૉલરે પોતાના સેનાના મોટા અધિકારી પાસે પણ તેમની પાસે વીડિયો કોલ પણ કરાવડાવ્યો હતો અને પછી પૈસા આપવાના નામ પર તેમનો અકાઉન્ટ નંબર લઈ લીધો. ત્યારબાદ અકાઉન્ટમાંથી બધા પૈસા ગાયબ કરી દીધા. આખરે પૂજારીને ખ્યાલ આવી ગયો કે તે છેતરપિંડીનો શિકાર બની ગયો છે. હાલમાં, પૂજારીએ આ બાબતની ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં કરી દીધી છે. પૂજારીએ આરોપ લગાવ્યો છે કે, ઠગ તેને ધમકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તે પોલીસ પાસે જશે તો તેના આખા પરિવારને ખૂબ મોંઘુ પડશે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે આ મામલે કેસ નોંધી લેવામાં આવ્યો છે. પહેલગામ ઘટનાના નામ પર, સેનાના અધિકારી બનીને છેતરપિંડી કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.