પહેલગામ ઘટનાના નામે પૂજારી સાથે છેતરપિંડી, પૂજા-પાઠ કરાવવાના બહાને અકાઉન્ટમાંથી ઉડાવી દીધા પૈસા

એક તરફ, જ્યાં પહેલગામ ઘટનાને લઈને દેશવાસીઓમાં દુઃખ અને ગુસ્સો છે, તો કેટલાક લોકો આ ઘટનાના નામે છેતરપિંડી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુરથી પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. અહીં સાયબર ઠગોએ એક પૂજારીને નિશાનો બનાવ્યો છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.

priest
knewsindia.in

વાસ્તવમાં, કાનપુરના પનકીમાં રહેતા એક પૂજારીનો ફોન આવ્યો હતો. ફોન કરનાર ઠગે પોતાને ભારતીય સેનાનો અધિકારી બોલી રહ્યો છે. તેણે પૂજારીને કહ્યું કે, લશ્કરની એક ટુકડી કાશ્મીર જઈ રહી છે અને તેના માટે પૂજા કરાવવાની છે. તમને પૂજા-પાઠના રૂપિયા આપવાના છે અકાઉન્ટની ડિટેલ મોકલી આપો. આ રીતે, ઠગે પૈસા આપવાના નામે પૂજારીનો અકાઉન્ટ નંબર લીધો અને પછી તેના અકાઉન્ટમાંથી પૈસા ઉડાવી લીધા. મીડિયા રિપોર્ટ મુજબ, કાનપુરના પનકીના રહેવાસી પૂજારી કૃષ્ણ બિહારી શુક્લા પૂજા-પાઠ અને રુદ્રાભિષેક કરે છે. ગત દિવસોમાં તેમની પાસે એક ફોન આવ્યો હતો. સામેવાળા વ્યક્તિએ કહ્યું કે તે કાનપુર કેન્ટથી સેનાનો અધિકારી બોલે છે. કોલરે ફોન પર પુજારીને કહ્યું કે, પહેલગામમાં થયેલી ઘટના બાદ કાનપુર કેન્ટથી સેનાની એક ટુકડીને કાશ્મીર જવાની છે. તેમના માટે રુદ્રાભિષેક પૂજા થવાની છે.

priest
aajtak.in

પૂજારીના જણાવ્યા મુજબ, કૉલરે પોતાના સેનાના મોટા અધિકારી પાસે પણ તેમની પાસે વીડિયો કોલ પણ કરાવડાવ્યો હતો અને પછી પૈસા આપવાના નામ પર તેમનો અકાઉન્ટ નંબર લઈ લીધો. ત્યારબાદ અકાઉન્ટમાંથી બધા પૈસા ગાયબ કરી દીધા. આખરે પૂજારીને ખ્યાલ આવી ગયો કે તે છેતરપિંડીનો શિકાર બની ગયો છે. હાલમાં, પૂજારીએ આ બાબતની ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં કરી દીધી છે. પૂજારીએ આરોપ લગાવ્યો છે કે, ઠગ તેને ધમકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તે પોલીસ પાસે જશે તો તેના આખા પરિવારને ખૂબ મોંઘુ પડશે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે આ મામલે કેસ નોંધી લેવામાં આવ્યો છે. પહેલગામ ઘટનાના નામ પર, સેનાના અધિકારી બનીને છેતરપિંડી કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.