જ્વાલામુખી મંદિરમાં 2000ની કોઈ 400 નોટ નાખી ગયું, પેટીમાં 4 બંડલમાં 8 લાખ મળ્યા

હિમાચલ પ્રદેશના માં જ્વાલામુખી મંદિરમાંથી એક અજાણ્યા ભક્તે 8 લાખ રૂપિયાનું દાન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. માં જ્વાલામુખી મંદિરમાં 2000 રૂપિયાની લગભગ 400 નોટો ચઢાવવામાં આવી છે. જ્યારે મંદિરના અધિકારીઓએ શનિવારે દાન પેટીમાંથી રોકડ રકમની ગણતરી કરી ત્યારે તેમને 2,000 રૂપિયાની 100 નોટોના ચાર બંડલ મળ્યા. આવી સ્થિતિમાં માત્ર એક જ વ્યક્તિએ આ દાન કર્યું હોવાનું જાણવા મળે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ગત 19 મેના રોજ જાહેરાત કરી હતી કે, 2000 રૂપિયાની નોટ હવે ચલણમાં રહેશે નહીં. બીજા જ દિવસે એટલે કે 20 મેના રોજ એક અજાણ્યા ભક્તે મંદિર પરિસરમાં રાખેલઈ દાન પેટીમાં દાન સ્વરૂપે 2000 રૂપિયાની 400 નોટો ચઢાવી દીધી હતી. 21 મેના રોજ જ્યારે દાનપેટીને ગણતરી માટે ખોલવામાં આવી ત્યારે તેમાં 2000 રૂપિયાની નોટોના 4 બંડલ મળી આવ્યા હતા. દરેક બંડલમાં 100-100 નોટો હતી.

નયના દેવી મંદિરના અધિકારી વિપન ઠાકુરે જણાવ્યું કે, 19 મેના રોજ 2000ની નોટ બંધ કરવાની જાહેરાત થયા પછી 22મી મેની સાંજ સુધી 2000 રૂપિયાની 357 નોટો મંદિરમાં દાન કરવામાં આવી છે. બીજી તરફ માતા ચિંતપૂર્ણી મંદિરના અધિકારી બળવંત પટિયાલે જણાવ્યું કે, 19 મેથી 22 મે સુધી 164 નોટો દાન સ્વરૂપે મળી હતી.

શર્માએ કહ્યું કે, લોકો ઉનાળા દરમિયાન મોટી સંખ્યામાં જ્વાલાજી મંદિરની મુલાકાત લે છે અને રોકડ અને અન્ય વસ્તુઓના રૂપમાં દાન આપે છે. તેમણે કહ્યું, 'આ પહેલીવાર છે જ્યારે કોઈ ભક્તે આટલી વધારે સંખ્યામાં અને આટલી મોટી રકમ ચડાવી હોય. અમે બધા ભક્તોની સુખ શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.'

મંદિરના જુનિયર એન્જિનિયર સુરેશ કુમારે જણાવ્યું કે, આ રકમ ભક્તો દ્વારા આપવામાં આવી છે અને ઘણા મોટા મોટા ભક્તો માતાના દરબારમાં આવે છે, જેઓ ઘણીવાર માતાના ચરણોમાં મોટી મોટી ભેટ ચઢાવે છે અને માંના દરબારમાં ખુબ મોટી રકમનું દાન અર્પણ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કાઉન્સિલ જ્વાલામુખી મંદિરના અધ્યક્ષ ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિના સુધી બેંકમાં 2000ની નોટ બદલી શકાશે. આવી સ્થિતિમાં જો 2000ની નોટો માં જ્વાલામુખીના દરબારમાં આવશે તો ચોક્કસથી આ મંદિરને ફાયદો થશે. આ પૈસા મંદિરના વિકાસ કામો પાછળ ખર્ચવામાં આવશે.

અહીં તમને બતાવી દઈએ કે, રૂ.500 અને રૂ.1,000ની નોટો વ્યવહારમાંથી નાબૂદી થયા પછી અર્થતંત્રમાં ઝડપી ચલણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવેમ્બર 2016માં રૂ. 2,000ની નોટ રજૂ કરવામાં આવી હતી. RBIએ શુક્રવારે કહ્યું હતું કે, તેણે અવલોકન કર્યું છે કે, સામાન્ય રીતે 2,000 રૂપિયાની નોટોનો વ્યવહારમાં ઉપયોગ થતો નથી અને અન્ય મૂલ્યોની નોટોનો સ્ટોક લોકોની ચલણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.