દબાણ હતું તો કેવી રીતે બની શાળા-હૉસ્પિટલો? હલદ્વાનીના 4400 ઘર બચાવવાની લડાઇ SCમા

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના હલદ્વાનીમાં લગભગ 50,000 લોકોન મોટી રાહત આપી છે. કોર્ટે હલદ્વાનીમાં બનભૂલપૂરા વિસ્તાર રેલવેની જમીન પરથી દબાણ હટાવવાના હાઇ કોર્ટનાઆ આદેશ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે 7 દિવસમાં દબાણ દૂર કરવાનો નિર્ણય યોગ્ય નથી. સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કોલે કહ્યું કે, આ મામલાને માનવીય નજરે જોવો જોઈએ. તેમાં સમાધાનની જરૂરિયાત છે.

આરોપ છે કે, હલદ્વાનીમાં લગભગ 4,400 પરિવાર રેલવેની જમીન પર દબાણ કરીને રહે છે. ઉત્તરાખંડ હાઇ કોર્ટે રેલવેને 7 દિવસમાં દબાણ દૂર કરવાનો આદેશ આપ્યો છે. આજે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. બીજી તરફ હલદ્વાનીમાં દુઆઓનો દૌર ચાલી રહ્યો છે. સુનાવણી પહેલા આ કેસને લઇને ઘણા સવાલ ઉઠી રહ્યા છે. પહેલ સવાલ કે- જો જમીન પર દબાણ થયું તો પછી સરકારી હાઉસ ટેક્સ, વોટર ટેક્સ, વીજ બિલ કઇ રીતે લેતી રહી? બીજો સવાલ કે જો રેલવેની જમીન છે તો પછી સરકારે પોતે અહીં 3-3 સરકારી શાળા અને સરકારી હૉસ્પિટલ કઇ રીતે બનાવી દીધી?

ત્રીજો સવાલ કે સરકારી શાળા પણ ધ્વસ્ત થશે તો બાળકોને અસ્થાયી રૂપે ભણાવવાનું પ્રશાસન વિચારે છે અને હજારો લોકો બેઘર થઇને ક્યાં જશે? એ કેમ નથી વિચારવામાં આવતું? જ્યારે સરકારને પણ ખબર હોતી નથી કે જમીન રેલવેની છે કે સરકારી. તો પછી માત્ર જનતા જ શા માટે દબાણકારી છે? આ સવાલોના જવાબ મળવાના બાકી છે, પરંતુ પ્રશાસને પૂરી તૈયારી કરી લીધી છે. જેમના ઘરને દબાણ માનીને ઉત્તરાખંડ હાઇ કોર્ટના નિર્દેશ પર ધ્વસ્ત કરવા માટે રેલવેના અધિકારી તૈયારી કરી ચૂક્યા છે. મુલાકાત લઇ ચૂક્યા છે. પ્રશાસને કેટલી ફોર્સ મંગાવવી છે? એ નક્કી કરી લીધું છે.

14 કંપની પેરામિલિટ્રી CRPF માગવામાં આવી છે. પાંચ કંપની PACની લાગી છે અને જિલ્લા પ્રશાસન હવે 8 તારીખની રાહ જોઇ રહ્યું છે. આ કહાની હલદ્વાનીના 2.2 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગફૂર વસ્તી અને ઇન્દિરા નગરની છે, જ્યાં રહેતા લોકોને રેલવે નોટિસ જાહેર કરી ચૂક્યું છે કે 82.900 કિલોમીટરથી 80.170 રેલવેની કિલોમીટર વચ્ચે ગેરકાયદેસર દબાણ હટી જાય, નહીં તો દબાણ દૂર કરવામાં આવશે અને તેની કિંમત દબાણકારીઓ પર જ વસૂલવામાં આવશે.

રેલવેના જણાવ્યા મુજબ, વર્ષ 2013માં સૌથી પહેલા ગોલા નદીમાં ગેરકાયદેસર રેતી ખનને લઇને કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. 10 વર્ષ અગાઉ એ કેસમાં જાણવા મળ્યું કે, રેલવેના કિનારે રહેનારા લોકો જ ગેરકાયદેસર ખાનનમાં સામેલ છે. દાવો છે કે, હાઇ કોર્ટે રેલવેને પાર્ટી બનાવીને વિસ્તાર ખાલી કરાવવા કહ્યું છે. ત્યારે સ્થાનિક રહેવાસીઓએ વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના સ્થાનિકોને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે સ્થાનિક રહેવાસીઓને પણ દલીલ સાંભળવાનો નિર્દેશ આપ્યો છે. રેલવે દાવો કરે છે કે બધા પક્ષોની ફરી દલીલ સાંભળ્યા બાદ હાઇ કોર્ટે 20 ડિસેમ્બર 2022ના રોજ આક્રમણકારીઓને હટાવવાનો નિર્દેશ આપ્યો.

રેલવે દાવો કરે છે કે, તેની પાસે જૂના નકશા છે. વર્ષ 1959નું નોટિફિકેશન છે, વર્ષ 1971નો રેવેન્યૂ રેકોર્ડ છે અને વર્ષ 2017નો સરવે રિપોર્ટ છે, પરંતુ પોતાના હાથોમાં તમામ દસ્તાવેજો, જૂના કાગળ અને દલીલો સાથે લોકો સવાલ ઉઠાવે છે. સ્થાનિક લોકો કહે છે કે, રેલવેની જમીન પર અમે દબાણ કર્યું નથી. રેલવે અમારી પાછળ પડ્યું છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.