કોર્ટે દંડ ફટકાર્યાના બીજા જ દિવસે કેજરીવાલે ફરી PM મોદી પાસે ડિગ્રીની માગ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી  વિશે કોર્ટ અરજી દાખલ કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કોર્ટે તાજેતરમાં જ 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હવે ફરી એકવાર અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પાછુ PMની ડિગ્રી વિશે પુછ્યું છે. CM કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, કોઇનું ઓછું ભણવું અને અભણ હોવું એ ગુનો નથી કે પાપ નથી. આ જાણકારી મેં કેમ માંગી? દેશે 75 વર્ષમાં જેટલી પ્રગતિ કરવી જોઈતી હતી તેટલી થઈ નથી. 21મી સદીના યુવાનો ઝડપી પ્રગતિ ઈચ્છે છે. આવી સ્થિતિમાં દેશના PM માટે શિક્ષિત હોવું જરૂરી છે, પરંતુ PM તરફથી આવા નિવેદનો આવે છે કે જેમ ગટરમાં ગેસ નીકળે છે, તો તેમાંથી ચા બનાવી શકાય છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે,ગુજરાત હાઈકોર્ટે ગઇ કાલે આદેશ આપ્યો હતો કે લોકો PMનીશૈક્ષણિક લાયકાત વિશે માહિતી મેળવી શકતા નથી. આનાથી દેશ સ્તબ્ધ છે. કોઈ વ્યક્તિ શિક્ષિત કે અભણ હોય તે ગુનો નથી. આપણા દેશમાં ગરીબી છે, ઘરની પરિસ્થિતિને કારણે લોકો અભ્યાસ કરી શકતા નથી. દેશ આઝાદ થયાને 75 વર્ષ થઈ ગયા છે, આજે લોકો ઝડપી પ્રગતિ ઈચ્છે છે. આજના યુવાનો ઝડપથી વિકાસ કરવા માંગે છે.

આજના યુવાનો ઝડપથી પ્રગતિ કરવા માંગે છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન શિક્ષિત હોય તે જરૂરી છે. આપણે જ્યારે દરરોજ પ્રધાનમંત્રીના એવા નિવેદનો જોઈએ છીએ જે દેશને ખલેલ પહોંચાડે છે. તેમનું નિવેદન આવ્યું કે ડ્રેઇન ગેસમાંથી ચા બનાવી શકાય છે, રડાર વાદળોની પાછળના વિમાનને પકડી શકશે નહીં.  કોઇ શિક્ષિત વ્યક્તિ હોય તો આવી વાત ન કરે. એવું લાગે છે કે વિજ્ઞાન વિશેની તેમની જાણકારી ઘણી ઓછી છે.

કેનેડામાં તેમણે a+b વિશે શું કહ્યું તે બધાએ જોયું, તેમણે બાળકોને કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ કંઈ નથી, જ્યારે આ એક વાસ્તવિકતા છે, ત્યાં બાળકો હસતા હતા,  એવામાં શંકા પેદા થાય છે કે શું પ્રધાનમંત્રી શિક્ષિત છે? વડા પ્રધાને એક જ દિવસમાં સેંકડો નિર્ણયો લેવાના હોય છે, જો  તેઓ શિક્ષિત નહીં હોય તો અધિકારીઓ ગમે ત્યાં સહી કરાવી લેશે. જેમ નોટબંધી થઈ, GST લાગુ થયો, જેના કારણે અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ, એ જ રીતે કૃષિ કાયદા લાવવામાં આવ્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં, 60,000 શાળાઓ બંધ થઈ ગઈ છે, જેનો અર્થ છે કે શિક્ષણને યોગ્ય મહત્વ આપવામાં આવી રહ્યું નથી. અભણ દેશ કેવી રીતે પ્રગતિ કરશે?

CM કેજરીવાલે કહ્યું કે, હાઇકોર્ટના આદેશે પ્રધાનમંત્રીની શિક્ષા વિશેની શંકા વધારી દીધી છે. જો તેમની પાસે ડિગ્રી છે અને સાચી છે તો પછી બતાવવામાં કેમ નથી આવતી? થોડા સમય પહેલા અમિત શાહે ડિગ્રી બતાવી હતી. બની શકે કે તેઓ અહંકારમાં આવીને ડિગ્રી ન બતાવતા હોય. જનતાના મનમાં બીજો પ્રશ્ન એ છે કે ડિગ્રી નકલી હોઈ શકે છે. વડાપ્રધાને દિલ્હી કે ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હોય તો તેમણે એ વાત સેલિબ્રેટ કરવી જોઇએ. આજનો સવાલ એ છે કે શું 21મી સદીના વડાપ્રધાન ભણેલા ન હોવા જોઈએ?

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.