પોલીસ અધિકારીએ 15 કલાકમાં 30 લાખ ભેગા કરીને દુલ્હનને પરણાવી, કારણ કે..

રાજસ્થાનના એક પોલીસ અધિકારીએ જે કામ કર્યું છે તે ખરેખર કાબિલેદાદ છે. લગ્નના એક દિવસ પહેલાં જ એક પરિવારનું આખું ઘર સળગી જતા બધા સામાન ખાખ થઇ ગયો હતો, દુલ્હનના સપના પણ વેરણ છેરણ થઇ ગયા હતા, પરંતુ ઘણી વખત લોકો કહેતા હોય છે કે ભગવાન કે ઘર દેર હૈ, પર અંધેર નહી.એક પોલીસ અધિકારીએ માત્ર 15 કલાકમાં સોશિયલ મીડિયાની મદદથી 30 લાખ રૂપિયા ભેગા કરીને યુવતીને રંગેચંગે પરણાવી હતી.

સોશિયલ મીડિયા હોવાના ઘણા ફાયદા છે. જરૂર પડે તો આના દ્વારા કોઈની મદદ કરી શકાય છે અથવા કોઈની મદદ લઈ શકાય છે. આનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું, જ્યાં એક પોલીસ અધિકારીએ સોશિયલ મીડિયાની મદદથી એક યુવતીની જિંદગીની માવજત કરી છે. મળતી માહિતી મુજબ, એક યુવતીના લગ્નના એક દિવસ પહેલા તેના ઘરમાં આગ લાગી હતી, જેના કારણે ઘરનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આ સાથે તેના લગ્નના સપના પણ આ જ આગમાં ખાખ થઇ ગયા હતા.. આવી સ્થિતિમાં એક પોલીસ અધિકારીએ સોશિયલ મીડિયા દ્વારા યુવતી માટે પૈસા એકઠા કર્યા અને તેને વાજતે ગાજતે પરણાવી.

રાજસ્થાનના દૌસામાં 17 મેના રોજ એક છોકરીના લગ્ન હતા અને તેના એક દિવસ પહેલા શોર્ટ સર્કિટના કારણે તેના ઘરમાં આગ લાગી હતી. લગ્નનો તમામ સામાન અને ઘરનો બાકીનો સામાન પણ બળીને રાખ થઈ ગયો હતો. યુવતીના પિતાનું સાત વર્ષ પહેલા બીમારીથી મૃત્યુ થયું હતું. તેની માતા એકલા હાથે તેની પુત્રી અને બે પુત્રોનું ધ્યાન રાખી રહી છે.

આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ મહમના SP હેમેન્દ્ર મીણાએ આ પરિવારને મદદ કરવાનું બીડું ઝડપી લીધું હતું. તેમણે સોશિયલ મીડિયા પર આખી ઘટનાનું વર્ણન કરીને લોકોને મદદ માટે અપીલ કરી હતી.

પોલીસ અધિકારીએ અપીલ કરતાની સાથે મદદનો ધોધ વહેવા માંડ્યો અને માત્ર 15 કલાકમાં જ 30 લાખ રૂપિયા ભેગા થઇ ગયા હતા. પૈસાની મદદ મળી જતા યુવતીના નક્કી કરેલા સમયે લગ્ન થઇ શક્યા હતા. લગ્નના ખર્ચ પછી જે રકમ બચશે તેમાંથી યુવતીની માતા ઘર બનાવી શકશે.

પોલીસ અધિકારીના આ સરાહનીય કાર્યની સોશિયલ મીડિયા પર લોકો  ભારે પ્રસંશા કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.