'રામ કરે પ્રણામ...'ભગવાન રામનું પાત્ર ભજવતા અભિનેતાને સ્ટેજ પર હાર્ટ એટેક આવ્યો

નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. આવી સ્થિતિમાં અનેક જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીના શાહદરા વિસ્તારમાં નવરાત્રીના અવસર પર રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા અભિનેતાને અચાનક છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ સુશીલ કૌશિક તરીકે થઈ છે, જે વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો. સુશીલ વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો.

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે સુશીલ કૌશિક ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે અને યોગ્ય રીતે ડાયલોગ્સ બોલી રહ્યો છે. રામલીલામાં આ સમય દરમિયાન, ભગવાન રામ કોઈને પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ તે દરમિયાન તેમને તેમના હૃદયમાં દુખાવો ઉપડે છે અને અચાનક તેમને કંઈક અજુગતું અનુભવાય છે, તેઓ તેમના હૃદય પર હાથ મૂકે છે અને અચાનક તે મંચ પરથી પાછળની તરફ ચાલ્યા જાય છે. આ સમગ્ર ઘટના રામલીલા જોવા આવેલા દર્શકોના ફોન કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સુશીલ કૌશિકને સ્ટેજ પર જ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી તેને ખુબ જ જલ્દીથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 45 વર્ષીય સુશીલ કૌશિક વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતા, પરંતુ તે ભગવાન રામના પરમ ભક્ત હતા અને રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવતા હતા.

રામલીલા દરમિયાન કલાકારને હાર્ટ એટેક આવ્યા પછી દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કોરોના વેક્સીન પર સવાલ ઉઠાવ્યા છે. ટ્વીટ કરીને તેમણે કહ્યું કે, એવી ચર્ચા ચાલી રહી છે કે, કોરોના રસીના કારણે ભારતમાં આવા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે, જ્યાં યુવાનો હાલતા ચાલતા હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહ્યા છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે સ્વર્ગસ્થ S.K. કૌશિકનો પુત્ર સુશીલ કૌશિક શાહદરાના વિશ્વકર્મા નગર વિસ્તારના શિવ ખંડનો રહેવાસી હતો. ભગવાન રામનું પાત્ર ભજવતી વખતે અચાનક જ હાર્ટ એટેક આવવાથી તેમનું અવસાન થયું. આ રામલીલાનું આયોજન જય શ્રી રામલીલા વિશ્વકર્મા નગર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

About The Author

Top News

ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ આ બધા વચ્ચે, નાથેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી...
Astro and Religion 
ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.