- National
- બદલવામાં આવ્યું જમા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ, યોગીની ટ્વીટનો ઉલ્લેખ કરી..
બદલવામાં આવ્યું જમા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ, યોગીની ટ્વીટનો ઉલ્લેખ કરી..

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગ્રાના એક મેટ્રો સ્ટેશનનું નામ બદલવાની જાહેરાત કરી દીધી છે. બુધવાર 26 જુલાઇના રોજ યોગી આદિત્યનાથે આગ્રા અને મથુરાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમને ફતેહાબાદ સ્થિત તાજ ઈસ્ટ ગેટના મેટ્રો સ્ટેશન પર મેટ્રોની હાઇ સ્પીડ ટ્રાયલ રનનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ બદલવાની જાહેરાત કરી દીધી હતી. આગ્રા મેટ્રો પ્રોજેક્ટના કાયમનું નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કામના વખાણ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, આગ્રા મેટ્રો રેલ પરિયોજનાના કામની સમય સીમા ઑગસ્ટ 2024 રાખવામાં આવી હતી, પરંતુ જેટલી તેજીથી કામ ચાલી રહ્યું છે તેનાથી લાગે છે કે તે ફેબ્રુઆરી 2024માં જ બનીને તૈયાર થઈ જશે. ટ્રાયલ રનની શરૂઆત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ બદલીને મનકામેશ્વર મંદિર સ્ટેશન કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિર્ણય પર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
कौआ अपना नाम हंस रख ले तो भी मोती नहीं चुगेगा।
— Yogi Adityanath (@myogiadityanath) July 25, 2023
अमावस्या की काली रात को पूर्णिमा का नाम देने से वह शीतल और प्रकाशवान नहीं हो जाएगी।
नाम बदलने से इनका मूल स्वभाव नहीं बदल जाएगा।
ऐसे ही I.N.D.I.A. नाम लगा लेने से आत्मा और संस्कार में रची-बसी विभाजनकारी सोच और भारत विरोधी दृष्टि…
વિકી નામના ટ્વીટર યુઝરે લખ્યું કે, શુભેચ્છા ઉત્તર પ્રદેશવાળાઓ, બસ એવી જ રીતે વિકાસ કરીશું, મજા લો. અર્પણા નામના યુઝરે લખ્યું કે, જે કાલ સુધી અન્ય લોકોને નામ બદલવા પર સલાહ આપતા હતા, આજે જોયું તો પોતે જ નામ બદલી દીધા. એક અન્ય યુઝરે લખ્યું કે, એક દિવસ અગાઉ યોગીએ કહ્યું હતું કે, કાગડાનું નામ હંસ રાખી દો તો તેનો સ્વભાવ નહીં બદલાઈ જાય. મહેશ કુમાર નામના યુઝરે લખ્યું કે, મુખ્યમંત્રી મહોદય નામ બદલાવાથી સ્થિતિ બદલાતા નથી, સ્થિતિ બદલવી હોય તો પોતાને બદલો, પોતાની દિનચર્યા બદલો. પોતાની કામ કરવાની રીત બદલો.
વિક્રાંત નામના ટ્વીટર યુઝરે લખ્યું કે, થોડા દિવસ અગાઉ યોગીજી બોલી રહ્યા હતા કે નામ બદલવાથી ભાગ્ય બદલાતું નથી, તો સ્ટેશનનું નામ બદલવાનો શું ફાયદો? તો કેટલાક લોકોએ ટ્વીટ કરીને કહ્યું કે, મોટી સંખ્યામાં લોકોએ આ સ્ટેશનનું નામ બદલવાની માગ કરી હતી, મુખ્યમંત્રી યોગીજીએ તેને ધ્યાનમાં લીધું તેના માટે આભાર.
ઉલ્લેખનીય છે કે, વિપક્ષના ગઠબંધન UPAમાંથી I.N.D.I.A. રાખવા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘કાગડો પોતાનું નામ હંસ રાખી લે તો પણ મોટી નહીં વણે. અમાસની કાળી રાતને પૂર્ણિમાનું નામ બદલવાથી તે શીતળ અને પ્રકાશવાન નહીં થઈ જાય. નામ બદળવાથી તેનો મૂળ સ્વભાવ નહીં બદલાઈ જાય. એવામાં I.N.D.I.A. નામ લગાવવાથી આત્મા અને સંસ્કારમાં રચેલી-વસેલી વિભાજનકારી વિચાર અને ભારત વિરોધી દૃષ્ટિ સમાપ્ત નહીં થાય. એવામાં હવે લોકો આગ્રાના મેટ્રો સ્ટેશનનું નામ બદલવાની જાહેરાત થઈ તો લોકો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેનો જ સંદર્ભ આપીને કટાક્ષ કરવા લાગ્યા.
Related Posts
Top News
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર
Opinion
