બદલવામાં આવ્યું જમા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ, યોગીની ટ્વીટનો ઉલ્લેખ કરી..

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગ્રાના એક મેટ્રો સ્ટેશનનું નામ બદલવાની જાહેરાત કરી દીધી છે. બુધવાર 26 જુલાઇના રોજ યોગી આદિત્યનાથે આગ્રા અને મથુરાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમને ફતેહાબાદ સ્થિત તાજ ઈસ્ટ ગેટના મેટ્રો સ્ટેશન પર મેટ્રોની હાઇ સ્પીડ ટ્રાયલ રનનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ બદલવાની જાહેરાત કરી દીધી હતી. આગ્રા મેટ્રો પ્રોજેક્ટના કાયમનું નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કામના વખાણ કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે, આગ્રા મેટ્રો રેલ પરિયોજનાના કામની સમય સીમા ઑગસ્ટ 2024 રાખવામાં આવી હતી, પરંતુ જેટલી તેજીથી કામ ચાલી રહ્યું છે તેનાથી લાગે છે કે તે ફેબ્રુઆરી 2024માં જ બનીને તૈયાર થઈ જશે. ટ્રાયલ રનની શરૂઆત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ બદલીને મનકામેશ્વર મંદિર સ્ટેશન કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિર્ણય પર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

વિકી નામના ટ્વીટર યુઝરે લખ્યું કે, શુભેચ્છા ઉત્તર પ્રદેશવાળાઓ, બસ એવી જ રીતે વિકાસ કરીશું, મજા લો. અર્પણા નામના યુઝરે લખ્યું કે, જે કાલ સુધી અન્ય લોકોને નામ બદલવા પર સલાહ આપતા હતા, આજે જોયું તો પોતે જ નામ બદલી દીધા. એક અન્ય યુઝરે લખ્યું કે, એક દિવસ અગાઉ યોગીએ કહ્યું હતું કે, કાગડાનું નામ હંસ રાખી દો તો તેનો સ્વભાવ નહીં બદલાઈ જાય. મહેશ કુમાર નામના યુઝરે લખ્યું કે, મુખ્યમંત્રી મહોદય નામ બદલાવાથી સ્થિતિ બદલાતા નથી, સ્થિતિ બદલવી હોય તો પોતાને બદલો, પોતાની દિનચર્યા બદલો. પોતાની કામ કરવાની રીત બદલો.

વિક્રાંત નામના ટ્વીટર યુઝરે લખ્યું કે, થોડા દિવસ અગાઉ યોગીજી બોલી રહ્યા હતા કે નામ બદલવાથી ભાગ્ય બદલાતું નથી, તો સ્ટેશનનું નામ બદલવાનો શું ફાયદો? તો કેટલાક લોકોએ ટ્વીટ કરીને કહ્યું કે, મોટી સંખ્યામાં લોકોએ આ સ્ટેશનનું નામ બદલવાની માગ કરી હતી, મુખ્યમંત્રી યોગીજીએ તેને ધ્યાનમાં લીધું તેના માટે આભાર.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષના ગઠબંધન UPAમાંથી I.N.D.I.A. રાખવા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘કાગડો પોતાનું નામ હંસ રાખી લે તો પણ મોટી નહીં વણે. અમાસની કાળી રાતને પૂર્ણિમાનું નામ બદલવાથી તે શીતળ અને પ્રકાશવાન નહીં થઈ જાય. નામ બદળવાથી તેનો મૂળ સ્વભાવ નહીં બદલાઈ જાય. એવામાં I.N.D.I.A. નામ લગાવવાથી આત્મા અને સંસ્કારમાં રચેલી-વસેલી વિભાજનકારી વિચાર અને ભારત વિરોધી દૃષ્ટિ સમાપ્ત નહીં થાય. એવામાં હવે લોકો આગ્રાના મેટ્રો સ્ટેશનનું નામ બદલવાની જાહેરાત થઈ તો લોકો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેનો જ સંદર્ભ આપીને કટાક્ષ કરવા લાગ્યા.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 07-06-2025 દિવસ: શનિવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર
Copyright (c) Khabarchhe All Rights Reserved.