PM ISROના વૈજ્ઞાનિકોને મળતા શાહે કહ્યુ-સાચો નેતા દરેક સ્થિતિમાં લોકોની પડખે રહે

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું છે કે સાચો નેતા દરેક પરિસ્થિતિમાં તેના લોકોની પડખે રહે છે. X પરની તેમની પોસ્ટ્સની શ્રેણીમાં, અમિત શાહે કહ્યું કે PM નરેન્દ્ર મોદી ભારતના સફળ ચંદ્ર મિશન ચંદ્રયાન 3 સાથે સંકળાયેલા ISROના વૈજ્ઞાનિકોને મળવા આજે સવારે ગ્રીસથી સીધા જ બેંગલુરુ પહોંચ્યા. બેંગલુરુમાં વૈજ્ઞાનિકોને તેમનું પ્રેરણાદાયી સંબોધન એ ભારતની આકાશને આંબી દેનારી સિદ્ધિની નિશાની હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે 23 ઓગસ્ટ એ ભારત માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે તે તેના ચંદ્ર મિશન ચંદ્રયાન 3 ની સિદ્ધિ દર્શાવે છે. PM નરેન્દ્ર મોદીએ આજે તેને 'રાષ્ટ્રીય અવકાશ દિવસ' તરીકે જાહેર કર્યો, જેથી આ મિશન પાછળના ભારતીય વૈજ્ઞાનિકોની સફળતાની ગાથા આવનારી દરેક પેઢી સુધી પહોંચે. આ નિર્ણય ભારતીય વૈજ્ઞાનિકોને 'ત્રિરંગા'ના ગૌરવને ઊંચો રાખીને અવકાશ સંશોધનના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે પ્રેરણા આપતો રહેશે.

 અમિત શાહે કહ્યું કે આપણા વૈજ્ઞાનિકોએ ભારતના ચંદ્ર મિશનની ઐતિહાસિક સફળતા સાથે અમીટ છાપ છોડી છે. આ સિદ્ધિની ઉજવણી કરવા માટે, PM નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ના ઉતરાણ સ્થળને 'શિવ શક્તિ' નામ આપ્યું છે અને 'કોઈપણ નિષ્ફળતા કાયમી નથી' એ યાદ અપાવવા માટે ચંદ્રયાન-2 જ્યાં પડ્યું તે સ્થળને 'ત્રિરંગો' નામ આપ્યું છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.