પાકિસ્તાન ગયેલી અંજુને હવે ભારત પાછા આવવું છે, કહ્યું- પાકિસ્તાનમાં ખુશ છું પણ..

પોતાના પતિ અને 2 બાળકોને છોડીને પાકિસ્તાનમાં નસરુલ્લા સાથે લગ્ન કરનાર ભારતની અંજુનું મન હવે ભરાઇ ગયું લાગે છે.અંજુએ કહ્યું કે હવે મારે ભારત પાછા આવવું છે, અહીં હું દુખી થઇ ગઇ છું,મારા બાળકો મને બહુ યાદ આવે છે.અંજુએ કહ્યું કે મારા કારણે મારા પરિવારે ભારે અપમાન સહન કરવું પડ્યું છે, એટલે દુખી છું. મારે મારા બાળકોને મળવું છે.

રાજસ્થાનના અલવરથી પાકિસ્તાન ગયેલી અંજુના હવે અચાનક સૂર બદલાયા છે.હવે અંજુને ભારત પાછા આવવું છે.BBCના એક રિપોર્ટ મુજબ, અજુંએ કહ્યુ છે કે અત્યારે તે પાકિસ્તાનમાં આમ તો ખુશ છે. બધા તેનો સારી રીતે ખ્યાલ રાખી રહ્યા છે,પરંતુ હવે મારે ભારત જવું છે, મારા બાળકોની મને બહું ચિંતા થઇ રહી છે.

અંજુએ કહ્યું કે તે ભારત પાછી ફરીને બધા સવાલોનો સામનો કરવા તૈયાર છે. જે પ્લાનિંગ સાથે હું આવી હતી,  મેં વિચારેલું  કઇંક હતું અને કઇંક જુદુ જ થઇ ગયું. ઉતાવળમાં મારાથી ભૂલ થઇ ગઇ. અહીં જે કઇં પણ થયું તેને કારણે ભારતમાં મારા પરિવારે ભારે સહન કરવાનું આવ્યું, તેમણે અપમાન સહન કર્યા. આ બધું મારે કારણે થયું, એટલે હું એકદમ દુખી છું. હું એટલે પણ દુખી છે કે મારા બાળકોના મગજમાં મારા માટે શું ઇમેજ બની હશે?

અંજુએ ક્હયું કે હું કોઇ પણ રીતે ભારત જવા માંગુ છે અને દરેક લોકોના સવાલોના જવાબ આપીશ. હું મારી પોતાની મરજીથી પાકિસ્તાન આવી છું અને મને અહીં સારી રીતે રાખવામાં આવે છે.

પાકિસ્તાન આવવાનો મારા વ્યક્તિગત નિર્ણય હતો, પરંતુ  આ વાત આટલી વણસી જશે તેનો મને અંદાજ નહોતા. હવે બધું નોર્મલ થયા પછી ભારત જવા માંગું છુ અને ખાસ કરીને મારા નાના બાળકને મારે પાછું મેળવવાનું છે.

ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુને લઇને એવા સમાચાર સામે આવ્યા હતા કે તેના વીઝાનો સમય વધારી દેવામાં આવ્યો છે, પરંતુ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે અંજુના વીઝાનો સમયગાળો વધ્યો નથી. અંજુના પાકિસ્તાની પતિ નસરુલ્લાહે કહ્યું કે, વીઝા લંબાવવા માટે અરજી કરી હતી, પરંતુ હજુ સુધી કોઇ જવાબ મળ્યો નથી. પોલીસે પણ કહ્યુ કે તેમને એવા કોઇ દસ્તાવેજો મળ્યા નથી, જેમાં અંજૂના વીઝા વધારવામાં આવ્યા હોય. અંજુના વીઝા 31 ઓગસ્ટ સુધીના છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.