આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની સરકારે છેલ્લા 4 નાણાકીય વર્ષમાં જાહેરાતો પાછળ 370 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. માહિતી અને જનસંપર્ક મંત્રી પીયૂષ હજારિકાએ બુધવારે વિધાનસભામાં આ જાણકારી આપી હતી. હજારિકાએ કહ્યું હતું કે, વર્ષ 2016 થી વર્ષ 2021 સુધી આસામના મુખ્યમંત્રી રહેલા સર્બાનંદ સોનોવાલની આગેવાની હેઠળની સરકારે 5 નાણાકીય વર્ષમાં જાહેરાતો પાછળ 125.6 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

Himanta-Biswa-sharma1
sundayguardianlive.com

હજારિકાએ કોંગ્રેસના ધારાસભ્ય અબ્દુલ બતિન ખાંડાકરને આપેલા લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, વર્તમાન ભાજપ સરકારે વર્ષ 2021-22 થી છેલ્લા 4 નાણાકીય વર્ષમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને આઉટડોર મીડિયામાં જાહેરાતો પાછળ કુલ 372.33 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. શર્માએ મે 2021માં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની બીજી સરકારના મુખ્યમંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. હજારિકાએ કહ્યું કે સોનોવાલ સરકારે 2020-21માં 30.24 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે હિમંતા બિસ્વા શર્માએ બીજી વખત સરકાર બન્યા પછીના વર્ષે જાહેરાતો પાછળ 72.83 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

વિધાનસભામાં જાણકારી આપવામાં આવી હતી કે ત્યારબાદની અવધિમાં, શર્મા સરકારે દર વર્ષે જાહેરાતના ખર્ચમાં વધારો કર્યો અને વર્ષ 2022-23માં 78.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે 2023-24માં 160.92 કરોડ રૂપિયા. હજારિકાએ કહ્યું કે, જો કે, નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં સરકાર દ્વારા વિવિધ પ્રકારની જાહેરાતો પાછળ 59.72 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા છે.

મંત્રીએ અપક્ષ ધારાસભ્ય અખિલ ગોગોઈના એક સવાલ માટે અલગથી આપેલા જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે, આસામ સરકારે પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના શાસનના છેલ્લા નાણાકીય વર્ષ 2015-16માં જાહેરાતો પાછળ 18.58 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

રેલવે સ્ટેશન પર 3 વર્ષમાં 1500 બાળકોને બચાવ્યા, સરકારે મહિલા RPF PIને મોટું સન્માન આપ્યું

ભારત સરકારે  રેલવે પ્રોટેકશન ફોર્સ (RPF)ના PI ચંદના સિંહાને મોટું સન્માન આપ્યું છે.જૂન 2024માં ચંદનાને 'ઓપરેશન...
National 
રેલવે સ્ટેશન પર 3 વર્ષમાં 1500 બાળકોને બચાવ્યા, સરકારે મહિલા RPF PIને મોટું સન્માન આપ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.