ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર પ્રસાદની ધરપકડ, જાણો આખો મામલો

બિહારના સાસારામમાં રામનવમીના દિવસે થયેલી હિંસાના મામલામાં રોહતાસ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં રોહતાસ પોલીસે BJPના પૂર્વ MLA જવાહર પ્રસાદની ધરપકડ કરી છે. શુક્રવારે રાત્રે પોલીસ જવાહર પ્રસાદના ઘરે પહોંચી અને ત્યારબાદ તેની ધરપકડ કરી. જવાહર પ્રસાદ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડીને પોલીસે કહ્યું કે, '28 એપ્રિલ સુધી પોલીસે 63 લોકોની ધરપકડ કરી છે અને 31 માર્ચે સાસારામ શહેરમાં થયેલા સાંપ્રદાયિક અશાંતિના સંબંધમાં બે આરોપીઓએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. 28 એપ્રિલની રાત્રે કોર્ટમાંથી મળેલા બિનજામીનપાત્ર વોરંટનો અમલ કરતી વખતે આ કેસના પ્રાથમિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જવાહર પ્રસાદ, અસીમ નંદીનો સમાવેશ થાય છે. બંનેની ધરપકડ કર્યા બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

સાસારામ રમખાણોમાં BJPના પૂર્વ ધારાસભ્યની ધરપકડ પર બોલતા CM નીતિશ કુમારે કહ્યું કે, જો કોઈ દોષિત હશે તો તેની તપાસ થશે અને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, બિહારમાં બે જગ્યાએ થયેલા રમખાણો પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. જે લોકો દોષિત હશે, તેઓ કોઈપણ પક્ષના હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

બિહાર પોલીસ દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે, શનિવારે આ સંબંધમાં 12 આરોપીઓ વિરુદ્ધ જાહેરાત પણ આપવામાં આવશે. જ્યારે બાકીના 38 આરોપીઓ કે, જેમના બિનજામીનપાત્ર વોરંટ કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, તેમની ધરપકડ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, બિહારના નાલંદા અને સાસારામમાં રામ નવમી બાદ હિંસા ફાટી નીકળી હતી. નગર પોલીસ સ્ટેશન વિસ્તારના સહજલાલ પીર વિસ્તારમાં બંને પક્ષો વચ્ચે તણાવ બાદ પથ્થરમારો અને બોમ્બ ધડાકાની ઘટના સામે આવ્યા બાદ તણાવ ફેલાયો હતો.

સાસારામ અને બિહાર શરીફમાં રામ નવમીના દિવસે હિંસા ફાટી નીકળી હતી. આ પછી સાસારામમાં બોમ્બ વિસ્ફોટ અને અનેક રાઉન્ડ ફાયરિંગની ઘટનાઓ પણ બની હતી. બિહારશરીફ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે સાસારામમાં છ લોકો ઘાયલ થયા હતા. વીડિયો ફૂટેજના આધારે કાર્યવાહી કરીને નાલંદા પોલીસે 263 લોકોની ધરપકડ કરી હતી. બગડેલી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની સાથે સાથે કલમ 144 લગાવવી પડી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.