રાષ્ટ્રપતિની તુલના શબરી અને PM મોદીની તુલના રામ સાથે, ભાજપ નેતાનો વીડિયો વાયરલ

સંસદમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના અભિભાષણ પર ચર્ચા ચાલી રહી છે, સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ તેની પર ચર્ચા કરી રહ્યા છે. જો કે મોટાભાગનો સમય હંગામામાં જ જઇ રહ્યો છે. આ દરમિયાન રાજસ્થાનના ચિતૌડગઢના ભાજપના સાંસદ સી.પી. જોશીના એક નિવેદનની ભારે ચર્ચા થઇ રહી છે. તેમણે સંસદમાં બોલતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણી ભગવાન રામની સાથે અને રાષ્ટ્રપતિની સરખામણી શબરી સાથે કરી નાંખી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેની પર કમેન્ટ કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના અભિભાષણ પરની ચર્ચા વખતે ભાજપના સાંસદ સી.પી. જોશીએ કહ્યું કે ત્રેતાયુહમાં માતા શબરી ભગવાન રામના સ્વાગત માટે આતુર હતી. એ જ રીતે જ્યારે રાષ્ટ્રપતિ મેડમ સંસદમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે ભગવાન રામ માતા શબરીના સ્વાગત માટે સંસદના દરવાજે ઉભા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું કે, દલિત head of state” પણ બની જાય તો પણ વધારેમાં વધારે તેમને શબરી બનાવી દેવામાં આવે છે. આ કરશે દલિતોના સન્માનની વાતો, હદ છે. તો એક યૂઝરે લખ્યું કે કોઇની ભાવનાને ઠેસ પહોંચી કે નહીં? એક યૂઝરે લખ્યું કે ચોકીદાર બનવા આવ્યા હતા, રાષ્ટ્રપતિને શબરી અને પોતાને તેમના ‘પ્રભુ’ બનાવી દીધા. આનાથી વધુ વડાપ્રધાનની પ્રગતિ અને રાષ્ટ્રપતિની અધોગતિ શું હશે? એક યુઝરે કહ્યું કે આવી વાત કરવા માટે તેમને ભારત રત્ન મળવો જોઈએ.

એક યૂઝરે લખ્યું કે આમા અચરજની કોઇ વાત નથી, રાજાને હંમેશા એવા જ દરબારી અને સંતરી સારા લાગતા હોય છે. જે રાજાની હંમેશા કૂરનીશ બજાવતા હોય, ભલે તેમાં હડહડતું જૂઠાણું કેમ ન હોય. એક યૂઝરે લખ્યું કે આ સાંસદે તો ચાપલૂસીના બધા રેકોર્ડ તોડી નાંખ્યા, અમારા રાજસ્થાનના જોશીને સ્પીડમાં છે તેમને જલ્દી મંત્રી પદ જોઇએ છે.

એ પછી સાંસદ સી. પી. જોશીએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી દેશને આગળ ધપાવવા માટે દુરંદેશીથી કામ કરી રહ્યા છે. આજે આપણું સૌભાગ્ય છે કે PM મોદીને કારણે દેશ G-20ની આગેવાની કરી રહ્યું છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સી.પી .જોશીએ કોંગ્રેસના ગોપાલ સિંહ શેખાવતને 5 લાખ 76 હજાર મતથી હરાવ્યા હતા.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.