ભાજપે સંજય રાઉતને કહ્યા આધુનિક શકુની, જણાવ્યું કારણ

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારના રાજીનામાં બાદ જ મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે NCPના રાષ્ટ્રીય મહાસચિવ જિતેન્દ્ર આવ્હાડે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી પણ સતત નિવેદન સામે આવી રહ્યા છે. હવે ભાજપે સંજય રાઉતને પવાર પરિવારમાં ફૂટ પાડવા માટેના જવાબદાર ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે, ઠાકરે પરિવારમાં પણ સંજય રાઉતે જ ફૂટ નાખી હતી.

ભારતીય જનતા પાર્ટીના નેતા નિતેશ રાણાએ કહ્યું કે, શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ જે સંજય રાઉતે ટ્વીટ કરી તે તેના પુરાવા છે કે, જે તેમનો એજન્ડા હતો તે પૂરો થઈ ગયો. તે શરદ પવારને મળવા પણ ન ગયા. માત્ર વાતો જ મોટી મોટી કરી રહ્યા હતા. અહી સુધી કે નિતેશ રાણાએ સંજય રાઉતને આધુનિક શકુની મામા પણ કહી દીધા. નિતેશ રાણાએ કહ્યું કે, મહારાષ્ટ્રની રાજનીતિમાં શકુની મામાની એન્ટ્રી થઈ ગઈ છે. સંજય રાઉત આજના જમાનાના શકુની મામા છે. જે રાઉતનું કામ હતું તે તેમણે પૂરું કરી લીધું છે.

તેમણે આગળ કહ્યું કે, અજીત પવારને સતત ટારગેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ જે કાલે જે થયું તે પણ બધાએ જોયું. એવી જ રીતે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે પણ સંજય રાઉતે જ આગ લગાવવાનું કામ કર્યુ હતું. જ્યારે બધુ બરાબર હતું, એ છતા સંજય રાઉતે સતત અજીત પવાર વિરુદ્ધ નિવેદનબાજી કરી. એવી વાતો કહી જેથી ખોટો સંદેશ પાર્ટીના હાઇકમાન સુધી પહોંચે. સંજય રાઉતના નિવેદનોના કારણે હવે આટલું બધુ જોવું પડી રહ્યું છે. રાઉતની રોજી રોટી આવા કામોથી ચાલે છે.

શરદ પવાર દ્વારા રાજીનામું પાછું લેવા પર સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે ટ્વીટ કરી કે ‘એક સમય હતો જ્યારે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ પણ રાજનીતિના કારણે શિવસેના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. શરદ પવારે પણ એમ જ કર્યું છે, પરંતુ જનાક્રોશના કારણે બાળાસાહેબ ઠાકરેને પોતાનું રાજીનામું પાછું લેવું પડ્યું હતું. શરદ પવાર દેશની રાજનીતિ અને સામાજિક સરોકારની શ્વાસ છે.’

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.