ત્રિપુરામાં ભાજપે બીજી વાર સત્તા તો મેળવી, પરંતુ વોટ શેર અને સીટ ઘટી

ત્રિપુરા વિધાનસભા 2023ની ચૂંટણીના 2 માર્ચે જાહેર થયેલા પરિણામમાં ભાજપે લગાતાર બીજી વખત જીત મેળવી છે. આ વખતે ચૂંટણીના પરિણામોમાં ભાજપે બહુમતી તો મેળવી છે, પરંતુ કેટલાંક પાસાઓ એવા પણ રહ્યા જેમાં ભાજપે પછડાટ ખાધી છે. અગાઉની ત્રિપુરા વિધાનસભાની સરખામણીએ આ વખતે ભાજપની બેઠકો ઘટી છે અને સાથે વોટ શેર અને એવરેજ જીત માર્જિનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

ત્રિપુરાની 60 સભ્યો વાળી વિધાનસભામાં  વર્ષ 2018માં ભાજપે 4,606ના એવરેજ જીતના અંતર સાથે 35 બેઠકો પર જીત મેળવી હતી અને તે વખતે ભાજપનો વોટ શેર 43.59 ટકા હતો. જ્યારે વર્ષ 2023ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 32 બેઠકો મળી છે, મતલબ કે 3 બેઠકોનું ભાજપને નુકશાન થયું છે. બીજું કે એવરેજ જીતનું અંતર પણ 3458 રહ્યું. વોટ શેર પણ 38.97 ટકા રહ્યો જે  વર્ષ 2018માં 43.59 ટકા હતો.

જો કે, ભાજપ 2023 માં 21 બેઠકો સાથે બીજા ક્રમે આવી હતી જ્યારે 2018 માં 16 બેઠકો હતી, જે ચોક્કસપણે પાર્ટીના પાયાના વિસ્તરણને દર્શાવે છે. ભાજપના સહયોગી ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT) માત્ર એક સીટ જીતી શકી હતી. જ્યારે IPFTને ગત ચૂંટણીમાં આઠ બેઠકો મળી હતી. આ રીતે આ વખતે ભાજપ-IPFT ગઠબંધનની 10 બેઠકો ઘટી છે. ભાજપે 2018માં 35ને બદલે 32 બેઠકો મેળવી હતી એટલે એ 3 બેઠકોની લોસ અને IPFTની 7 સીટોની લોસ એમ કુલ 10 સીટનું નુકશાન થયું.

ત્રિપુરા વિધાનસભા 2023માં 32 બેઠકોમાંથી, ભાજપે ડાબેરી મોરચા સામે 18 (CPIM સામે 16, AIFB અને RSP સામે એક-એક), કોંગ્રેસ સામે 7, ટીપરા મોથા સામે 6 અને એક અપક્ષ સામે 1 બેઠક જીતી છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપની 36 બેઠકોમાંથી 33 સીપીઆઈ(એમ) સામે અને 1 એઆઈએફબી, આઈપીએફટી અને આરએસપી સામે ગઈ હતી. ભાજપે પાછળથી IPFT સાથે ગઠબંધન કર્યું. IPFTએ આ વખતે ભાજપ સાથે ચૂંટણી પૂર્વે જોડાણ કર્યું હતું.

ટીપરામોથાએ ભાજપ સામે તેની મોટાભાગની બેઠકો જીતી હતી. બંને પક્ષો વચ્ચે 13 બેઠકો પર સીધી લડાઈ જોવા મળી હતી જેમાંથી સાત બેઠકો ટીપરા મોથાએ જીતી હતી. ટિપરા મોથાએ પણ ત્રિપુરામાં તમામ પક્ષોના સૌથી વધુ સરેરાશ વિજય માર્જિન સાથે 11,668 મતો નોંધાવ્યા હતા. CPI(M) જેણે 11 બેઠકો જીતી હતી અને તેની સાથી કોંગ્રેસે 3 બેઠકો મેળવી હતી, તેણે ભાજપ સામે તેમની તમામ બેઠકો જીતી હતી. જે બેઠકો પર ભાજપ અને CPI (M) વચ્ચે સીધો મુકાબલો હતો જેમાં ભાજપે સૌથી વધારે સીટ જીતી. 27 સીટોમાંથી ભાજપે 16 સીટ પર જીત હાંસલ કરી હતી.

ત્રિપુરામાં આ વખતે કુલ 10 સીટ એવી હતી જેમાં ભાજપ 1,000થી ઓછા માર્જિનથી જીતી હતી.જ્યારે 13 સીટ એવી હતી જેમાં ભાજપનું માર્જિન 1,000થી 2,000 મતોની વચ્ચે હતું. 8 સીટ પર 2000થી 3,000 મતોથી જીત મેળવી હતી. 2 સીટ પર 3,000થી 4,000 મતો વચ્ચે અંતર હતું. 8 સીટ પર 4,000થી 5,000 વચ્ચેનું અંતર હતું.જ્યારે 19 સીટો પર 5,000થી વધારેની લીડ ભાજપે મેળવી હતી.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.