અમુક લોકો માટે GST લવાયુ છે અમે સત્તામાં આવીશું તો બદલીશું: રાહુલ ગાંધી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સોમવારથી કર્ણાટકના બે દિવસીય ચૂંટણી પ્રવાસ પર છે. અહીં બેલગાવીના રામદુર્ગ ખાતે શેરડીના ખેડૂતોને સંબોધતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનું સંપૂર્ણ ધ્યાન એક કે બે ઉદ્યોગપતિઓ પર છે જ્યારે ખેડૂતોની અવગણના કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે અદાણી અને અંબાણી પર હજારો કરોડનું દેવું છે. તેમને બેંકમાંથી સરળતાથી લોન મળે છે અને ખૂબ જ સરળતાથી તેમની લોન માફ પણ કરી દેવામાં આવે છે. પરંતુ ગરીબ ખેડૂતો સાથે આવું થતું નથી. એટલા માટે દેશમાં સમાનતા જરૂરી છે. મોટા ઉદ્યોગપતિઓની બેંક લોન માફ કરશો તો ખેડૂતોની લોન પણ માફ કરવી પડશે.

તેમણે વધુમાં કહ્યું કે, જો કર્ણાટકમાં સરકાર બનશે તો ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળશે. મોંઘવારી વધી રહી છે. ગેસ સિલિન્ડર, પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, પરંતુ આ મોંઘવારીના યુગમાં તમારા ખિસ્સામાં કેટલું આવે છે?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર મુઠ્ઠીભર લોકોના ફાયદા માટે GST લાવી હતી. તેમણે કહ્યું કે GST માત્ર પ્રભાવશાળી લોકોને મદદ કરવા માટે લાવવામાં આવ્યો હતો. GST એટલો જટિલ છે કે ઘણા લોકો તેને બરાબર સમજી શકતા નથી. નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે. જો અમે કેન્દ્રમાં સત્તામાં આવીશું તો GSTમાં ફેરફાર કરીશું. માત્ર એક જ ટેક્સ હશે અને તે પણ ન્યૂનતમ હશે.

PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે દેશના ઉદ્યોગોને કેટલાક ઉદ્યોગપતિઓને સોંપી દીધા છે. આખી મૂડી કેટલાક લોકોના હાથમાં છે અને તેઓ પોતપોતાના હિસાબે ફેરફાર કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છે પરંતુ દેશમાં તેના ભાવ ખૂબ ઊંચા છે. અહીં માત્ર બે થી ત્રણ ઉદ્યોગપતિઓને જ લાભ મળી રહ્યો છે. UPA સરકારમાં દરેકને સમાન પસંદગી આપવામાં આવી હતી. અમે ગરીબો માટે મનરેગા લાવ્યા અને ખેડૂતોની લોન માફ કરી. અમે ગરીબો અને ખેડૂતો માટે કામ કર્યું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમને પૂરી આશા છે કે, અમે કર્ણાટક ચૂંટણી જીતીશું. અમે 150 બેઠકો જીતીશું જ્યારે BJP 40થી વધુ બેઠકો જીતી શકશે નહીં.

અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભાની તમામ 224 સીટો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ પરિણામ જાહેર થશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.