‘પૈસા એવી વસ્તુ છે કે..’, ચંપાઈ બળવાખોર થવાની અટકળો પર હેમંતે તોડ્યું મૌન

ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન હાલમાં દિલ્હીમાં છે. એક દિવસ અગાઉ ગુવાહાટીમાં હિમંતા બિસ્વા સરમા સાથે મુલાકાત કરવાની વાત કહેવામાં આવી રહી છે, પછી કાલે રાત્રે તેઓ કોલકાતા પહોંચ્યા હતા અને અહી સુવેન્દુ અધિકારીને મળ્યા હતા. હવે તેમણે X (અગાઉ ટ્વીટર) હેન્ડલથી ઝારખંડ મુક્તિ મોરચાનું નામ પણ હટાવી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે અને તેમની સાથે JMMના કેટલાક અન્ય ધારાસભ્ય પણ પક્ષ પલટો કરવાની તૈયાર છે.

આ અંગે સવાલ પૂછવામાં આવતા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રવિવારે નામ લીધા વિના ઇશારાઓમાં ચંપાઈ સોરેન અને ભાજપ પર પ્રહાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે, પૈસાઓના દમ પર ઘર અને પાર્ટીમાં ફૂટ પાડવામાં આવી રહી છે. હેમંત સોરેને કહ્યું કે, ખૂબ જલદી રાજ્યમાં ચૂંટણી ઘંટ વાગવાનો છે, ચૂંટણી ક્યારે થશે તેનો ઘંટ અમારા વિરોધી ભાજપ પાસે છે. ચૂંટણી પંચ હવે સંવૈધાનિક સંસ્થા નથી, હવે તે ભાજપની સંસ્થા બની ગઈ છે. અમે તો પડકાર આપીને કહીએ છીએ કે આજે ચૂંટણી કરાવો, કાલે ઝાડુ-પોતું કરીને તેમને ગુજરાત જવું પડશે.

હેમંત સોરેને કહ્યું કે, આ લોકો ગુજરાત, આસામ, મહારાષ્ટ્રથી લોકોને લાવીને આદિવાસીઓ, દલિતો અને લઘુમતીઓ વચ્ચે ઝેર વાવવાનું કામ, એક બીજા સાથે લડવાનું કામ છે. સમાજ તો છોડો, આ લોકો ઘર ફોડવા અને પાર્ટી તોડવાનું કામ કરે છે. મોટા ભાગે તેઓ ધારાસભ્યોને ખરીદી લેશે, પૈસા એવી વસ્તુ છે કે નેતા લોકોને પણ આમ તેમ જવામાં વાર નથી લાગતી, ખેર કોઈ વાંધો નહીં. અમારી ઈન્ડિયા ગઠબંધનની સરકાર 2019થી સતત જનતા વચ્ચે ઊભી છે. સૂત્રો મુજબ ચંપાઈ સોરેન સાથે જે 6 JMM  ધારાસભ્યોના બળવાખોર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમાં દશરથ ગગરાઈ, રામદાસ સોરેન, ચમરા લિંડા, લોબિન હેમ્બ્રોમ અને સમીર મોહતી સામેલ છે.

જો કે, ખરસાંવ ધારાસભ્ય દશરથ ગગરાઈએ એક નિવેદન જાહેર કરીને ભાજપમાં સામેલ થવાની અટકળો ફગાવી છે. તેમણે કહ્યું કે, હું JMMને ધોખો નહીં આપી શકું. અડધી રોટલી ખાશુ, પરંતુ JMMના માન સન્માન નીચે નહીં થવા દઈએ. ગુરુ શિબુ સોરેન મારા નેતા છે. ચંપાઈ સોરેનને જ્યારે શુક્રવારે પત્રકારોએ ભાજપમાં સામેલ થવાની અટકળો બાબતે સવાલ કર્યો હતો તો તેમણે હસતા માત્ર એટલું કહ્યું હતું કે તમે લોકો એવા સવાલ કરી રહ્યા છે, તેના પર શું બોલું. અમે તો તમારી સામે છીએ.

તો રવિવારે પણ તેમને ભાજપમાં સામેલ થવાની અટકળોનું ખંડન કર્યું અને કહ્યું કે, હું જ્યાં હતો, ત્યાં જ છું, પરંતુ થોડા સમય બાદ તેમણે પોતાના X હેન્ડલના બાયોથી JMM મુક્તિ મોરચાનું નામ હટાવી દીધું. JMMએ ચંપાઈ સોરેન ભાજપમાં સામેલ થવાના સમચારોને માત્ર અફવા બતાવીને ખંડન કરી દીધું. JMMના પ્રવક્તા મનોજ પાંડેએ ભાજપને ડૂબતો જહાજ બતાવતા કહ્યું કે, ચંપાઈ સોરેન ક્યારેય ભગવા પાર્ટીમાં સામેલ થવા પર વિચાર નહીં કરે.

કથિત ભૂમિ કૌભાંડ કેસમાં 31 જાન્યુઆરી ED દ્વારા મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કર્યા બાદ સોરેન પરિવારના નજીકના કહેવાતા ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી બનાવાયા હતા. જો કે, ઝારખંડ હાઇકોર્ટે હેમંત સોરેનને જામીન આપ્યા બાદ ચંપાઈ સોરેનને 3 જુલાઈએ રાજીનામું આપવું પડ્યું. હેમંત સોરેને આજ દવસે ફરી મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ જ ચંપાઈ સોરેન નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

  આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે...
Business 
ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક રિસર્ચ રિપોર્ટ ફેબ્રુઆરી 2026માં સામે આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2026 સુધીમાં ભારતમાં રોકડનું કુલ...
Business 
ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

‘અરે પાગલ માણસ હું એરપોર્ટ પર છું...’, એરપોર્ટ પર પહોંચી તો બોસે રજા રદ કરી દીધી; ગુસ્સે થયેલી Gen-Z કર્મચારીનો જવાબ વાયરલ

કલ્પના કરો કે તમારી રજા મંજૂર થયા બાદ, તમે ખુશી-ખુશીથી વિદેશ પ્રવાસ માટે એરપોર્ટ પર પહોંચો છો, પરંતુ...
Offbeat 
‘અરે પાગલ માણસ હું એરપોર્ટ પર છું...’, એરપોર્ટ પર પહોંચી તો બોસે રજા રદ કરી દીધી; ગુસ્સે થયેલી Gen-Z કર્મચારીનો જવાબ વાયરલ

પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપના સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઇ શકી નથી. ટીમ શ્રીલંકામાંથી પોટલા બાંધી ચૂકી છે. પાકિસ્તાનના નિરાશાજનક...
Sports 
પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.