ચૂંટણી પહેલા સચિન પાયલોટનો ફરી ગેહલોત સામે મોર્ચો,વસુંધરા રાજે પર એક્શન નથી લેતા

રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટે પોતાની જ સરકારના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે ફરી એક વખત મોર્ચો માંડતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. પાયલોટે રવિવારે જયપુરમાં એક પ્રેસ કોન્ફરસમાં કહ્યું કે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સામે ગેહલોતને અનેક વખત લેખિતમાં ફરિયાદ કરી છે છતા આજ સુધી તેમણે કાર્યવાહી કરી નથી એટલે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવા માટે 11 એપ્રિલે મહાન સમાજ સુધારક જ્યોતિબા ફુલેની જન્મ જયંતિના દિવસે 1 દિવસનું ઉપવાસ આંદોલન કરવામાં આવશે. પાયલોટની જાહેરાતને કારણે રાજસ્થાનના રાજકારણમાં હંગામો મચી ગયો છે. રાજસ્થાનમાં આગામી દિવસોમા વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે પાયલોટના આંદોલનની જાહેરાતને કારણે કોંગ્રેસી નેતાઓના જીવ ઉંચા થઇ ગયા છે.

સચિન પાયલોટે રવિવારે જયપુરમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે લોકોના નામ પર અશોક ગેહલોત સામે નિશાન સાધી દીધું હતું. પાયલોટે કહ્યું કે તમે વસુંધરા રાજે સામે કાર્યવાહી નથી કરતા તો લોકો એમ માનશે કે ગેહલોત અને વસુંધરા રાજેની મીલીભગત છે. તેમણે કહ્યું કે વારંવાર ફરિયાદ કરવા છતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલાતે વસુંધરા રાજે સામે કોઇ પગલા લીધા નથી. પાયલોટે 45000 કરોડના ગોટાળાનો આરોપ લગાવ્યો છે.

પાયલોટે કહ્યું કે સાડા ચાર વર્ષ થયા છતા હજુ CBIને કેસ સોંપવામાં આવ્યો નથી. એટલે આખરે નાછુટકે મારે ઉપવાલ આંદોલનનું શસ્ત્ર ઉપાડવું પડ્યું છે. તેમણે કહ્યુ કે 2013માં જ્યારે અમારી સરકાર હતી અને તે વખતની ચૂંટણીમાં અમે હારી ગયા હતા અને રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકાર બની હતી. તે વખતે અમે વસુંધરા રાજેના અનેક કૌભાંડો લોકો સમક્ષ જાહેર કર્યા હતા. એ વાતને કદાચ લોકોએ સ્વીકારી હતી અને 2018માં ફરી એકવાર કોંગ્રેસને રાજસ્થાનમાં સત્તા મળી. અમારી પાસે વસુંધરા રાજે સામે અનેક પુરાવા છે અને જ્યારે પ્રજાને કૌભાંડો સામે પગલાં લેવાનું વચન આપેલું છે ત્યારે અમારી જ સરકાર નિષ્ક્રીય બની ગઇ છે.

આ પહેલાં પણ સચિન પાયલોટ અશોક ગેહલોત સામે મોર્ચો માંડી ચૂક્યા છે. જયપુરમા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાયલોટે મુખ્યમંત્રી ગેહલોતના જુના વીડિયો પણ મીડિયાને બતાવ્યા હતા.

હજુ થોડા સમય પહેલાં જ જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી હતી ત્યારે મુખ્યમંત્રીની ખુરશીને લઇને અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે રાજકીય અથડામણ થઇ હતી અને તેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.