કર્ણાટકમાં વોટિંગ પહેલા મુશ્કેલીમાં કોંગ્રેસ, ચૂંટણી પંચે ખડગેને આપી નોટિસ

કર્ણાટક વિધાનસભાનો ચૂંટણી પ્રચારનો પડઘમ શાંત થઈ ગયો છે. હવે 10 મેના રોજ મતદાન થશે. આ અગાઉ કોંગ્રસની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. ચૂંટણી પંચે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને નોટિસ આપી છે. કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પર સોનિયા ગાંધીનું ‘સંપ્રભુતા’વાળું નિવેદન પોસ્ટ કરવામાં આવ્યું હતું. આ બાબતે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. હવે ચૂંટણી પંચે ખડગે પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું છે કે રેક્ટિફાઈ કરવા માટે કહ્યું છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ રાજનૈતિક પાર્ટી તરફથી કરવામાં આવેલા શપથનું ઉલ્લંઘન છે.

ચૂંટણી પંચે મલ્લિકાર્જૂન ખડગેને કર્ણાટક રાજ્યના સંદર્ભમાં ‘સંપ્રભુતા’ શબ્દનો ઉલ્લેખ કરતા સોશિયલ મીડિયા પોસ્ટને સ્પષ્ટ કરવા અને સુધારવા માટે કહ્યું છે. 8 મે 2023ના રોજ ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ, ડૉ. જિતેન્દ્ર સિંહ, તરુણ ચુઘ, અનિલ બલૂની અને ઓમ પાઠકે એક ટ્વીટ કરી હતી અને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેમાં કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી 6 મે 2023ની રાત્રે 9:46 વાગ્યે કરવામાં આવેલી ટ્વીટ પર ધ્યાન દોર્યું હતું.

કોંગ્રેસની ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, ‘કોંગ્રેસ સંસદીય દળ (CPP) અધ્યક્ષ સોનિયા ગાંધીજીએ 6.5 કરોડ કન્નડિગોને એક મોટો સંદેશ મોકલ્યો: કોંગ્રેસ કોઈને પણ કર્ણાટકની પ્રતિષ્ઠા, સંપ્રભુતા કે અખંડતા માટે જોખમ ઉત્પન્ન કરવાની મંજૂરી આપતી નથી.’ કર્ણાટક દેશનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ રાજ્ય છે અને ભારતના સંઘના એક સભ્ય રાજ્યની સંપ્રભુતાની રક્ષા માટે કોઈ પણ આહ્વાન અલગતા માટે આહ્વાન છે અને ખતરનાક તેમજ હાનિકારક પરિણામોથી ભરેલો છે. એ સિવાય ભાજપની ફરિયાદ મુજબ, ઉપરોક્ત ટ્વીટ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29 (A) (5) હેઠળ રાજનીતિક દળો દ્વારા લેવામાં આવેલા અનિવાર્ય શપથનું ઉલ્લંઘન છે.

સંઘ કે સંસ્થા કાયદા દ્વારા સ્થાપિત ભારતના સંવિધાન અને સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકતંત્રના સિદ્ધાંતો પ્રત્યે સાચી આસ્થા અને નિષ્ઠા રાખશે અને ભારતની સંપ્રભુત, એકતા અને અખડતાને બનાવી રાખશે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોનો દોર ચાલી રહ્યો છે. હાલમાં જ ભાજપે કોંગ્રેસની જાહેરાત પર આપત્તિ દર્શાવી હતી અને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસે પણ ભાજપના સમાચાર પત્રોમાં આપેલી જાહેરાતને લઈને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસની ફરિયાદ પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી અને રાજ્યના ભાજપ અધ્યક્ષને નોટિસ આપી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.