શું ફરી પલટશે નીતિશ કુમાર અને બિહારમાં બદલશે સરકાર? આ છે કારણો

બિહારની રાજનીતિમાં હાલના દિવસોમાં આશંકાઓનો બજાર ગરમાયેલો છે. તેજસ્વી યાદવની પાર્ટી RJD સાથે જનતા દળ યુનાઇટેડ (JDU)ની હાલની તકરારના કારણે નીતિશ કુમારના રાજકીય સ્ટેન્ડને લઇને ફરી અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. તો કોંગ્રેસ સાથે પહેલા જ દૂરી સ્પષ્ટ નજરે પડી રહી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, લોકસભાની ચૂંટણી અગાઉ આ વર્ષ એટલે કે વર્ષ 2023 બિહારની રાજનીતિમાં ખૂબ ઉથલ-પાથલવાળું રહેવાનું છે.

ઘણા નવા રાજકીય સમીકરણને લઇને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે નીતિશ કુમારે દિલ્હીમાં ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે આખા વિપક્ષને એકજૂથ કરવાની અપીલ કરી હતી. અલગ-અલગ નેતાઓ સાથે તેમની તસવીરોએ ખૂબ લાઇલમાઇટ મેળવી હતી. જો કે, ત્યારબાદ આ દિશામાં કોઇ ખાસ વિકાસ જોવા ન મળ્યો. હાલમાં જ કેટલાક વિપક્ષી નેતાઓનું KCRની રેલીમાં જોડવાનું પણ થયું, પરંતુ તેનું આમંત્રણ પણ નીતિશ કુમારને મોકલવામાં ન આવ્યું.

આ તો રહી દિલ્હી અને દેશની વાત, પરંતુ ગત દિવસોના બિહારમાં પણ ઘણા બધા બદલાવ જોવા મળ્યા છે. રામચરિતમાનસને લઇને આપવામાં આવેલા નિવેદન પર JDUએ સમય ગુમાવ્યા વિના ભારતીય જનતા પાર્ટી (BJP) કરતા વધુ આક્રમક અંદાજમાં RJDને ઘેરી. આ અંગે JDUના તમામ મોટા નેતાથી લઇને નીતિશ કુમાર સુધીએ બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરને પોતાનું નિવેદન પાછું લેવા માટે કહ્યું હતું.

તો RJD અને તેજસ્વી યાદવે ખૂલીને પોતાના મંત્રીના સ્ટેન્ડનો બચાવ કર્યો. તેજસ્વી યાદવે અહીં સુધી કહી દીધું હતું કે, સંવિધાને બધાને પોતાની વાત કહેવાનો અધિકાર આપ્યો છે. હવે વાત કોંગ્રેસની. કોંગ્રેસે હાલમાં જ વિપક્ષના તેમા મોટા નેતાઓને રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ના સમાપનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. દેશની જેમ બિહારમાં પણ એવી જ એક યાત્રા ચાલી રહી છે. JDUએ તેને કોંગ્રેસનો આંતરિક મામલો બતાવતા તેમાં સામેલ થવાની ના પાડી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષની ઘણી રાજનૈતિક પાર્ટીઓએ આ યાત્રાને ન માત્ર પોતાનું સમર્થન આપ્યું છે, પરંતુ તેમાં સહભાગી પણ બની છે. આ તમામ રાજકીય ઘટનાઓ વચ્ચે બિહારમાં ફરી એક વખત આશંકાઓનો બજાર ગરમ છે. કેટલાક રાજકીય પંડિતોનું માનવું છે કે, નીતિશ કુમાર ફરી એક વખત ભાજપ સાથે મળીને બિહારમાં સરકાર બનાવી શકે છે. તો કેટલાકનું કહેવું છે કે, બિહારમાં નવી સરકાર તો જરૂર બનશે, પરંતુ નેતૃત્વ ભાજપના હાથમાં હશે. નીતિશ કુમારને કેન્દ્રમાં મોટી જગ્યા આપી શકાય છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.