દુલ્હને માગ્યું 2 લાખ કરતા વધુનું કરિયાવર, ન મળ્યું તો તોડી દીધા લગ્ન

ભારતમાં કરિયાવર માગવું એક ગુનો છે, પરંતુ એ છતા આજે પણ કરિયાવર લેવામાં આવે છે. કરિયાવરના કારણે લગ્ન બાદ પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે, અત્યાચાર કરવામાં આવે કે પછી કરિયાવરમાં માગેલી રોકડ, વસ્તુ ન મળતા લગ્ન પણ તોડી દેવામાં આવે છે. હાલમાં તેલંગાણામાં એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. અહીં એક છોકરીએ લગ્ન થવાના થોડી મિનિટો પહેલા લગ્ન કરવાની ના પાડી દીધી. હૈદરાબાદના બાહ્ય વિસ્તારમાં આ લગ્ન થવાના હતા. દુલ્હને વરના પરિવાર પાસે 2 લાખ રૂપિયાથી વધુની ડિમાન્ડ કરી હતી.

આદિવાસી સમાજમાં કરિયાવર આપવાની પ્રથા છે. જ્યારે આદિવાસી છોકરીને પોતાની ઈચ્છા મુજબનું કરિયાવર ન મળ્યું તો તેણે લગ્ન જ તોડી દીધા. હવે તમને આખી ઘટના સમજાવીએ છીએ. ગુરુવારે ઘાટકેસર વિસ્તારમાં લગ્ન નક્કી થયા હતા. ભદ્રાદ્રી કોઠાગુદમના અશ્વરોપેટ ગામથી છોકરી અને તેનો પરિવાર લગ્ન માટે ગયો હતો. ત્યારે જ અચાનક દુલ્હને એવો નિર્ણય લીધો, જેથી મેરેજ હોલમાં ઉપસ્થિત મહેમાનો અને વરરાજાના પરિવારના લોકો પણ હેરાન રહી ગયા.

લગ્નનું મુહૂર્ત નીકળી રહ્યું હતું. એવામાં વરરાજાના પરિવારજનો એ હોટલમાં પહોંચ્યા, જ્યાં છોકરીનો પરિવાર રોકાયો હતો. જ્યારે વરરાજાના પરિવારને જણાવ્યું કે, દુલ્હનને વધુ કરિયાવર જોઈએ છે તો બધા અચંબિત રહી ગયા. ત્યારબાદ વરરાજા અને પરિવારજનો લગ્નનો મંડપ છોડીને પોલીસ પાસે પહોંચી ગયા. ત્યારબાદ દુલ્હનના પરિવારને બોલાવવામાં આવ્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બંને પરિવારોએ વાતચીત બાદ મામલો અરસપરસમાં થાળે પાડી દીધો. કોઈ ફરિયાદ દાખલ કરાવવામાં ન આવી અને ન તો કોઈ વિરુદ્ધ કોઈ કેસ થયો છે.

એવી જાણકારી મળી છે કે, છોકરીને લગ્ન કરવામાં રસ નથી. તેણે વધારે કરિયાવરની માગ કરી હતી અને તે જ લગ્નના મંડપ સુધી ન આવી. પોલીસનું કહેવું છે કે, દુલ્હનના પરિવારને વરરાજાના પરિવાર પાસેથી કરિયાવરમાં 2 લાખ રૂપિયા મળ્યા હતા. જો કે છોકરી પોતાના નિર્ણય પર અડગ હતી એટલે પૈસા પાછા આપી દેવામાં આવ્યા અને બંને પરિવાર પોત પોતાના ઘરે જતા રહ્યા. તેલંગણાની આ ઘટના વિરુદ્ધ જોઈએ તો કરિયાવરના કારણે છોકરીઓ સાથે, અત્યાચાર, હત્યા અને બીજા પ્રકારની હિંસક ઘટનાઓ મોટાભાગે સામે આવે છે. કરિયાવર લેવું કાયદાકીય રીતે ગુનો છે.

About The Author

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.