સદગુરુએ કેમ શહેરોમાં કાશ્મીર નામની ગલી અને ચોકનું નામ રાખવાનો પ્રસ્તાવ આપ્યો?

ઇશા ફાઉન્ડેશનના પ્રમુખ અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે સૂચન આપ્યું કે, દેશના દરેક મોટા શહેરમાં કોઇ એક ગલી કે ચોકનું નામ કાશ્મીર પર હોવું જોઇએ. તેમનું કહેવું છે કે, કાશ્મીરી પંડિતો સાથે જે થયું તેની કહાની દરેક દેશવાસીને ખબર હોવી જોઇએ. ગ્લોબલ કાશ્મીરી પંડિત કોન્કલેવમાં કાશ્મીરી પંડિત સમુદાયની સ્થિતિ પર બોલતા તેમણે આ સૂચન આપ્યું છે. તેમણે કહ્યું કે, આપણે તેની કહાની બતાવવાની જરૂરિયાત છે. હું તેના સમાધાન બાબતે વિચારી રહ્યો છું, પરંતુ જે પણ તમે વિચારો છો તેને કોઇક ને કોઇક દ્વારા સમાપ્ત કરી દેવામાં આવે છે કેમ કે તેની પાસે એક અલગ નેરેટિવ છે.

તેમણે કહ્યું કે, મને લાગે છે કે એ નેરેટિવને બદલવું જરૂરી છે. કોન્કલેવનું આયોજન ગ્લોબલ કાશ્મીરી પંડીત ડાયસ્પોરા (GKPD) દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલનું ઉદ્દેશ્ય આખી દુનિયામાં રહેતા બધા કાશ્મીરી પંડિતોને એક મંચ પર લાવવાનું છે, જેથી લોકોને કાશ્મીરી પંડિતોના નરસંહાર બાબતે જાણકારી મળી શકે. આ દરમિયાન સદગુરુએ કહ્યું કે, ‘હું આખા દેશને કહી રહ્યો છું કે તેઓ સરકાર પાસે માગ કરી શકે છે કે લોકો સાથે ત્યાં જે અન્યાય થયો, ઓછામાં ઓછું તેના પર ધ્યાન આપવામાં આવે.

ઓછામાં ઓછા દેશના દરેક મોટા શહેરમાં કોઇ ગલી, ચોક, પર્વત કે શીલાનું નામ કશ્મીરના નામ પર હોય. તેમણે આગળ કહ્યું કે, ભારતમાં રહેનારા દરેક વ્યક્તિને ખબર હોવી જોઇએ કે આપણાં લોકો સાથે શું થયું છે. તેમણે એમ પણ કહ્યું કે, આ અત્યાચારના પીડિતોની એક નાનકડી ક્લિપ લોકોને દેખાડવામાં આવે, જેથી દુનિયા સુધી અસલી કહાની પહોંચે. મને લાગે છે કે, 10-20 મિનિટની એડ ક્લિપ હોવી જોઇએ, જેમાં અલગ અલગ પરિવારોની પીડા દેખાડવામાં આવે. તે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

આપણે ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક એવા લક્ષ્ય પર પહોંચી ગયા છીએ અને જ્યાં આપણે સંદેશ ફેલાવવા માટે થિયેટરની જરૂરિયાત નથી. બધા પાસે ફોન અને કમ્પ્યુટર છે, એવામાં લોકો સુધી આ કહાનીને પહોંચાડવું વધુ સરળ છે. પોતાના સંબોધનને લઇને સદગુરુએ એક ટ્વીટ પણ કરી અને કહ્યું કે, યુવાનોએ તેની જવાબદારી લેવી જોઇએ અને કશ્મીરના ભવિષ્યને ફરીથી લખવું જોઇએ. સદગુરુએ કાશ્મીરી પંડિતોને તેમની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રદર્શિત કરવા માટે પોતાના સમર્થનની રજૂઆત કરી.

તેમણે કહ્યું કે, જો તમે એમ કરવા માગો છો, તો અમારું સમર્થન છે. માની લો કે, દક્ષિણમાં એક દિવસ કાશ્મીર દિવસ હશે, જેમાં અમે તમને એ બધુ પ્રદાન કરીશું, જેની તમને જરૂરિયાત છે. તમારું સાહિત્ય, કળા, સંગીત, બધુ જ પ્રસ્તુત કરો અને લોકોને તમારા એન તમારી કહાની જાણવા દો, પરંતુ આ કહાનીઓ કાશ્મીરી સંસ્કૃતિની સુંદરતા અને શક્તિ પણ હોય, ન કે માત્ર એ ભયાનક ઘટનાઓ જે ભૂતકાળમાં થઇ છે. એ મહત્ત્વપૂર્ણ છે કે લોકો તમારી સાથે વાઇબ કરે અને તમને સમજી શકે કે તમે કોણ છો, ન કે માત્ર તેમને એ ખબર પડે કે તમારી સાથે કોણે શું કર્યું.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.