90 વર્ષની વયે પૂર્વ PM રાજ્યસભામાં વ્હીલચેર પર પહોંચ્યા, ભાજપા બોલી શરમ

રાજ્યસભામાં સોમવારે મોડી રાતે દિલ્હી સેવા બિલ પર થઇ રહેલી ચર્ચામાં ભાગ લેવા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ વ્હીલચેર પર સંસદ પહોંચ્યા હતા. અસ્વસ્થ હોવા છતાં સંસદમાં આવવાને કારણે રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપાએ તેનો મુદ્દો બનાવ્યો છે. એકબાજુ વિપક્ષી ગઠબંધનના નેતાઓ આની પ્રશંસા કરી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટી આને શરમજનક માની રહી છે.

AAPએ કરી પ્રશંસા

પૂર્વ પ્રધાનમંત્રીના વ્હીલચેર પર આવવાથી કોંગ્રેસ અને ભાજપાની વચ્ચે રાજકીય નિવેદનબાજી શરૂ થઇ છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાએ 90 વર્ષીય કોંગ્રેસ નેતાની પ્રસંસા કરી છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે આજે રાજ્યસભામાં ડૉ. મનમોહન સિંહ પ્રામાણિકતાની મિશાલ બની ઊભા થયા અને ખાસ કરીને કાળા બિલ સામે વોટ કરવા આવ્યા. લોકતંત્ર અને બંધારણ પ્રત્યે તેમની અતૂટ કટિબદ્ધતા પ્રેરણાદાયી છે. આપ સાંસદે પૂર્વ પ્રધાનમંત્રીના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને સાથે જ કહ્યું કે, હું દિલથી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

ભાજપા બોલી...

તો બીજી બાજુ દેશની સૌથી જૂની પાર્ટીની ટીકા કરતા ભાજપાએ કહ્યું કે, કોંગ્રેસની આ સનક દેશ યાદ રાખશે. માત્ર પોતાનું ગઠબંધન જીવિત રાખવા માટે કોંગ્રેસે સંસદમાં પૂર્વ પ્રધાનમંત્રીને મોડી રાતે સ્વાસ્થ્યની આવી સ્થિતિમાં વ્હીલચેર પર બેસાડી રાખ્યા. આ ખૂબ જ શરમજનક છે.

કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું કે, ડૉક્ટર સાહેબનું લોકતંત્ર પ્રત્યે આટલું સમર્પણ આ દેશના બંધારણમાં તેમના વિશ્વાસનું પ્રમાણ છે. ભાજપાએ પોતાના વૃદ્ધ નેતાઓને ભલે માનસિક કોમામાં ધકેલી દીધા હોય, પણ અમારામાં મોટા અમારી પ્રેરણા અને આત્મવિશ્વાસ છે. કોંગ્રસ નેતા સુપ્રિયા શ્રીનેતે ભાજપાને કટાક્ષ કરતા આગળ કહે છે, પોતાના આકાને કહો કે કંઇક શીખે- ભાગેડુ ન બને.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ ઉપરાંત વિપક્ષે પોતાની સંખ્યા વધારવા માટે ઝારખંડ મુક્તિ મોરચાના બીમાર સિભુ સોરેનને પણ સંસદમાં બોલાવ્યા અને બિલ સામે 102 સાંસદોનું સમર્થન મળ્યું.

જણાવીએ કે, રાજ્યસભામાં સોમવારે દિલ્હી સેવા બિલ, 2023 પર ચર્ચા થઇ હતી. ત્યાર પછી દેશના હોમ મિનિસ્ટર અમિત શાહે જવાબ આપ્યા અને આ બિલને લઇ સંસદમાં વોટિંગ થઇ. વિપક્ષના નેતાઓ તરફથી પ્રસ્તાવિત કરવામાં આવેલ બધી દલીલ નકારી દેવામાં આવી. બિલ પર થયેલ મતદાનમાં પક્ષમાં 131 અને વિપક્ષમાં 102 વોટ પડ્યા. તેની સાથે જ રાજ્યસભામાંથી પણ દિલ્હી સેવા બિલને લઇ મંજૂરી મળી ગઇ. લોકસભામાં પહેલેથી જ આ બિલ પાસ કરી દેવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.