જનતા કોંગ્રેસને વોટ આપવા માગે છે, પણ સંગઠનની નબળાઇથી એમ કરી શકતી નથી: દિગ્વિજય

મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના થોડા જ મહિના અગાઉ કોંગ્રેસના મોટા નેતા દિગ્વિજય સિંહે પાર્ટીના હાઇકમાનને અરીસો દેખાડ્યો છે. દિગ્વિજય સિંહે સૂચનો આપ્યા છે કે કોંગ્રેસનું સંગઠન નબળું છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું કે, એ તો એ પોલિંગના દિવસે પણ કોંગ્રેસનું ઇલેક્શન મેનેજમેન્ટ નબળું રહે છે. મધ્ય પ્રદેશના સિહોરમાં પત્રકારો સાથે વાતચીત કરતા દિગ્વિજય સિંહે કહ્યું કે, અમને એ સ્વીકારવામાં જરાય સંકોચ નથી કે અમારી કોંગ્રેસ પાર્ટીનું જેવું સંગઠન હોવું જોઈએ, એવું નથી.

તેમણે આગળ કહ્યું કે, એમ પણ માનવામાં સંકોચ ન હોવો જોઈએ કે આપણાં મતદાનના દિવસે અમારા પોલિંગ મેનેજમેન્ટની પણ ભારે કમી રહે છે. જે પ્રકારની તૈયારીઓ હોવી જોઈએ, એ પ્રકારની તૈયારી હોતી નથી. કોંગ્રેસના ઇલેક્શન મેનેજમેન્ટની કમીઓ ગણાવતા દિગ્વિજય સિંહે કહ્યું કે, જનતા અમને વોટ આપવા માગે છે, પરંતુ અમારા સંગઠનની નબળાઇના કારણે તે એમ કરી શકતી નથી. જો કે, કોંગ્રેસ નેતાએ એ સ્પષ્ટ ન કર્યું કે આ કમીઓ કયા પ્રકારની છે.

થોડા જ મહિનામાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. દિગ્વિજય સિંહ એ સીટો પર સતત પ્રવાસ કરી રહ્યા છે, જ્યાં પાર્ટી વર્ષ 2018ની વિધાનસભાની ચૂંટણી હારી ગઈ હતી અને એ સીટો પર પાર્ટીની દાવેદારીને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસે એવી 66 સીટોની લિસ્ટ બનાવી છે. એ સિલસિલામાં દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાં પહોંચ્યા હતા અને પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

દિગ્વિજય સિંહે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના વખાણ કરતા કહ્યું કે, તેમણે ખૂબ જ સારી રીતે આખા રાજ્યની વિધાનસભા સીટોને સેક્ટર અને મંડળોમાં વહેંચી છે. એક મંડળમાં 10-15 પોલિંગ બૂથ આવશે, જ્યારે એક સેક્ટરમાં 3-5 પોલિંગ બૂથ હશે. એવી જ વિધાનસભા ક્ષેત્રની હારેલી સીટો પર રાજ્યનો પ્રવાસ કરીને રિપોર્ટ તૈયાર કરીને કમલનાથને સોંપવામાં આવશે. ત્યારબાદ નવી રણનીતિ બનાવવામાં આવશે.

મીડિયાના સવાનાનો જવાબ આપતા દિગ્વિજય સિંહે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં વર્ષ 2018માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બની ગઈ હતી, પરંતુ કેટલાક લોકો વેચાઈ ગયા. જે ગરીબ ધારાસભ્ય હતા તે ન વેચાયા, પરંતુ જે મહારાજા ટાઇપ હતા તેઓ વેચાઈ ગઈ, જેના કરણે સરકારી જતી રહી. જો કોંગ્રેસ પાર્ટીના બધા લોકો એકજૂથ હોત તો ખેડૂતોનું દેવું માફ થઈ જતું. વીજળીની દરો પણ ન વધતી. આ વખત ફરી જનતા પરિવર્તન માગે છે. આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર મધ્ય પ્રદેશમાં બનશે.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.