સિક્કિમના નાથુલામાં હિમસ્ખલન,6 ટૂરિસ્ટના મોત, 150 લોકો ફસાયા, રેસ્કયૂ શરૂ

Avalancheસિક્કિમમાં હિમસ્ખલનના કારણે ભારે તબાહીના સમાચાર સામે આવ્યા છે. નાથુલા બોર્ડર પાસે કુદરતનો આ કહેર તૂટી પડ્યો છે. સોમવારે નાથુલા પહાડી પાસે બનેલી આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. મોતને ભેટનારામાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. હિમસ્ખલન બાદ કેટલાય પ્રવાસીઓ બરફ નીચે ફસાયા હોવાની આશંકા છે, જેના પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ ઘટના ગંગટોકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરુ માર્ગ પર બપોરે લગભગ 12 વાગ્યેને 20 મિનિટની આસપાસ બની હતી. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં જવા માટે પાસ આપવામાં આવે છે. આ પાસ 13મા માઈલ માટે જારી કરવામાં આવે છે, પરંતુ ટૂરિસ્ટ પરવાનગી વગર 15મા માઈલ તરફ ચાલ્યા ગયા હતા. આ ઘટના 15મી માઈલમાં જ બની હતી.

આ હિમપ્રપાત સિક્કિમના Tsomgo થયો છે જ્યાં હવે રેસ્કયૂ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યાં પોલીસ અને રાહત બચાવ ટુકડીઓ બરફની ચાદરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરી રહી છે. મંગળવારે આ મજબૂત બરફનું તોફાન અચાનક Tsomgo આવ્યું હતું, જેના કારણે ટુરિસ્ટ બસે અંકુશ ગુમાવી દીધો હતો અને બસ સીધી ખાડીમાં ખાબકી હતી.

પોલીસના કહેવા મુજબ, 150થી વધારે પ્રવાસીઓ હજુ પણ 15 મીલની આગળ ફસાયેલા છે. આ વચ્ચે 30 પર્યટકોને બચાવી પણ લેવાયા છે અને તેમને ગંગટોકની એસટીએનએમ અને સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં આટલા મોટા પાયે હિમસ્ખલન જોવા મળ્યું હોય,આ પહેલા જાન્યુઆરી મહિનામાં જ લદ્દાખ વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો. આ બરફવર્ષાએ બે યુવતીઓનો જીવ પણ લીધો હતો. ગયા વર્ષે પણ ઉત્તરકાશીમાં હિમ સ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી જેમાં 16 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.

જોશીમઠ પહેલાથી જ ઉત્તરાખંડ માટે ખતરો બની ચુક્યો છે. આ પછી હિમસ્ખલનનું એલર્ટ અહીંના લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે સ્થાનિક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. જો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ મુદ્દે સક્રિયતા દાખવી રહી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.