સિક્કિમના નાથુલામાં હિમસ્ખલન,6 ટૂરિસ્ટના મોત, 150 લોકો ફસાયા, રેસ્કયૂ શરૂ

Avalancheસિક્કિમમાં હિમસ્ખલનના કારણે ભારે તબાહીના સમાચાર સામે આવ્યા છે. નાથુલા બોર્ડર પાસે કુદરતનો આ કહેર તૂટી પડ્યો છે. સોમવારે નાથુલા પહાડી પાસે બનેલી આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. મોતને ભેટનારામાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. હિમસ્ખલન બાદ કેટલાય પ્રવાસીઓ બરફ નીચે ફસાયા હોવાની આશંકા છે, જેના પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ ઘટના ગંગટોકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરુ માર્ગ પર બપોરે લગભગ 12 વાગ્યેને 20 મિનિટની આસપાસ બની હતી. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં જવા માટે પાસ આપવામાં આવે છે. આ પાસ 13મા માઈલ માટે જારી કરવામાં આવે છે, પરંતુ ટૂરિસ્ટ પરવાનગી વગર 15મા માઈલ તરફ ચાલ્યા ગયા હતા. આ ઘટના 15મી માઈલમાં જ બની હતી.

આ હિમપ્રપાત સિક્કિમના Tsomgo થયો છે જ્યાં હવે રેસ્કયૂ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યાં પોલીસ અને રાહત બચાવ ટુકડીઓ બરફની ચાદરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરી રહી છે. મંગળવારે આ મજબૂત બરફનું તોફાન અચાનક Tsomgo આવ્યું હતું, જેના કારણે ટુરિસ્ટ બસે અંકુશ ગુમાવી દીધો હતો અને બસ સીધી ખાડીમાં ખાબકી હતી.

પોલીસના કહેવા મુજબ, 150થી વધારે પ્રવાસીઓ હજુ પણ 15 મીલની આગળ ફસાયેલા છે. આ વચ્ચે 30 પર્યટકોને બચાવી પણ લેવાયા છે અને તેમને ગંગટોકની એસટીએનએમ અને સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં આટલા મોટા પાયે હિમસ્ખલન જોવા મળ્યું હોય,આ પહેલા જાન્યુઆરી મહિનામાં જ લદ્દાખ વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો. આ બરફવર્ષાએ બે યુવતીઓનો જીવ પણ લીધો હતો. ગયા વર્ષે પણ ઉત્તરકાશીમાં હિમ સ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી જેમાં 16 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.

જોશીમઠ પહેલાથી જ ઉત્તરાખંડ માટે ખતરો બની ચુક્યો છે. આ પછી હિમસ્ખલનનું એલર્ટ અહીંના લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે સ્થાનિક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. જો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ મુદ્દે સક્રિયતા દાખવી રહી છે.

Related Posts

Top News

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે
Copyright (c) Khabarchhe All Rights Reserved.