સિક્કિમના નાથુલામાં હિમસ્ખલન,6 ટૂરિસ્ટના મોત, 150 લોકો ફસાયા, રેસ્કયૂ શરૂ

Avalancheસિક્કિમમાં હિમસ્ખલનના કારણે ભારે તબાહીના સમાચાર સામે આવ્યા છે. નાથુલા બોર્ડર પાસે કુદરતનો આ કહેર તૂટી પડ્યો છે. સોમવારે નાથુલા પહાડી પાસે બનેલી આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. મોતને ભેટનારામાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. હિમસ્ખલન બાદ કેટલાય પ્રવાસીઓ બરફ નીચે ફસાયા હોવાની આશંકા છે, જેના પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ ઘટના ગંગટોકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરુ માર્ગ પર બપોરે લગભગ 12 વાગ્યેને 20 મિનિટની આસપાસ બની હતી. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં જવા માટે પાસ આપવામાં આવે છે. આ પાસ 13મા માઈલ માટે જારી કરવામાં આવે છે, પરંતુ ટૂરિસ્ટ પરવાનગી વગર 15મા માઈલ તરફ ચાલ્યા ગયા હતા. આ ઘટના 15મી માઈલમાં જ બની હતી.

આ હિમપ્રપાત સિક્કિમના Tsomgo થયો છે જ્યાં હવે રેસ્કયૂ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યાં પોલીસ અને રાહત બચાવ ટુકડીઓ બરફની ચાદરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરી રહી છે. મંગળવારે આ મજબૂત બરફનું તોફાન અચાનક Tsomgo આવ્યું હતું, જેના કારણે ટુરિસ્ટ બસે અંકુશ ગુમાવી દીધો હતો અને બસ સીધી ખાડીમાં ખાબકી હતી.

પોલીસના કહેવા મુજબ, 150થી વધારે પ્રવાસીઓ હજુ પણ 15 મીલની આગળ ફસાયેલા છે. આ વચ્ચે 30 પર્યટકોને બચાવી પણ લેવાયા છે અને તેમને ગંગટોકની એસટીએનએમ અને સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં આટલા મોટા પાયે હિમસ્ખલન જોવા મળ્યું હોય,આ પહેલા જાન્યુઆરી મહિનામાં જ લદ્દાખ વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો. આ બરફવર્ષાએ બે યુવતીઓનો જીવ પણ લીધો હતો. ગયા વર્ષે પણ ઉત્તરકાશીમાં હિમ સ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી જેમાં 16 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.

જોશીમઠ પહેલાથી જ ઉત્તરાખંડ માટે ખતરો બની ચુક્યો છે. આ પછી હિમસ્ખલનનું એલર્ટ અહીંના લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે સ્થાનિક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. જો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ મુદ્દે સક્રિયતા દાખવી રહી છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.