સમલૈંગિક લગ્ન પર સુપ્રીમમાં ખજુરાહોવાળો તર્ક, જુઓ શું કહ્યું કોર્ટે

સમલૈગિક લગ્નને કાયદાકીય માન્યતા આપનારી માગવાળી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સતત બીજા દિવસે સુનાવણી થઈ, કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ આ કેસમાં બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પક્ષકાર બનવાની માગ કરી છે. તેને લઈને કેન્દ્રએ એક ફ્રેશ એફિડેવિટ પણ દાખલ કરી છે. તો અરજીકર્તાઓ તરફથી સીનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ ખજુરાહોના મંદિરની મૂર્તિઓનો સંદર્ભ આપતા કહ્યું કે, સમલૈંગિકતા હજારો વર્ષથી ઉપસ્થિત છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે આ કેસને સમયબદ્ધ રીતે સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર આપતા કહ્યું કે, અન્ય કેસ પણ છે, જેમને સુનાવણીની રાહ છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની સંવિધાન પીઠે એ સમયે આ ટિપ્પણી કરી, જ્યારે અરજીકર્તાઓમાંથી એક તરફથી ઉપસ્થિત વરિષ્ઠ એડવકેટ એ.એમ. સિંધવીએ કહ્યું કે, તેઓ સંભવતઃ ગુરુવારે ભોજનાવકાસ સુધી સમય લેશે. સંવિધાન પીઠ સતત બીજા દિવસે આ કેસની સુનાવણી કરી રહી હતી.

આ પીઠમાં ન્યાયાધિશ કિશન કૌલ, ન્યાયાધીશ એસ. આર, ભટ, ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ પી.એસ. નરસિંહા પણ સામેલ છે. ગુરુવારે પણ આ કેસની સુનાવણી ચાલુ રહી. કેન્દ્રએ સુપ્રીમને ભલામણ કરી કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવાનો અનુરોધવાળી અરજીઓ પર સુનાવણીમાં પક્ષકાર બનાવવામાં આવે. કેન્દ્રએ કહ્યું કે, કેસ વિધાયિકાના અધિકાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે તો બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિચાર જરૂરી છે.

તેણે 18 એપ્રિલે રાજ્યોને ચિઠ્ઠી મોકલીને સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાના અનુરોધવાળી અરજીમાં ઉઠાવવામાં આવેલા મૌલિક મુદ્દાઓ પર તેમની પાસે ટીપ્પણીઓ માગી છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, અરજીઓ પર સુનાવણી અને નિર્ણયનો દેશ પર મહત્ત્વપૂર્ણ પ્રભાવ હશે કેમ કે સામાન્ય લોકો અને રાજનૈતિક પાર્ટીઓ આ વિષય પર અલગ-અલગ વિચાર રાખે છે.

સમલૈંગિક મેરેજને કાયદાકીય માન્યતા માટે દલીલ આપતા અરજીકર્તાના વકીલ મુકુલ રોહતાગીએ ખજુરાહોની મૂર્તિઓનો સંદર્ભ આપ્યો. સમલૈંગિકતાને શહેરી શ્રેષ્ઠ વર્ગના વિચાર બતાવનાર તર્કની આડમાં રોહતાગીએ પોતાના ક્લાયન્ટની કહાની બતાવી. તેમણે કહ્યું કે, તેઓ જે અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે એક નાનકડા શહેરથી છે. તેના માતા-પિતાએ પણ તેના સંબંધો સ્વીકાર્યા છે. અહી સુધી કે છોકરાના માતા-પિતાએ તેનું રિસેપ્શન પણ રાખ્યું.

આ એક નાનકડા શહેરની વાત છે અને માતા-પિતા પાછલી પેઢીના છે. રોહતગીએ કહ્યું કે, તમે ખજુરાહો જાઓ છો અને ત્યાં જે કામ-ક્રીડાને દેખાડવામાં આવી છે, તે હજારો વર્ષથી છે. તેના પર યુરોપનો કોઈ પ્રભાવ નથી. એ ત્યારથી છે જ્યારથી સમાજમાં અસ્તિત્વમાં આવ્યો. બ્રિટિશ પ્રભાવ માત્ર ત્યારે આવ્યો જ્યારે તેમણે કાયદો બનાવ્યો અને વિક્ટોરિયા મૉડલ થોપ્યું. સુનાવણી દરમિયાન CJI ડીવાઇ ચંદ્રચૂડે કહ્યું કે, સમલૈંગિકતા એક અર્બન એલિટિસ્ટ કન્સેપ્ટ છે.

આ દલીલના સમર્થનમાં સરકાર પાસે કોઈ ડેટા નથી. રાજ્ય કોઈ વ્યક્તિ વિરુદ્ધ ભેદભાવ નહીં કરી શકે. એ પણ તેની એવી કોઈ વિશેષતાના આધાર પર જેના પર તેનું પોતાનું વશ ન હોય. જ્યારે તમે તેને જન્મજાત ગુણના રૂપમાં જુઓ છો, તો એ પોતે જ અર્બન એલિટિસ્ટ કોન્સેપ્ટને કાઉન્ટર કરે છે. અર્બન કદાચ એટલે કે મોટા ભાગના લોકો શહેરોમાંથી આવે છે. સરકાર પાસે એ દેખાડવા માટે કોઈ ડેટા નથી કે સમલૈંગિક મેરેજ એક અર્બન એલિટિસ્ટ કોન્સેપ્ટ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.