સજા પણ ઓછી અને જેલ થઈ તો મળી જશે જામીન, વૃજભૂષણ પર લાગી છે આ કલમો

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાલી રહેલા યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી પોલીસે રાઉજ એવેન્યૂ કોર્ટમાં પોતાની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ પર 354, 354(A), 354(D) અને 506(I)ની કલમો લગાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલે ચાર્જશીટમાં વૃજભૂષણ શરણ સિંહ પર લગાવવામાં આવેલી કલમો પર પોતાની પ્રતિક્રિયા રાખી છે.

તેમણે કહ્યું કે, જો વૃજભૂષણ શરણ સિંહને જેલ પણ થઈ જાય છે તો તેમને જામીન મળી જશે. સુપ્રીમ કોર્ટના વકીલ ડી.કે. ગર્ગે આ બધા કાયદાની કલમોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કલમો પોતાની જાતમાં એવી કલમો છે જેમાં જામીન મળી શકે છે, કેમ કે આ કલમો સાથે જો તે દોષી પણ સાબિત થાય છે તો વધારે સજા થતી નથી. તેમણે આગળ કહ્યું કે, તેમનું એવું માનવું છે કે આ કલમો હેઠળ પણ વૃજભૂષણ સિંહની ધરપકડ કરવી જોઈએ, જેથી યોગ્ય તથ્ય સામે આવી શકે છે.

હવે જરા એ પણ સમજી લઈએ કે વૃજભૂષણ પર લાગેલી કલમો કયા ગુના હેઠળ આવે છે કલમ 354 કોઈ મહિલાનો શીલ ભંગ કરવાના ઇરાદાથી તેના પર હુમલો કરવાથી સંબંધિત છે. આ ગુના માટે 1-5 વર્ષ સુધી સજા અને આર્થિક દંડનું પ્રાવધાન છે. વૃજભૂષણ શરણ સિંહ પર 354 (A)ની કલમ પણ લાગી છે. 354(A) યૌન ઉત્પીડન સાથે સંબંધિત કલમ છે અને એ હેઠળ કોઈ મહિલાને ખોટી રીતે સ્પર્શ કરવા કે તેને બળજબરીપૂર્વક અશ્લીલ સામગ્રી દેખાડવા જેવા ગુના આવે છે. તેના માટે 1-3 વર્ષ સુધી માટે કારાવાસની સજાનું પ્રવધાન છે.

આ પ્રકારે વૃજભૂષણ પર લગાવવામાં આવેલી કલમ 354(D) પીછો કરવા સંબંધિત છે. એ હેઠળ 3 વર્ષ સુધીની જેલ અને દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. એ સિવાય કલમ 506(I) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે જે ધમકાવવા સંબંધિત છે. એ હેઠળ દોષી સાબિત થવા પર લાંબા કારાવાસની સજાનું પ્રાવધાન નથી. કહેવામાં આવી રહ્યું છે કે, પોતાની ચાર્જશીટમાં દિલ્હી પોલીસે વૃજભૂષણ શરણ સિંહ સિવાય ભારતીય કુશ્તી સંઘના પૂર્વ સહાયક સચિવ વિનોદ તોમરનું નામ પણ લીધું છે.

હવે દિલ્હીની કોર્ટ 22 જૂનના રોજ ચાર્જશીટ પર સુનાવણી કરશે. વૃજભૂષણ શરણ સિંહ માટે એક રાહત ભરેલા સમાચાર એવા આવ્યા કે, દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં તેમના પર નોંધાયેલા POCSO એક્ટ હેઠળ એક કેસને નકારવાની અરજી લગાવી છે. ઉલ્લેખનીય છે કે 7 મહિલા પહેલવાનોમાંથી જે એક સગીર મહિલા પહેલવાને વૃજભૂષણ પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે વૃજભૂષણ પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતો.

પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે, વૃજભૂષણ પર POCSO એક્ટ હેઠળ નોંધાવવાના કેસમાં કોઇ પુરાવા મળ્યા નથી. સગીર મહિલા પહેલવાન અને તેના પિતાના નિવેદનના આધાર પર POCSOનો કેસ રદ્દ કરવાની મહોર લગાવી છે. આ કોર્ટમાં પોલીસમાં પોલીસે 552 પાનાંનો કેન્સલેશન રિપોર્ટ આપ્યો છે. કોર્ટ તેના પર 4 જુલાઇના રોજ સુનાવણી કરશે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.