કોંગ્રેસ દિલ્હી-પંજાબ છોડી દે અમે MP-રાજસ્થાનમાં ચૂંટણી નહીં લડીશું: AAPની ઓફર

આમ આદમી પાર્ટીના મંત્રી સૌરભ ભારદ્વાજે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસનો લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે, તેમને એ પણ ખબર નથી કે જનતા શું ઈચ્છે છે. દેશની સૌથી જૂની પાર્ટી હવે દેશની સૌથી નવી પાર્ટી પાસેથી વિચારો અને મેનિફેસ્ટોની ચોરી કરવા લાગી છે.

આમ આદમી પાર્ટીના મંત્રી સૌરભ ભારદ્રાજે કોંગ્રેસને એક મોટી ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ પંજાબ અને દિલ્હીમાં ચૂંટણી નહીં લડે તો આમ આદમી પાર્ટી પણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચૂંટણી નહીં લડે. જ્યારે સૌરભ ભારદ્રાજને સવાલ પુછવામાં આવ્યો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં AAP ચૂંટણી લડશે તો ત્યાં કોંગ્રેસને નુકશાન પહોંચાડશે. જો બંને પાર્ટીઓ એકબીજાના વોટ કાપશે, તો પછી એક સાથે આવવાનો શું મતલબ છે?

જેના જવાબમાં  AAPના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, વર્ષ 2015 અને વર્ષ 2020માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ઝીરો સીટ મેળવી હતી, આમ છતા કોંગ્રેસ અહીંથી ચૂંટણી લડે છે.ભારદ્વાજે કહ્યું કે જો કોંગ્રેસ એવું કહી દે કે  અમે પંજાબ અને દિલ્હીમાં ચૂંટણી નહીં લડીશું, તો અમે આમ આદમી પાર્ટી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી નહીં લડીએ.

મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં માત્ર લીડરશીપનો જ અભાવ નથી, પરંતુ વિચારોનો પણ અભાવ છે. કોંગ્રેસનો લોકો  સાથેનો સંપર્ક ખતમ થઇ ગયો છે, એમને એ પણ ખબર નથી કે પ્રજાને શું ઇચ્છે છે. દેશની સૌથી જૂની પાર્ટી  હવે દેશની સૌથી નવી પાર્ટીના મેનિફેસ્ટો પણ ચોરી કરી લે છે. મંત્રીએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એટલે જ કહ્યું હતું કે બધા ચૂંટણી ઢંઢેરા ખોટા હોય છે એટલે અમે ‘ગેરંટી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, તો કોંગ્રેસે આ ‘ગેરંટી’ શબ્દો પણ ચોરી લીધો હતો.

સૌરભ ભારદ્વાજે કહ્યું કે જ્યારે આમ આદમી પાર્ટી પહેલીવાર એ વાત લઇને આવી કે અમે દિલ્હીમાં 200 યૂનિટ વીજળી મફત આપીશું અને 400 યૂનિટ વીજળી અડધી કિંમતે આપીશું. તે વખતે કોંગ્રેસે દિલ્હીમાં અમારો સૌથી વધારે વિરોધ કર્યો હતો અને અમારી મજાક ઉડાવી હતી. તો મારે એ પુછવું છ કે, પહેલા મજાક ઉડાવી તો હવે અમારો આઇડિયા કોપી કેમ કરો છો?  હિમાચલમાં પણ મહિલાઓને માસિક ભથ્થા અને મફત વીજળીનનો અરવિંદ કેજરીવાલનો આઇડિયા કોંગ્રેસે કોપી કરી લીધો હતો.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.