રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં નવી સંસદના ઉદ્ઘાટનનો વિવાદ, જાણો તેમણે પોતે શું કહ્યું?

જે મુદ્દા પર વિપક્ષ નવા સંસદ ભવનના ઉદઘાટનને રાજકારણ સાથે જોડી રહ્યું હતું, તેમનો દાવ તેમના પર જ ઉલટો પડી ગયો છે. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઇએ. જો કે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પોતાના સંદેશામાં કહ્યું છે કે નવા સંસદ ભવનનું ઉદઘાટન PM મોદીના હસ્તે થવું એ સંતોષની વાત છે. વિપક્ષના વિરોધ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28મીને રવિવારે નવા સંસદ ભવનનું ઉદઘાટન કરી દીધું હતું અને પ્રજાને સંબોધન પણ કર્યું હતું.

જ્યારથી નવા સંસદ ભવનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ વિરોધ ચાલું કર્યો હતો અને એવી માંગણી કરી હતી કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઇએ. લગભગ 20 વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કરીને કહ્યું હતું કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે જ થવું જોઇએ. વિપક્ષે સાથે એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે વીર સાવરકર જંયતિના દિવસે જ કેમ નવા સંસદ ભવનના ઉદઘાટનની તારીખ નક્કી કરવામાં આવી?  વિપક્ષોએ નવા સંસદ ભવન ઉદઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.

જો કે વિરોધ પક્ષોનો આ દાવ ઉંધો પડી ગયો,જ્યારે ઉપાધ્યક્ષ હરિવંશે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનો સંદેશો વાંચી સંભળાવ્યો. રાષ્ટ્રપતિએ સંદેશમાં લખ્યું છે કે PM મોદી નવા સંસદ ભવનનું ઉદઘાટન કરી રહ્યા છે તેનો સંતોષ છે. નવા સંસદ ભવન નીતિઓ દ્વારા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સહિત તમામ દેશવાસીઓની જરૂરિયાતોને સક્રિયપણે સમાધાન સુનિશ્ચિત કરશે.આ લોકશાહીનું પારણું છે.આપણો દેશ લોકતંત્રના વૈશ્વિક ફેલાવાના સંરક્ષકમાં સહાયક રહ્યો છે.

આ પહેલા રાજયસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણે કહ્યું કે, નવું સંસદ ભવન સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિક છે. ગૌરવશાળી ભવન નવો ઇતિહાસ લખશે.નવું સંસદ એ ગુલામીના માનસિકતામાંથી મૂક્તિનું પ્રતિક છે. દેશના દરેક ખુણામાંથી લાવવામાં આવેલી સંસ્કૃતિની ભવ્યતા છે.

નવા સંસદ ભવનના ઉદઘાટન પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આ નવું ભવન આપણા સ્વતંત્રતા સેનાનીઓના સપનાને સાકાર કરવાનું સાધન બનશે. આ નવું ભવન આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે. આ નવું ભવન વિકસિત ભારતના સંકલ્પોની સિદ્ધી મેળવતું દેખાશે. નવા રસ્તા પર ચાલી ને જ નવો કિર્તીમાન બનાવી શકાય છે. આજે નવું ભારત નવું લક્ષ્ય નક્કી કરી રહ્યું છે. નવો જોશ છે, નવો ઉમંગ છે, દિશા નવી છે, દ્રષ્ટ્રિ નવી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.