મનીષ સિસોદિયાની જેલમાંથી ચિઠ્ઠી- PMનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખૂબ જ ખતરનાક

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ જેલથી દેશના નામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાના પર લેતા ચિઠ્ઠી લખી છે, આ ચિઠ્ઠીમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન ઓછું ભણેલા હોવું દેશ માટે ખતરનાક છે. મનિષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષણનું મહત્ત્વ સમજતા નથી અને છેલ્લા કેટલાક વર્ષોથી તેમણે આખા દેશમાં 60 હજારથી શાળાઓ બંધ કરી દીધી છે. મનિષ સિસોદિયાએ કટાક્ષ કરતા કહ્યું કે, દેશની પ્રગતિ માટે વડાપ્રધાનનું ભણેલું-ગણેલું હોવું જરૂરી છે.

મનિષ સિસોદિયાએ પોતાની ચિઠ્ઠીમાં લખ્યું કે, વડાપ્રધાન જ્યારે વાત કહે છે કે ગંદા નાળામાંથી ગેસ કાઢીને ચા બનાવી શકાય છે, ત્યારે મારું દિલ બેસી જાય છે. મનિષ સિસસોદિયાએ જેલથી દેશના નામે લખેલી ચિઠ્ઠીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંવૈધાનિકતા પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પોતાની ચિઠ્ઠીમાં કહ્યું કે, દેશના વડાપ્રધાન ઓછા ભણેલા છે એટલે દુનિયાના રાષ્ટ્રાધ્યક્ષો તેમને ગળે લગાવીને ન જાણે કેટલાય કાગળો પર સહી કરાવી લે છે કેમ કે વડાપ્રધાન સમજી જ શકતા નથી કેમ કે તેઓ ઓછા ભણેલા-ગણેલા છે.

મનિષ સિસોદિયાએ આગળ લખ્યું કે, આજે દેશના યુવાનો મહત્ત્વકાંક્ષી છે, તેઓ કંઈક કરવા માગે છે અને તેઓ અવસરની તપાસમાં છે, તેઓ દુનિયા જીતવા માગે છે, સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં તે કમાલ કરવા માગે છે. શું એક ઓછા ભણેલા-ગણેલા વડાપ્રધાન આજે યુવાઓના સપાનાઓને પૂરા કરવાની ક્ષમતા રાખે છે? હાલના વર્ષોમાં આખા દેશમાં 60 હજાર સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી, કેમ? એક તરફ દેશની વસ્તી વધી રહી છે તો સરકારી શાળાઓની સંખ્યા પણ તો વધવી જોઈતી હતી.

અરવિંદ કેજરીવાલે આ ચિઠ્ઠી પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે, મનિષ સિસોદિયાએ જેલથી દેશના નામે ચિઠ્ઠી લખી છે. વડાપ્રધાનનું ઓછું ભણેલા-ગણેલા હોવું દેશ માટે ખૂબ જ ખતરનાક, મોદીજી વિજ્ઞાનની વાતો નથી સમજતા, મોદીજી શિક્ષણનું મહત્ત્વ નથી સમજતા, છેલ્લા થોડા વર્ષોમાં 60,000 શાળાઓ બંધ કરી દેવામાં આવી.

ભારતની પ્રગતિ માટે ભણેલા-ગણેલા વડાપ્રધાન હોવા જરૂરી. અરવિંદ કેજરીવાલની આ પોસ્ટ પર લોકોએ ઘણી કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે, મોદીને વોટ આપનાર 99.99 ટકા લોકોને કોઈ ફરક પડતો નથી કે મોદીજીની ડિગ્રી શું છે? ઊલટાનું તેમાં વધારે રુચિ લઈ રહ્યા છે અને તપાસ પણ કરી રહ્યા છે કે IITની ડિગ્રીવાળાએ એવો કયો તાર મારી લીધો ભલો?

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.