કેજરીવાલના ઘરના 45 કરોડ, BJPના આરોપ પર AAPએ PM મોદીના કયા ખર્ચા યાદ અપાવ્યા

કેજરીવાલના ઘર પર બબાલ શરૂ થઇ છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી સામ સામે પ્રહારો કરી રહ્યા છે. ભાજપે કહ્યુ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ઘર 45 કરોડ રૂપિયાનું છે તો આમ આદમી પાર્ટીએ પ્રધાનમંત્રીએ કરેલા ખર્ચાનો હિસાબ આપી દીધો હતો. કોંગ્રેસે પણ આ બબાલમાં ઝંપલાવ્યું છે અને  અરવિંદ કેજરીવાલના શપથ વખતની યાદ અપાવી દીધી છે.

અરવિંદ કેજરીવાલના ઘરના રિનોવેશનમાં 45 કરોડ રૂપિયાના ખર્ચને વિપક્ષ ભાજપે મુદ્દો બનાવ્યો છે. BJPએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 'શીશમહલના રાજા' ગણાવ્યા છે. સાથે તેમના રાજીનામાની માંગણી કરી છે. અહીં AAPએ પણ જવાબ આપ્યો છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે ઘર 80 વર્ષ જૂનું છે. તેના ઘણા રૂમની છત પડી ગઈ છે. સમારકામ જરૂરી છે. પાર્ટીએ PM મોદીના ઘર અને તેના રિનોવેશનનો ઉલ્લેખ કર્યો છે.

આમ આદમી પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે એ ઘર જીર્ણ- શીર્ણ અવસ્થામાં હતું. ત્યાં ગંભીર ઘટનાઓ બની. એક વખત મુખ્યમંત્રીના માતા-પિતાના રૂમમાં છત પડી હતી. CMના બેડરૂમની અને ઓફીસની છત પણ પડી હતી. એ પછી PWDએ નવા ઘરની ભલામણ કરી હતી. એ ઘર મુખ્યમંત્રીનું નથી. સરકાર દ્રારા ફાળવવામાં આવેલું છે.

આમ આદમી પાર્ટીએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રીના ઘરની અંદાજિત કિંમત 467 કરોડ રૂપિયા છે. સેન્ટ્રલ વિસ્ટાની અંદાજિત કિંમત 20,000 કરોડ રૂપિયા છે. ઉપરાંત PMના રેસ કોર્સ વાળા ઘરના રિનોવેશનની અંદાજીત ખર્ચ 27 કરોડથી 3 ગણો વધીને 89 કરોડ કરવામાં આવ્યો હતો. દિલ્હીના LGના ઘર માટે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

આ પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે 44.78 કરોડ રૂપિયામાં પોતાના ઘરનું સોંદર્યકરણ કરાવ્યું છે. AAPનું કહેવું છે કે ભાજપ જરૂરી મુદ્દાઓને ભટકાવવા માંગે છે. કોંગ્રેસ નેતા અજય માકને પણ ટ્વીટ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું શપથ પત્ર બતાવ્યું, જેમાં કેજરીવાલ કોઇ પણ સરકારી સુવિધા લેશે નહીં તેવો  ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, જ્યારે કેજરીવાલ 2015માં આ ઘરમાં આવ્યા ત્યારે તે લગભગ 1,400 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું હતું. તેમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરનો સમાવેશ થાય છે. દસ્તાવેજો દર્શાવે છે કે નવીનીકરણ પછી, મકાનમાં વધારાનો માળ છે અને કુલ વિસ્તાર વધીને 1,905 ચો.મી.થયો છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.