મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી આપી શકે છે રાજીનામું, PM સાથે કરી વાત

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સોમવારે કહ્યું કે, તેઓ રાજનૈતિક જવાબદારીથી મુક્ત થવા માગે છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલની મુંબઇ યાત્રા દરમિયાન મેં તેમને બધી રાજનૈતિક જવાબદારીથી મુક્ત થવા અને વાંચવા, લખવા અને અન્ય ગતિવિધિઓમાં પોતાનું બાકી બચેલું જીવન વ્યતીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સંતો, સમાજ અને વીર સેનાનીઓની ભૂમિ મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યના રાજ્ય સેવક કે રાજ્યપાલના રૂપમાં સેવા કરવાનું મારા માટે સન્માન અને સૌભાગ્યની વાત રહી છે.

તેમણે કહ્યું કે, છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમય દરમિયાન મહારાષ્ટ્રની જનતા પાસેથી જે પ્રેમ અને સ્નેહ મળ્યો છે અને આ બાબતે પણ મને આ જ પ્રકારની આશા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીના રોજ કોઇ ‘બુનિયાદી ઢાંચા પરિયોજનાઓ’નું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરવા માટે મુંબઇ પહોંચ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં રાજ્યપાલ કોશ્યારીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેઓ રાજ્યપાલ બન્યા બાદ નાખુશ છે અને તેમને લાગે છે કે તેઓ યોગ્ય જગ્યાએ નથી.

તેમણે આગળ કહ્યું કે, તેમને ખુશી ત્યારે જ અનુભવાય છે જ્યારે સંન્યાસી રાજભવનમાં આવે છે. ભગત સિંહ કોશ્યારીની સપ્ટેમ્બર 2019માં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ભગત સિંહ કોશ્યારીએ લગભગ 3 વર્ષનો કાર્યકાળ રાજ્યપાલ તરીકે પૂરો કર્યો છે. જો કે, આ દરમિયાન પોતાના વિવાદિત નિવેદનોના કારણે વધારે ચર્ચામાં રહ્યા. ગયા વર્ષે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજને લઇને વિવાદિત નિવેદન આપી દીધું હતું.

એક કાર્યક્રમમાં ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જ્યારે અમે શાળામાં ભણતા હતા તો અમારા શિક્ષક અમને પૂછતા હતા કે તમારા પસંદગીના નેતા કોણ છે? તો લોકો પોતાની ઇચ્છાથી અલગ અલગ નામ લેતા હતા. કોઇ સુભાષ ચંદ્ર બોઝ તો કોઇ જવાહરલાલ નેહરુ તો કોઇ મહાત્મા ગાંધીનું નામ લેતા હતા અને તેમને પોતાના હીરો બતાવતા હતા, પરંતુ મને એમ લાગે છે કે જો તમને કોઇ પૂછે કે તમારા ફેવરિટ હીરો કોણ છે તો તમારે ક્યાંક દૂર જવાની જરૂરિયાત નથી. બધુ તમને મહારાષ્ટ્રમાં જ મળી જશે. શિવાજી મહારાજ તો જૂના જમાનાની વાત છે. હું નવા યુગની વાત કરી રહ્યો છું, બધા અહીં જ મળી જશે. ડૉ. ભીમરાવ આંબેડકરથી લઇને નીતિન ગડકરી સુધી તમને અહીં જ મળી જશે. અન્ય પણ એવા કેટલાક નિવેદનો છે જેના કારણે વિવાદો થયા હતા.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.