PM મોદી અને CM યોગીને ઇસ્લામ કબૂલ કરાવવા માગે છે આ વ્યક્તિ, જાવેદ અખ્તર બોલ્યા..

બધુ સુધરી જશે. આ વાત પર હવે જાવેદ અખ્તરે પ્રતિક્રિયા આપી છે. ગુરુવારે હિન્દુ પોસ્ટે પોતાના ટ્વીટર હૅન્ડલ પર મૌલાનાનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બાબતે વાત કરી રહ્યો હતો. આ વીડિયો પર શુક્રવારે જાવેદ અખ્તરે પ્રતિક્રિયા આપીને પૂછ્યું કે, આ બુદ્ધિહીન જોકર કોણ છે? તેના પરિવારે અત્યાર સુધી પાગલખાને કેમ નથી નાખ્યો?’

જાવેદ અખ્તરની ટ્વીટ પર લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘શું એજન્ડા અને વિચાર છે.’ ઉલ્લેખનીય છે કે મૌલાના તૌકીર અહમદે Times Now નવભારત સાથે વાતચીત કરતા આ બધી વાતો કહી હતી. ઇન્ટરવ્યૂમાં મૌલાના તૌકીર અહમદ કહી રહ્યો છે કે તેનો હેતુ યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇસ્લામ કબૂલ કરાવવાનો છે. મૌલાનાએ આ બંનેને હિન્દુઓના મુખ્ય વ્યક્તિત્વ બતાવતા કહ્યું કે આ બંને કન્વર્ટ થઈ ગયા તો ઘણું બધુ સુધારી જશે.

મૌલાના તૌકીર અહમદેએ કહ્યું કે, ‘ વર્ષ 2014 થી વર્ષ 2023માં અત્યાર સુધી 20 લાખ કરતા વધુ દેશમાં મુસ્લિમ થઈ ચૂક્યા છે. અમે પ્રયાસમાં છીએ કે દેશમાં શરિયા લાગૂ થાય, જેમ કે બીજા દેશ અફઘાનિસ્તાનમાં થયું. હું તો યોગીજીને એ સમજાવવા માગીશ કે એક વખત બેસો અને સમજો કે દિવસ અને ઇસ્લામ શું છે. ઇન્શાલ્લાહ તેઓ જરૂર ઈમાન લાવશે. હવે જાવેદ અખ્તરે આ વાત પર પ્રતિક્રિયા આપી છે. જાવેદ અખ્તરની ટ્વીટ પર કેટલાક લોકો પૂછી રહ્યા છે કે આ બોલવા માટે કેટલા પૈસા આપવામાં આવ્યા છે.

એક યુઝરે લખ્યું કે, આ વ્યક્તિના કેવા સારા વિચાર છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, મીડિયાને TRP જોઈએ છે અને તે તેના માટે એવાને બોલાવે છે. જો કે, ઘણા લોકોએ જાવેદ અખ્તરને જ નિશાના પર લઈ લીધા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.