વિપક્ષની મહાબેઠકમાં 27 નેતા, રાહુલ ગાંધીએ કહ્યું-ચોખ્ખું દિલ હોય તો જ સાથે આવજો

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સત્તા પરથી હટાવવા માટે એકજૂટ થયેલી દેશની અપોઝિશન પાર્ટીના નેતાઓની મહાબેઠક બિહારટના પટનામાં શરૂ થઇ ગઇ છે. આ બેઠક બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બોલાવી છે. આ બેઠકમાં મમતા બેનર્જી,  અરવિંદ કેજરીવાલ, ભાગવંત માન, એમ કે સ્ટાલિન સહિત 6 રાજ્યોના મુખ્યમંત્રી અને અખિલેશ યાદવ, ઉદ્ધવ ટાકરે, મહેબૂબા મૂફ્તી, સહિત 5 રાજ્યોના પૂર્વ CM આ મહાબેઠકમાં સામેલ થયા છે. ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મલ્લિકાજૂર્ન ખડગે, સંજય રાઉત સહિતના નેતાઓ પણ બેઠકમાં હાજર છે.

આ બેઠકમાં BRS,JDS અને YSR કોંગ્રેસે બેઠકમાં હાજરી આપી નથી.

બિહારના પટનામાં શુક્રવારે શરૂ થયેલી વિરોધ પક્ષની મહાબેઠકમાં હાજર રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણને વિપક્ષની એકતાની ખુબ જરૂર છે. સાફ દિલ સાથે જ વિપક્ષ ભેગા થાય,સામ સામે સ્પષ્ટ વાત કરવામાં આવે, પછી એવું ન થાય કે અંદર કઇંક વાત કરવામાં આવે અને બહાર જઇને કઇંક જુદુ જ કહેવામાં આવે.

 આ મહાબેઠકમાં 15 પાર્ટીઓના 27 નેતાઓ સામેલ થયા છે. જેમાં JDUના નીતિશ કુમાર અને લલન સિંહ,TMCના મમતા બેનર્જિ, ફિરહાદ હકીમ, ડેરેક ઓ બ્રાયન અને અભિષેક બેનર્જિ, DMKના એમ કે સ્ટાલિન અને ટી આર બાલુ,કોંગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધી,AAPના અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ અને ભગવંત માન, ઝામુમોના હેમંત સોરેન, શિવસેના(UBT)ના ઉદ્ધવ ઠાકરે, આજિત્ય ઠાકરે અને સંજય રાઉત,NCPના શરદ પવાર, સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ, RJDના લાલુપ્રસાદ યાદવ,તેજ્સવી યાદવ,સંજય ઝા,અને મનોજ ઝા, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ,CPIMના સીતારામ યેચુરી અને ડી રાજા,જે એન્ડ કે નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા,PDPનો મહેબૂબા મૂફ્તી,CPIMLના દીપકંર ભટ્ટાચાર્ય સામેલ છે.

કેન્દ્રીય ગહ મંત્રી અમિત શાહ અત્યારે જમ્મૂમાં છે તેમણે વિપક્ષ પર નિશાન સાધીને કહ્યું છે કે આજે પટનામાં ફોટોસેશન ચાલી રહ્યું છે. બધા વિપક્ષના નેતા એક મંચ પર આવી ગયા છે. તેઓ સંદેશો આપવા માંગે છે કે તેઓ ભાજપ અને  PM મોદીને પડકારશે. અમિત શાહે કહ્યું કે, હું તેમને કહેવા માંગુ છે કે તમે કેટલાં પણ હાથ મેળવી લો તમે એક સાથે નહીં આવી શકો. કદાચ આવી પણ જશો તો પણ 2024માં 300 બેઠકોની જીત સાથે આવશે તો PM મોદી જ.

વિપક્ષી એકતા બેઠક પહેલા AAPએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી છે કે જ્યારે સંસદમાં દિલ્હી સર્વિસ ઓર્ડિનન્સ લાવવામાં આવશે ત્યારે કોંગ્રેસ વોકઆઉટ કરશે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું,અમને માહિતી મળી છે કે રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે સમજૂતી થઈ છે કે તેઓ ગેરકાયદેસર વટહુકમ સામે ભાજપની સાથે છે.

ગેરબંધારણીય વટહુકમ દ્વારા દિલ્હીના લોકો અને દિલ્હી સરકારના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. કોંગ્રેસ આટલો સમય કેમ લે છે? કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ કે તે બંધારણની સાથે છે કે ભાજપ સાથે?

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.