કર્ણાટક હાર બાદ RSSની BJPને સલાહ,કહ્યુ-મોદીનો કરિશ્મા અને હિન્દુત્વ પૂરતું નથી

કર્ણાટકમાં શરમજનક હાર બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે BJPને 'આત્મચિંતન' કરવાની સલાહ આપી છે. સંઘે પોતાના મુખ્ય પત્ર ઓર્ગેનાઈઝરમાં કહ્યું છે કે, દરેક જગ્યાએ જીત માટે માત્ર PM નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ પૂરતું નથી. RSSએ BJPના મિશન 2024ને ધ્યાનમાં રાખીને આ સલાહ આપી છે. RSSએ આ સમયગાળા દરમિયાન પાર્ટીને સ્પષ્ટ કરી દીધું છે કે, મજબૂત જન આધાર અને પ્રાદેશિક નેતૃત્વ વિના ચૂંટણી જીતવી સરળ નથી.

વાસ્તવમાં કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન BJPએ સ્ટાર પ્રચારકો ખાસ કરીને PM નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ પર ભાર મૂક્યો હતો. કર્ણાટકની ચૂંટણીમાં આવા ઘણા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા જેનો સીધો સંબંધ હિન્દુત્વ સાથે હતો. BJP આ મુદ્દાઓને આધારે એકતરફી જીત નોંધાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે, જનતાએ પક્ષને ઊંધો પાડી દીધો અને કોંગ્રેસને વિજયનો તાજ પહેરાવ્યો. કોંગ્રેસ માટે નહીં પણ BJP માટે આ ચોક્કસપણે મોટો ફટકો હતો.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તેના લેખમાં લખ્યું છે કે, PM નરેન્દ્ર મોદીના કરિશ્મા અને હિન્દુત્વના વિચારો તમામ જગ્યાએ ચૂંટણી જીતવા માટે પૂરતા નથી. આ લેખમાં લખવામાં આવ્યું છે કે, વિચારધારા અને કેન્દ્રીય નેતૃત્વ હંમેશા BJP માટે સકારાત્મક પાસાં હોઈ શકે છે, પરંતુ જનતાના મનને પણ પાર્ટીએ સમજવી પડશે. સંઘે લખ્યું કે, BJPએ કર્ણાટક ચૂંટણીમાં કેન્દ્રના મુદ્દાઓ લાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, કોંગ્રેસે સ્થાનિક મુદ્દાઓ છોડ્યા નથી અને આ જ તેમની જીતનું કારણ છે.

સંઘે BJPની એ રણનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે, જેમાં પાર્ટીએ જાતિના મુદ્દાઓ દ્વારા વોટ એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. સંઘે કહ્યું છે કે, પાર્ટીએ આ પ્રયાસ એવા રાજ્યમાં કર્યો છે જે ટેક્નોલોજીનું હબ છે. સંઘે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અહીં તમને જણાવી દઈએ કે, જ્યારથી PM મોદી સરકાર કેન્દ્રમાં આવી છે, એટલે કે 2014 પછી પહેલીવાર BJP કોઈપણ રાજ્યની ચૂંટણીમાં ભ્રષ્ટાચારના મુદ્દાનો બચાવ કરતી જોવા મળી છે. એટલું જ નહીં, આવું પણ પહેલીવાર બન્યું છે, જ્યારે સંઘે BJPને ચૂંટણીને લઈને સલાહ આપી હોય. વાસ્તવમાં સંઘના મુખ્ય પેપરના સંપાદક પ્રફુલ્લ કેતકરે 23 મેના તંત્રીલેખમાં આ વાતો લખી છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.