પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાએ ગોડસેને દેશભક્ત કહ્યો

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે. ત્રિવેન્દ્રસિંહ રાવતે પોતાના એક નિવેદનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ગાંધીજીની હત્યા એ અલગ મુદ્દો છે, પરંતુ જ્યાં સુધી તેમણે ગોડસેને સમજ્યો અને વાંચ્યો છે, તે પણ એક દેશભક્ત હતો. ત્રિવેન્દ્રસિંહ રાવતે વધુમાં કહ્યું કે તેઓ ગાંધીજીની હત્યા સાથે સહમત નથી.

7 જૂને મીડિયા સાથે વાતચીત દરમિયાન પૂર્વ CM રાવતે અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદન પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તેમના પ્રયાસોથી કોંગ્રેસ પાર્ટીને કોઈ ફાયદો થશે નહીં. રાહુલ ગાંધી પોતાની પાર્ટીની બગડતી હાલત જોઈને હતાશા અને માનસિક તણાવમાં બોલી રહ્યા છે. માનસિક તણાવમાંથી પસાર થતી વ્યક્તિને જનતા ક્યારેય સ્વીકારશે નહીં.

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું- નાથુરામ ગોડસે દેશભક્ત હતો, તેમની દેશભક્તિ પર શંકા કરી શકાય નહીં. પરંતુ રાહુલ ગાંધી કયો ગાંધીવાદ કરી રહ્યા છે? ગાંધીજીએ જે સ્વદેશીની વાત કરી, તેઓ કયા સ્વદેશની વાત કરી રહ્યા છે. તેઓ તેમના જનોઈના દોરાને બહાર લટકાવીને ગાંધીવાદી બનવા માગે છે. જનતા એમને સમજે છે. રાહુલ ગાંધી દેશની છબી ખરડાવવાની વાત કરી રહ્યા છે, બીજું કંઈ નથી કરી રહ્યા.

CM કેજરીવાલ-અખિલેશ યાદવની બેઠક પર પણ ટિપ્પણી કરતા ત્રિવેન્દ્ર રાવત બલિયા પહોંચ્યા હતા અને તે જ દિવસે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ વિરુદ્ધ સમાજવાદી પાર્ટીનું સમર્થન મેળવવા અખિલેશ યાદવને મળવા આવ્યા હતા. આ અંગે પણ ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે અરવિંદ કેજરીવાલથી મોટો ડ્રામા કરી શકે તેવો બીજો કોઈ નેતા નથી અને હવે અખિલેશ તેમની પાસેથી ડ્રામા શીખવા માગે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.