રાહુલના સમર્થનમાં લોકો રસ્તા પર નથી આવી રહ્યા, આવું કહી ચિદમ્બરમે ચોંકાવ્યા

રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ અને સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ વિપક્ષ તેમના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓએ સંસદ ભવન સંકુલમાં પ્રદર્શન કર્યું હતું. આ સિવાય કોંગ્રેસે ઘણા રાજ્યોમાં 'સત્યાગ્રહ' માર્ચ કાઢી. આ મુદ્દે રાજ્યસભામાં એટલો હંગામો થયો હતો કે, જમ્મુ-કાશ્મીર માટેના બજેટ પર ચર્ચા થઈ શકી ન હતી અને તેને ચર્ચા કર્યા વિના જ લોકસભામાં પરત મોકલી દેવામાં આવ્યું હતું. એક તરફ કોંગ્રેસ PM મોદી સરકાર પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવીને જનતામાં વિશ્વાસ વ્યક્ત કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા P ચિદમ્બરમે પણ રાહુલ ગાંધીને લોકોનું સમર્થન ન મળતું હોવાનું સ્વીકાર્યું છે.

જ્યારે P ચિદમ્બરમને પૂછવામાં આવ્યું કે, રાહુલ ગાંધીનું સભ્યપદ ગુમાવ્યા બાદ જનતા તેમના સમર્થનમાં વિરોધ કરવા નથી આવી રહી. તેના પર P ચિદમ્બરમે કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી જનતા કોઈ પણ મુદ્દા પર વિરોધ કરવા આવતી નથી. ખેડૂતોને પણ જનતાનો સાથ મળ્યો નથી. CAAના કિસ્સામાં માત્ર મુસ્લિમોએ જ પ્રદર્શન કર્યું. આઝાદી પહેલા દરેક વર્ગે ગાંધીજીને ટેકો આપ્યો હતો. તેઓ રસ્તા પર આવી ગયા હતા. હું આશ્ચર્ય અને નિરાશ છું કે, લોકો અન્ય દેશોની જેમ વિરોધ કરવા અહીં નથી આવી રહ્યા. હોંગકોંગમાં પણ લોકો વિરોધ કરી રહ્યા છે.

P ચિદમ્બરમે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી લોકો સાથે વાતચીત કરી રહી છે. તેમણે કહ્યું કે, આ PM નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની વાત નથી. TMCને એમ પણ લાગ્યું કે આ બે વ્યક્તિની વાત નથી પરંતુ લોકશાહી સામે પડકાર છે. તેમણે કહ્યું કે, તમામ પક્ષો સમજી ગયા છે કે, PM મોદી સરકાર જે રીતે કામ કરી રહી છે તેનો વિરોધ કરવો જરૂરી છે. તેમણે કહ્યું કે, ચાર દિવસ પહેલાની સરખામણીમાં હવે વિપક્ષ વધુ એકજૂથ છે. તેનું કારણ એ છે કે, લોકશાહીને આપવામાં આવી રહેલા પડકારને દરેક સમજી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ વિપક્ષે રણનીતિ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી. વિપક્ષે કાળા કપડા પહેરીને પ્રદર્શન કર્યું હતું. આમાં TMC પણ સામેલ હતી. જ્યારે, કેટલાક દિવસોથી જોવામાં આવી રહ્યું હતું કે, TMC કોંગ્રેસની ટીકા કરી રહી છે. CM મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ 2024 માટે રણનીતિ બનાવવામાં નિષ્ફળ રહી છે. જો રાહુલ ગાંધીની વાત કરીએ તો તેમને સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ બંગલો ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે, તેમણે 22 એપ્રિલ સુધીમાં પોતાનો સરકારી બંગલો ખાલી કરી દેવો જોઈએ.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.