PMએ જણાવ્યું 9 વર્ષમાં કેવી રીતે બદલાઇ હેડલાઇન, મીડિયાને TRP વધારવા આઇડિયા આપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી અને પોતાના કાર્યકાળ દરમિયાન દેશમાં થયેલા બદલાવોનો પણ ઉલ્લેખ કર્યો. તેમને પોતાના ભાષણમાં બદલાયેલા સમાચારોમાં, બદલાયેલા ભારતની ઝલક નજરે પડી. સાથે જ મીડિયાને TRP વધારવાનો ફોર્મ્યૂલા પણ આપ્યો હતો. મંચ પરથી બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વર્ષ 2014 અગાઉ હેડલાઇન્સ રહેતી હતી કે ‘આ સેક્ટરમાં કરોડો રૂપિયાનો કૌભાંડ. ભષ્ટાચાર વિરુદ્ધ જનતા રસ્તા પર ઉતરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે શું હેડલાઇન હોય છે? ભ્રષ્ટાચારના કેસોમાં એક્શનના કારણે ભયભીત, લામબંધ થયા, રસ્તાઓ પર ઉતર્યા. મીડિયાએ પહેલા કૌભાંડોના સમાચાર દેખાડી દેખાડીને ખૂબ TRP હાંસલ કરી છે. આજે મીડિયા પાસે અવસર છે કે ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી દેખાડીને TRP વધારે. પહેલા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટની હેડલાઇન રહેતી હતી. નક્સલી ઘટનાઓની હેડલાઇન રહેતી હતી, આજે શાંતિ અને સમૃદ્ધિના સમાચાર વધારે આવે છે.

પહેલા પર્યાવરણના નામ પર મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકવાના સમાચાર આવતા હતા, આજે પર્યાવરણ સાથે જોડાયેલા પોઝિટિવ ન્યૂઝ સાથે જ નવા હાઇવે-એક્સપ્રેસવે બનવાના સમાચાર આવે છે. પહેલા ટ્રેનોની દુઃખદ દુર્ઘટનાઓના સમાચારો સામાન્ય વાત હતી. આજે આધુનિક ટ્રેનોની શરૂઆત હેડલાઇન બને છે. પહેલા એર ઇન્ડિયાના કૌભાંડની-બેહાલીના સમાચાર સામાન્ય વાત હતી. આજે આધુનિક ટ્રેનોની શરૂઆત હેડલાઇન બને છે.  પ્રોમિસ અને પરફોર્મન્સનો આ જ બદલાવ ઇન્ડિયા મૂવમેન્ટ લઇને આવ્યું છે.

તેમણે આગળ કહ્યું કે, જ્યારે દેશ આત્મવિશ્વાસથી ભરેલો હોય, સંકલ્પથી ભરેલો હોય, વિદેશ પણ, દુનિયાના વિદ્વાન પણ ભારતને લઇને આશાવાન હોય, આ બધા વચ્ચે નિરાશાની વાતો, હતાશાની વાતો, ભારતને નીચું દેખાડવાની વાતો, ભારતનું મનોબળ તોડવાની વાતો પણ થતી રહે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ક્યાંક શુભ થાય છે તો એક કાળા ટીકા લગાવવાની પરંપરા હોય છે. તો આજે એટલું શુભ થઇ રહ્યું છે કે લોકોએ કાળા ટીકા લગાવવાની જવાબદારી લીધી છે. તે એટલે કે નજર ન લાગી જાય.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે એટલા બધા ગ્લોબલ ચેલેન્જ છે. 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી સૌથી મોટું સંકટ. બે દેશ મહિનાઓથી યુદ્ધમાં છે. આખી દુનિયાની સપ્લાઇ ચેન અસ્તવ્યસ્ત છે. એ સ્થિતિમાં ઇન્ડિયન મૂવમેન્ટની વાત થવી સામાન્ય નથી. આ એક નવો ઇતિહાસ બની રહ્યો છે, જેના આપણે બધા સાક્ષી છીએ. આજે આખી દુનિયા ભારતને લઇને એક વિશ્વાસથી ભરેલી છે. આજે ભારતમાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે. આજે ભારત દુનિયામાં નંબર-1 સ્માર્ટફોન ડેના કન્ઝ્યૂમર છે. આજે ભારત ગ્લોબલ ફિનટેક અડોપ્શન રેટમાં નંબર-1 છે.

આજે ભારત દુનિયાનો બીજો સોથી મોટો મોબાઇલ મેન્યૂફેક્ચરર છે. આજે ભારતમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ છે. એવી કેટલીય વાતો પર ચર્ચા થતી નથી. આજકાલ દરેક દેશમાં સ્પર્ધા ચાલી રહી છે કે ભારતથી ચોરી કરવામાં આવેલી પ્રાચીન મૂર્તિઓ તેઓ પોતે જ આપણને આપે કે લઇ જાઓ. કેમ કે તેમને ભરોસો થયો છે કે હવે તેનું સન્માન એ જ સંભવ છે. આજ તો મૂવમેન્ટ છે. એ એમ જ થતું નથી. આજના ઇન્ડિયા મૂવમેન્ટની સૌથી ખાસ વાત એ છે કે આજે તેમાં પ્રોમિસ સાથે-સાથે પરફોર્મન્સ જોડાઇ ગયું છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.