PM મોદીએ કેમ કહ્યું કેટલીક પાર્ટી મોદીના મરવાની રાહ જોઇ રહી છે

મેઘાલય વિધાનસભાની ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તુરામાં શુક્રવારે કોંગ્રેસ પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસને તો મેઘાલયની યાદ માત્ર ચૂંટણી દરમિયાન જ આવતી હતી. તેઓ તમારા હક્કના પૈસા લૂંટી લેતા હતા. કોંગ્રેસ માટે મેઘાલય ATM છે. ભાજપ જાતિ-ધર્મના આધાર પર ભેદભાવ કરતી નથી. અમારી સરકાર કેરળના ઇસાઇ ધર્મની નર્સને ઇરાકથી આતંકવાદીઓના કબજામાંથી બચાવીને લાવી. અમે ઇસાઇ ધર્મ સહિત દરેક માટે કામ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેઘાલય સહિત આખા નોર્થ ઇસ્ટના વિકાસ માટે અમે જૂના વિચાર અને અપ્રોચને બદલી દીધો છે. કોંગ્રેસની સરકારોએ આ હિસ્સાને દેશનો છેલ્લો હિસ્સો માની લીધો હતો, જ્યારે ભાજપ નોર્થ ઇસ્ટને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન માને છે. મેઘાલયમાં ભાજપ સરકાર એટલે કે કૌભાંડ અને ભ્રષ્ટાચારથી મુક્તિ છે. રાજ્યમાં ભાજપ સરકાર એટલે કે ગરીબોનું પાકું ઘર, વીજળી અને પાણી આપનારી સરકાર છે. મેઘાલયમાં ભાજપ સરકાર એટલે કે અહીંની મહિલાઓ, બહેનો અને દીકરીઓની પરેશાનીઓ ઓછી કરનારી સરકાર છે.

આ બધુ જોઇને અહીંના લોકોએ નક્કી કર્યું છે કે દિલ્હી અને શિલોંગ બંને જગ્યા પર ભાજપની સરકાર હોવી જોઇએ. તેમણે આગળ કહ્યું કે, કેન્દ્ર સરકારે છેલ્લા 9 વર્ષોમાં નોર્થ ઇસ્ટના બજેટમાં ઘણો બધો વધારો કર્યો છે. અમે સૌનો સાથ, સૌના વિશ્વાસને ધ્યાનમાં રાખતા કામ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇશારામાં સંગમા સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, રાજ્યમાં ન તો રસ્તા બન્યા છે, ન શાળા-કોલેજ અને ન તો હૉસ્પિટલ બની છે. અહીંના યુવાનો કહી રહ્યા છે કે ભરતીઓમાં ભ્રષ્ટાચાર અને ભાઇ-ભત્રીજાવાદ છે.

ભાજપે મેઘાલયની બધી સીટો પર પહેલી વખત ઉમેદવાર ઉતાર્યા છે. જ્યાં 27 ફેબ્રુઆરીના રોજ નાગાલેન્ડ સાથે મતદાન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેઘાલયના હિતોને બધી પ્રાથમિકતા આપવામાં આવી નથી. તમને નાના નાના મુદ્દા પર વહેંચવામાં આવ્યા. આ રાજનીતિએ તમારું ખૂબ નુકસાન કર્યું છે, અહીંના યુવાનોનું ખૂબ નુકસાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંશવાદને લઇને પણ પ્રહાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, મેઘાલયને વંશવાદી રાજનીતિથી મુક્ત થવું જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને એમ કહેતા ખુશી થઇ રહી છે કે મેઘાલય અને પૂર્વોત્તરની જનતા કમળ અને ભાજપ સાથે છે. મેઘાલયને ‘પરિવાર પ્રથમ’ સરકારની જગ્યાએ ‘જન પ્રથમ’ સરકારની જરૂરિયાત છે. યુવાનો હોય, મહિલાઓ હોય, વેપારી હોય, સરકારી કર્મચારી હોય, દરેક ભાજપ સરકારની માગ કરી રહ્યું છે. મેઘાલય સાથે સાથે ઉત્તર પૂર્વમાં ભાજપના સમર્થનની ભાવના કેટલાક પરિવારોના સ્વાર્થી કાર્યોનું પરિણામ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.